April 25, 2024
Vartman Pravah
Breaking Newsદેશસેલવાસ

દાનહના રખોલી ગ્રા.પં.ના સરપંચ ચંદનબેન પટેલે ચાલ માલિકોને સાફસફાઈની બાબતમાં તકેદારી રાખવા આપેલી સૂચના

રખોલી ગ્રામ પંચાયત દ્વારા ચાલ માલિકો સાથે યોજાયેલી બેઠક : પંચાયતને સ્‍વચ્‍છ અને સુંદર રાખવા આપેલી સમજણ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.ર0
દાનહના રખોલી ગ્રામ પંચાયતના સરપંચ શ્રીમતી ચંદનબેન દિનેશભાઈ પટેલના નેતૃત્‍વમાં ચાલ માલિકો સાથે મીટિંગ કરી સાફસફાઈની બાબતમાં તકેદારી રાખવા ચીમકી પણ આપી હતી.
પ્રાપ્ત માહિતી પ્રમાણે સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના સ્‍વચ્‍છ, સુંદર અને સ્‍વસ્‍થ દાદરા નગર હવેલી નિર્માણના અભિયાન અંતર્ગત જિલ્લા પંચાયતનામુખ્‍ય કાર્યકારી અધિકારી શ્રી ડો. અપૂર્વ શર્માના માર્ગદર્શન હેઠળ રખોલી ગ્રામ પંચાયત દ્વારા ચાલ માલિકો સાથે મીટિંગ રાખી તેમને સોલીડ વેસ્‍ટ મેનેજમેન્‍ટ કાયદો(નિયમ)-ર0ર1ની સમજ આપવામાં આવી હતી અને પંચાયત દ્વારા શરૂ થયેલા અભિયાનમાં સહયોગ આપવા જણાવાયું હતું.
આ બેઠકમાં જિલ્લા પંચાયતના સભ્‍ય શ્રી દિપકભાઈ પ્રધાને ચાલ માલિકોને તેમની ચાલની આજુબાજુમાં કચરો, બાથરૂમનો વેસ્‍ટ, પાણી અને ગંદકી હશે તો કાયદા પ્રમાણે પંચાયતના કર્મચારી દ્વારા વસૂલાનારા દંડની પણ માહિતી આપી હતી.
દરમિયાન ચાલ માલિકોએ સરપંચ શ્રીમતી ચંદનબેન પટેલને સંપૂર્ણ સહયોગ આપવાની ખાતરી આપી હતી અને કચરાની ગાડી સમયસર આવે તે પ્રકારની ગોઠવણ કરવા વિનંતી કરી હતી. આ બેઠકમાં ગ્રામ પંચાયતના સભ્‍યો અને ચાલ માલિકો ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

દાનહના સુપ્રસિદ્ધ ધારાશાસ્ત્રી અને યુવા આદિવાસી નેતા સની ભીમરાએ ખરડપાડાના ખાડીપાડા વિસ્‍તારની લીધેલી મુલાકાતઃ ગામલોકો સાથે કરેલી ચર્ચા-વિચારણાં

vartmanpravah

વલસાડ જિલ્લા સંત સમિતિની રચના : હોદ્દેદારોની વરણી થઈ

vartmanpravah

જિલ્લા કલેક્‍ટર ડો. તપસ્‍યા રાઘવે જારી કરેલો આદેશ નાની દમણ સમુદ્ર નારાયણ મંદિર જેટીથી દેવકા પ્રિન્‍સેસ પાર્ક સુધીનો બીચ રોડ વાહન અને રાહદારીઓની અવર-જવર માટે બંધ (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા. 13 નાની દમણના સમુદ્ર નારાયણ મંદિર જેટીથી હોટલ પ્રિન્‍સેસ પાર્ક દેવકા સુધીના રોડને વાહનો તથા રાહદારીઓની અવર-જવર માટે બીજો આદેશ જારી નહીં થાય ત્‍યાં સુધી બંધ કરવાનો આદેશ સીઆરપીસીની 144 કલમ અંતર્ગત દમણના કલેક્‍ટર અને જિલ્લા મેજીસ્‍ટ્રેટ ડોક્‍ટર તપસ્‍યા રાઘવે જારી કર્યો છે. સમુદ્ર નારાયણ મંદિરથી પ્રિન્‍સેસ પાર્ક દેવકા સુધીના બીચ રોડ ઉપર વાહનો અને રાહદારીઓની અવર-જવરના કારણે એજન્‍સી દ્વારા ચાલી રહેલા કામોમાં અવરોધ આવવાની સાથે સલામતિનો પણ પ્રશ્ન ઉપસ્‍થિત થઈ રહ્યો છે, તેથી આ રસ્‍તાને સંપૂર્ણ રીતે અવર-જવર માટેબંધ કરવાનો આદેશ કરવામાં આવ્‍યો છે.

vartmanpravah

દાનહ ઈન્‍ડિયન રિઝર્વ બટાલીયન દ્વારા રાઇઝીંગ ડે નિમિત્તે મેડિકલ અને રક્‍તદાન શિબિર યોજાઈ

vartmanpravah

સંઘપ્રદેશના આરોગ્‍ય વિભાગનો ફરી એકવાર રાષ્‍ટ્રીય સ્‍તરે વાગેલો ડંકો : આરોગ્‍ય વિભાગને મળેલા ચાર મોટા ઈનામો

vartmanpravah

વાપી ચણોદ કોલોની અંબામાતા મંદિરે 108 દિપ પ્રાગટય સાથે શિવજીની મહાપૂજા કરાઈ

vartmanpravah

Leave a Comment