Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

કલગામ હનુમાનજી મંદિરે વિકલાંગ શ્રદ્ધાળુઓની સહાય માટે યુવા શક્‍તિ ચેરીટેબલ ટ્રસ્‍ટે વ્‍હીલચેરની ઉભી કરેલી વ્‍યવસ્‍થા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સરીગામ, તા.01: સરીગામ તેમજ આજુબાજુ વિસ્‍તારમાં સેવાકીય પ્રવૃતિઓમાં અગ્રેસર રહેતી સરીગામ યુવા શક્‍તિ ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા કલગામના આસ્‍થાના પ્રતીક બનેલા હનુમાનજી મંદિર ખાતે બે વ્‍હીલચેરની વ્‍યવસ્‍થા ઉપલબ્‍ધ કરવામાં આવી છે. ખાસ કરીને મંદિરે આવતા વૃદ્ધો, વિકલાંગ તેમજ અશક્‍ત શ્રદ્ધાળુઓ માટે આ વ્‍હીલચેર ઉપયોગી સાબિત થશે એવા સેવાકીય ઉદેશથીવ્‍હીલચેર ડોનેટ કરવામાં આવી છે. આ પ્રસંગે મંદિરના પૂજારી શ્રી રાજુભાઈ ગોસ્‍વામી, યુવા અગ્રણી શ્રી આકાશભાઈ ગોસ્‍વામી, કલગામના યુવા સરપંચશ્રી રોહિતભાઈ હળપતિ, ઉપસરપંચશ્રી રસીકભાઈ પટેલ, અગ્રણીશ્રી ઠાકોરભાઈ કોળી તેમજ યુવા શકિત ચેરીટેબલ ટ્રસ્‍ટના ચેરમેન શ્રી રાકેશભાઈ રાય, ટ્રસ્‍ટીશ્રી અરવિંદભાઈ રોહિત, શ્રી રાજેશભાઈ ચૌધરી, શ્રી દેવરાજભાઈ ભટ્ટ(પંડીતજી), અગ્રણી શ્રી યાદવેન્‍દ્ર મિશ્રાજી, શ્રી દીપકભાઈ કોળી વિગેરેની હાજરી જોવા મળી હતી.

Related posts

વલસાડ અબ્રામામાં કપચી ભરેલ ચાલુ ટ્રકનું ટાયર નિકળી જતા મોટો અકસ્‍માત થતા રહી ગયો

vartmanpravah

વલસાડ જિલ્લા આરોગ્‍ય કર્મચારીઓની જિ.પં. પ્રમુખ અને ડી.ડી.ઓ. સમક્ષ પડતર માંગણીની રજૂઆત

vartmanpravah

વાપી જી.આઈ.ડી.સી. થર્ડ ફેઈઝવિસ્‍તારમાં શુક્રવારે પાવર સપ્‍લાય કાપ રહેશે

vartmanpravah

દાનહમાં અન્‍ડર-16 હેન્‍ડબોલના ખેલાડીઓનું રવિવારે થનારૂં સિલેક્‍શનઃ રસ ધરાવતા ખેલાડીઓ ધ્‍યાન આપે

vartmanpravah

‘જનજાતીય ગૌરવ દિવસ’ના ઉપલક્ષમાં છત્તીગઢના જશપુરમાં આયોજીત ‘‘ભગવાન બિરસા મુંડા માટી કે વીર પદયાત્રા”માં સેલવાસ નેહરૂ યુવા કેન્‍દ્રના બી.કે.યુવા મંડળનું શાનદાર પ્રદર્શન

vartmanpravah

પારડીની સંસ્‍કૃત મહાવિદ્યાલયમાં ગુજરાતી ભાષા ગૌરવ સંવર્ધનની એક દિવસીય કાર્યશાળા સંપન્ન

vartmanpravah

Leave a Comment