October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

સંજાણ ખાતે જય અંબે નવયુવક અને મહિલા મંડળ દ્વારા રક્‍તદાન શિબિરનું કરવામાં આવેલુ આયોજન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સરીગામ, તા.01: ઉમરગામ તાલુકાના સંજાણ ખાતે અતુલ રૂરલ ડેવલોપમેન્‍ટ ફંડના સહયોગથી શ્રી જય અંબે નવયુવક મંડળ અને શ્રી જય અંબે મહિલા મંડળ દ્વારા રક્‍તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્‍યું હતું. સતત છેલ્લા આઠ વર્ષથી આ મંડળો દ્વારા રક્‍તદાન શિબિરનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેમાં આ વર્ષે પણ રક્‍તદાતાઓએ ઉત્‍સાહપૂર્વક ભાગ લેતા 278 યુનિટ રક્‍ત એકત્રિત કરવામાં આવ્‍યું હતું. આ કાર્યક્રમમાં ધારાસભ્‍ય શ્રી રમણભાઈ પાટકર, ભાજપ સંગઠન પ્રમુખ શ્રી દિલીપભાઈ ભંડારી તેમજ જિલ્લા પંચાયતના સભ્‍ય શ્રી મુકેશભાઈ પટેલ અને શ્રી દિપકભાઈ મિષાી તેમજ સંજાણ પંચાયતના સરપંચશ્રી ગુલાબભાઈ ધોડી, સ્‍થાનિક આગેવાન શ્રી પ્રદીપભાઈ બુલચંદાની અને શ્રી નરેશભાઈ પરમાર વગેરેની ઉપસ્‍થિતિ જોવા મળી હતી. આ પ્રસંગે ભાજપા તાલુકા સંગઠનના પ્રમુખશ્રી દિલીપભાઈ ભંડારી અને ધારાસભ્‍ય શ્રી રમણભાઈ પાટકરે જય અંબે નવયુવક મંડળ અને જય અંબે મહિલામંડળની કામગીરીને બિરદાવવા સાથે રક્‍તદાન માટે ઉપસ્‍થિત રક્‍તદાતાઓની પ્રશંસા કરી પ્રોત્‍સાહન પૂરું પાડ્‍યું હતું.

Related posts

વાપીમાં ટ્રાફિક સમસ્‍યા પેચીદી બને તે પહેલાં પોલીસે એક્‍શન માસ્‍ટર પ્‍લાન કાર્યરત કર્યો

vartmanpravah

સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવ પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીનો ઋણીઃ પ્રશાસક પ્રફુલભાઈ પટેલ

vartmanpravah

વાપી દમણગંગા નદી કિનારે ગણેશ વિસર્જનનો પ્રતિબંધ હટાવાયો : 3 થી 4 ભક્‍તો વિસર્જન કરી શકશે

vartmanpravah

‘સ્‍વચ્‍છતા હી સેવા’ અભિયાન અંતર્ગત ગણદેવી નગરપાલિકા દ્વારા ગરબા ગ્રાઉન્‍ડની સાફ સફાઈ હાથ ધરવામાં આવી

vartmanpravah

દમણ ન.પા.ની ‘નેવના પાણી મોભે ચઢાવવા’ મથામણ

vartmanpravah

બી.આર.ઍસ. કોલેજ થવા-ભરૂચ ખાતે ઍન.ઍસ.ઍસ.ઍકમ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ મહાયજ્ઞમા સંસ્થાના મંત્રી શ્રી માનસિંહભાઈ માંગરોલા, પ્રમુખશ્રી યોગેશભાઈ જોશી, તમામ વિભાગના આચાર્યશ્રીઓ, તમામ કર્મચારીગણ તેમજ ઍન.ઍસ.ઍસ. પ્રોગ્રામ ઓફિસર ડૉ. અજયભાઈ પટેલ દ્વારા ૫૦૦ વૃક્ષો રોપવામાં આવ્યા હતા.

vartmanpravah

Leave a Comment