August 31, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદમણદીવદેશવલસાડસેલવાસ

સેલવાસના ટોકરખાડા સરકારી શાળામાં રાષ્‍ટ્રીય સેવા યોજના (એન.એસ.એસ.)ના સ્‍થાપના દિવસની કરાયેલી ઉજવણી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.26: ‘રાષ્ટ્રીય સેવા યોજના(એન.એસ.એસ.)’ના સ્‍થાપના દિવસની સંઘપ્રદેશના ત્રણેય જિલ્લામાં વિવિધ પ્રવૃત્તિઓના માધ્‍યમથી ઉજવણી કરવામાં આવી હતી.
પ્રાપ્ત માહિતી પ્રમાણે સેલવાસ ટોકરખાડા હાઈસ્‍કૂલ પરિસરમાં રાજ્‍ય એન.એસ.એસ. સેલના તત્‍વાધાનમાં ‘રાષ્ટ્રીય સેવા યોજના’ના સ્‍થાપના દિવસની ઉજવણીનું આયોજન કરવામાં આવ્‍યું હતું. કાર્યક્રમમાં મુખ્‍ય અતિથિ તરીકે આસિસ્‍ટન્‍ટ ડાયરેક્‍ટર ઓફ એજ્‍યુકેશન શ્રી ડી.ડી.મન્‍સૂરી અને અતિથિ વિશેષ પદે રાજ્‍ય એન.એન.એસ. ઓફિસર શ્રી ગૌરાંગ એચ.વોરા, કાર્યક્રમ સમન્‍વયક ડૉ. મનીષાબેન પટેલનું એન.એસ.એસ. બેન્‍ડ દ્વારા સ્‍વાગત કરવામાં આવ્‍યું હતું.
આ પ્રસંગે વોલેન્‍ટિયર્સ દ્વારા વિવિધ સાંસ્‍કૃતિક કૃત્તિઓની રજૂઆત કરી હતી. ત્‍યારબાદ રાજ્‍ય અધિકારી શ્રી ગૌરાંગ વોરાએ વોલેન્‍ટિયર્સને માર્ગદર્શન કરતા વિવિધ ગતિવિધિઓમાં સ્‍વયંસેવકોની ભૂમિકાની સરાહના કરતા પ્રજાસત્તાક દિવસપરેડ, એન.આઈ.સી. કેમ્‍પ, મેરી માટી મેરા દેશ, વીરોને વંદન, એક પેડ માઁ કે નામ, સડક સુરક્ષા, સાક્ષરતા અભિયાન, સાઇબર સુરક્ષા, હેલ્‍થ એવમ હાઇજીન જાગરૂકતા, માય પોર્ટલની ઉપયોગીતામાં યોગદાન અંગે જાણકારી આપી હતી.
એન.એસ.એસ. દિવસના ઉપલક્ષમાં આયોજીત નિબંધ અને ભાષણ પ્રતિયોગિતાના સફળ પ્રતિભાગીઓ તથા શૈક્ષણિક ગતિવિધિઓની દાનહ ટોપર્સ હિન્‍દી મીડિયમની નેહા ગુપ્તા અને સોનાલી પ્રસાદને પ્રમાણપત્ર અને મોમેન્‍ટો આપી સન્‍માનિત કરાઈ હતી. મુખ્‍ય અતિથિ શ્રી ડી.ડી.મંસુરીએ વોલેન્‍ટિયર્સની સેવા સમર્પણના મહત્ત્વ અંગે જણાવતા રાષ્ટ્ર સેવા માટે સદૈવ તત્‍પર રહેવા માટે પ્રેરિત કર્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવામાં શ્રી ભરત ટંડેલ, શ્રી સુનિલ પગાર, શ્રી શૈલેષ પટેલ અને વોલેન્‍ટિયર્સની મહત્ત્વની ભૂમિકા હતી. કાર્યક્રમનું સંચાલન પ્રોગ્રામ ઓફિસર શ્રી અનુરાગ તિવારીએ કર્યું હતું.

Related posts

ચીખલીના થાલામાં નહેરની પાળ ઉપર મોટા પ્રમાણમાં પ્‍લાસ્‍ટિકનો કચરો ઠલવાતા ફેલાયેલી ગંદકી

vartmanpravah

જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર ધરમપુર ખાતે Arduino ઇલેક્ટ્રોનિક્સ વર્કશોપ યોજાયો

vartmanpravah

શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુળ સલવાવમાં સીબીએસઈ વિદ્યાર્થીઓએ નવા શૈક્ષણિક સત્રની શરૂઆત ધાર્મિક યજ્ઞ સાથે કરી

vartmanpravah

ધરમપુર ખાતે જિલ્લા પોલીસવડા ડો.કરનરાજ વાઘેલાના અધ્‍યક્ષ સ્‍થાને કરાયેલું લોકદરબારનું આયોજન

vartmanpravah

ભારત સરકારના પેયજળ અને સ્‍વચ્‍છતા વિભાગ દ્વારા ‘સ્‍વચ્‍છ સર્વેક્ષણ ગ્રામીણ-2025′ અંતર્ગત ગલોન્‍ડા, ફલાન્‍ડી અને ઉમરકુઈ હાટપાડામાં શેરી નાટકો યોજાયા

vartmanpravah

સંઘપ્રદેશ સહિત વલસાડ જિલ્લાનો ભંડારી સમાજ સ્‍તબ્‍ધ દાનહના ખરડપાડા ખાતે ‘‘પતિ-પત્‍ની ઔર વો”ના કિસ્‍સામાં કરૂણ અંજામઃ પત્‍નીએ પોતાના કુંવારા પ્રેમી સાથે મળી પતિની ગળું દબાવી કરેલી હત્‍યા

vartmanpravah

Leave a Comment