October 21, 2024
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

કલગામ હનુમાનજી મંદિરે વિકલાંગ શ્રદ્ધાળુઓની સહાય માટે યુવા શક્‍તિ ચેરીટેબલ ટ્રસ્‍ટે વ્‍હીલચેરની ઉભી કરેલી વ્‍યવસ્‍થા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સરીગામ, તા.01: સરીગામ તેમજ આજુબાજુ વિસ્‍તારમાં સેવાકીય પ્રવૃતિઓમાં અગ્રેસર રહેતી સરીગામ યુવા શક્‍તિ ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા કલગામના આસ્‍થાના પ્રતીક બનેલા હનુમાનજી મંદિર ખાતે બે વ્‍હીલચેરની વ્‍યવસ્‍થા ઉપલબ્‍ધ કરવામાં આવી છે. ખાસ કરીને મંદિરે આવતા વૃદ્ધો, વિકલાંગ તેમજ અશક્‍ત શ્રદ્ધાળુઓ માટે આ વ્‍હીલચેર ઉપયોગી સાબિત થશે એવા સેવાકીય ઉદેશથીવ્‍હીલચેર ડોનેટ કરવામાં આવી છે. આ પ્રસંગે મંદિરના પૂજારી શ્રી રાજુભાઈ ગોસ્‍વામી, યુવા અગ્રણી શ્રી આકાશભાઈ ગોસ્‍વામી, કલગામના યુવા સરપંચશ્રી રોહિતભાઈ હળપતિ, ઉપસરપંચશ્રી રસીકભાઈ પટેલ, અગ્રણીશ્રી ઠાકોરભાઈ કોળી તેમજ યુવા શકિત ચેરીટેબલ ટ્રસ્‍ટના ચેરમેન શ્રી રાકેશભાઈ રાય, ટ્રસ્‍ટીશ્રી અરવિંદભાઈ રોહિત, શ્રી રાજેશભાઈ ચૌધરી, શ્રી દેવરાજભાઈ ભટ્ટ(પંડીતજી), અગ્રણી શ્રી યાદવેન્‍દ્ર મિશ્રાજી, શ્રી દીપકભાઈ કોળી વિગેરેની હાજરી જોવા મળી હતી.

Related posts

દાનહમાં ‘મેરી માટી, મેરા દેશ’ના ઉપક્રમે વાજતે ગાજતે નિકળેલી કળશયાત્રા

vartmanpravah

vartmanpravah

આજથી તા.ર9 જાન્‍યુઆરી સુધી વલસાડ-વાપી શહેરમાં રાત્રે 10 કલાકથી સવારે 6 કલાક કરફયુ અમલી:  જિલ્લામાં વધી રહેલ સંક્રમણને ધ્‍યાને લઈ ગૃહ વિભાગે લીધેલો નિર્ણય

vartmanpravah

છીણમ મુખ્ય રસ્તાથી નવવાડા તરફ જતા રસ્તાનું ખાતમુર્હૂત કરતાં સાંસદશ્રી સી.આર.પાટીલ

vartmanpravah

શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુળ સલવાવનો 40મો વાર્ષિક ઉત્‍સવની ભવ્‍ય તૈયારી શરૂ : ત્રણ થીમ ઉપર ઉજવાશે ઉત્‍સવ

vartmanpravah

વિકાસ સપ્તાહ અંતર્ગત પારડીના રોહિણામાં આયુષ્‍માન આરોગ્‍ય શિબિર યોજાઈઃ 309 દર્દીએ લાભ લીધો

vartmanpravah

Leave a Comment