February 5, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

કલગામ હનુમાનજી મંદિરે વિકલાંગ શ્રદ્ધાળુઓની સહાય માટે યુવા શક્‍તિ ચેરીટેબલ ટ્રસ્‍ટે વ્‍હીલચેરની ઉભી કરેલી વ્‍યવસ્‍થા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સરીગામ, તા.01: સરીગામ તેમજ આજુબાજુ વિસ્‍તારમાં સેવાકીય પ્રવૃતિઓમાં અગ્રેસર રહેતી સરીગામ યુવા શક્‍તિ ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા કલગામના આસ્‍થાના પ્રતીક બનેલા હનુમાનજી મંદિર ખાતે બે વ્‍હીલચેરની વ્‍યવસ્‍થા ઉપલબ્‍ધ કરવામાં આવી છે. ખાસ કરીને મંદિરે આવતા વૃદ્ધો, વિકલાંગ તેમજ અશક્‍ત શ્રદ્ધાળુઓ માટે આ વ્‍હીલચેર ઉપયોગી સાબિત થશે એવા સેવાકીય ઉદેશથીવ્‍હીલચેર ડોનેટ કરવામાં આવી છે. આ પ્રસંગે મંદિરના પૂજારી શ્રી રાજુભાઈ ગોસ્‍વામી, યુવા અગ્રણી શ્રી આકાશભાઈ ગોસ્‍વામી, કલગામના યુવા સરપંચશ્રી રોહિતભાઈ હળપતિ, ઉપસરપંચશ્રી રસીકભાઈ પટેલ, અગ્રણીશ્રી ઠાકોરભાઈ કોળી તેમજ યુવા શકિત ચેરીટેબલ ટ્રસ્‍ટના ચેરમેન શ્રી રાકેશભાઈ રાય, ટ્રસ્‍ટીશ્રી અરવિંદભાઈ રોહિત, શ્રી રાજેશભાઈ ચૌધરી, શ્રી દેવરાજભાઈ ભટ્ટ(પંડીતજી), અગ્રણી શ્રી યાદવેન્‍દ્ર મિશ્રાજી, શ્રી દીપકભાઈ કોળી વિગેરેની હાજરી જોવા મળી હતી.

Related posts

શ્રી સ્‍વામિનારાયણ હાઈસ્‍કૂલ સલવાવ (ગ્રાન્‍ટેડ) રંગોળી અને દિવડા શણગાર સ્‍પર્ધાનું આયોજન કરવામાં આવ્‍યું

vartmanpravah

નારગોલના ભુનવાળી ફળિયા ખાતે મકાનમાં આગ લાગવાની બનેલી ઘટના

vartmanpravah

જિલ્લા કલેકટરશ્રી ક્ષિપ્રા આગ્રેના અધ્યક્ષસ્થાને પોષણ માસની ઉજવણીની બેઠક મળી

vartmanpravah

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીના જન્‍મ દિવસના ઉપલક્ષમાં રખોલી ગ્રામ પંચાયત દ્વારા યોજાયો સ્‍વચ્‍છતા અભિયાન

vartmanpravah

જિલ્લામાં સ્‍વચ્‍છતા હી સેવા અભિયાન હેઠળ આરોગ્‍ય કેન્‍દ્રોમાં હેલ્‍થ ચેકઅપ સહિતની વિવિધ પ્રવૃતિઓ થઈ

vartmanpravah

સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવમાં ઓળખ મૂલ્‍યાંકન – રાજ્‍ય શૈક્ષણિક સિદ્ધિ સર્વેક્ષણ પ્રક્રિયા સફળતાપૂર્વક સંપન્ન

vartmanpravah

Leave a Comment