April 18, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદમણદીવદેશવલસાડસેલવાસ

સેલવાસના ટોકરખાડા સરકારી શાળામાં રાષ્‍ટ્રીય સેવા યોજના (એન.એસ.એસ.)ના સ્‍થાપના દિવસની કરાયેલી ઉજવણી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.26: ‘રાષ્ટ્રીય સેવા યોજના(એન.એસ.એસ.)’ના સ્‍થાપના દિવસની સંઘપ્રદેશના ત્રણેય જિલ્લામાં વિવિધ પ્રવૃત્તિઓના માધ્‍યમથી ઉજવણી કરવામાં આવી હતી.
પ્રાપ્ત માહિતી પ્રમાણે સેલવાસ ટોકરખાડા હાઈસ્‍કૂલ પરિસરમાં રાજ્‍ય એન.એસ.એસ. સેલના તત્‍વાધાનમાં ‘રાષ્ટ્રીય સેવા યોજના’ના સ્‍થાપના દિવસની ઉજવણીનું આયોજન કરવામાં આવ્‍યું હતું. કાર્યક્રમમાં મુખ્‍ય અતિથિ તરીકે આસિસ્‍ટન્‍ટ ડાયરેક્‍ટર ઓફ એજ્‍યુકેશન શ્રી ડી.ડી.મન્‍સૂરી અને અતિથિ વિશેષ પદે રાજ્‍ય એન.એન.એસ. ઓફિસર શ્રી ગૌરાંગ એચ.વોરા, કાર્યક્રમ સમન્‍વયક ડૉ. મનીષાબેન પટેલનું એન.એસ.એસ. બેન્‍ડ દ્વારા સ્‍વાગત કરવામાં આવ્‍યું હતું.
આ પ્રસંગે વોલેન્‍ટિયર્સ દ્વારા વિવિધ સાંસ્‍કૃતિક કૃત્તિઓની રજૂઆત કરી હતી. ત્‍યારબાદ રાજ્‍ય અધિકારી શ્રી ગૌરાંગ વોરાએ વોલેન્‍ટિયર્સને માર્ગદર્શન કરતા વિવિધ ગતિવિધિઓમાં સ્‍વયંસેવકોની ભૂમિકાની સરાહના કરતા પ્રજાસત્તાક દિવસપરેડ, એન.આઈ.સી. કેમ્‍પ, મેરી માટી મેરા દેશ, વીરોને વંદન, એક પેડ માઁ કે નામ, સડક સુરક્ષા, સાક્ષરતા અભિયાન, સાઇબર સુરક્ષા, હેલ્‍થ એવમ હાઇજીન જાગરૂકતા, માય પોર્ટલની ઉપયોગીતામાં યોગદાન અંગે જાણકારી આપી હતી.
એન.એસ.એસ. દિવસના ઉપલક્ષમાં આયોજીત નિબંધ અને ભાષણ પ્રતિયોગિતાના સફળ પ્રતિભાગીઓ તથા શૈક્ષણિક ગતિવિધિઓની દાનહ ટોપર્સ હિન્‍દી મીડિયમની નેહા ગુપ્તા અને સોનાલી પ્રસાદને પ્રમાણપત્ર અને મોમેન્‍ટો આપી સન્‍માનિત કરાઈ હતી. મુખ્‍ય અતિથિ શ્રી ડી.ડી.મંસુરીએ વોલેન્‍ટિયર્સની સેવા સમર્પણના મહત્ત્વ અંગે જણાવતા રાષ્ટ્ર સેવા માટે સદૈવ તત્‍પર રહેવા માટે પ્રેરિત કર્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવામાં શ્રી ભરત ટંડેલ, શ્રી સુનિલ પગાર, શ્રી શૈલેષ પટેલ અને વોલેન્‍ટિયર્સની મહત્ત્વની ભૂમિકા હતી. કાર્યક્રમનું સંચાલન પ્રોગ્રામ ઓફિસર શ્રી અનુરાગ તિવારીએ કર્યું હતું.

Related posts

ગાંધીનગર સુવર્ણ સંકુલમાં નાણા-ઊર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ પૂજા-અર્ચના સાથે ઓફિસનો શુભારંભ કર્યો

vartmanpravah

બિલયાની પ્રાથમિક શાળામાં કોરોમંડલ કંપનીએ નિર્માણ કરેલ બે ઓરડાનું કલેકટરના હસ્‍તે લોકાર્પણ

vartmanpravah

દમણ જિલ્લાના આરોગ્‍ય અને પરિવાર કલ્‍યાણ વિભાગ દ્વારા ડેન્‍ગ્‍યુના નિવારણ અને નિયંત્રણ અંગે જાગૃતિ વધારવા માટે સેમિનાર યોજાયો

vartmanpravah

સમયમર્યાદામાં સામાન્‍ય લોકોની ફરિયાદના નિકાલ માટે દમણ જિલ્લા પ્રશાસન ફરિયાદ પ્રબંધન પધ્‍ધતિ બનાવશે

vartmanpravah

દમણ જિલ્લા કોળી સમાજના કાર્યવાહક પ્રમુખ તરીકે પ્રો.ડો. નાનુભાઈ પટેલની વરણીઃ ઠેર ઠેરથી આવકાર

vartmanpravah

ડૂબી જતાં મહિલાનુ મોતઃ અરનાલા ગામની કોલક નદીમાં કપડાં ધોવા ગયેલી મહિલા ડૂબી જવાથી મોત

vartmanpravah

Leave a Comment