October 20, 2024
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

સંજાણ ખાતે જય અંબે નવયુવક અને મહિલા મંડળ દ્વારા રક્‍તદાન શિબિરનું કરવામાં આવેલુ આયોજન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સરીગામ, તા.01: ઉમરગામ તાલુકાના સંજાણ ખાતે અતુલ રૂરલ ડેવલોપમેન્‍ટ ફંડના સહયોગથી શ્રી જય અંબે નવયુવક મંડળ અને શ્રી જય અંબે મહિલા મંડળ દ્વારા રક્‍તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્‍યું હતું. સતત છેલ્લા આઠ વર્ષથી આ મંડળો દ્વારા રક્‍તદાન શિબિરનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેમાં આ વર્ષે પણ રક્‍તદાતાઓએ ઉત્‍સાહપૂર્વક ભાગ લેતા 278 યુનિટ રક્‍ત એકત્રિત કરવામાં આવ્‍યું હતું. આ કાર્યક્રમમાં ધારાસભ્‍ય શ્રી રમણભાઈ પાટકર, ભાજપ સંગઠન પ્રમુખ શ્રી દિલીપભાઈ ભંડારી તેમજ જિલ્લા પંચાયતના સભ્‍ય શ્રી મુકેશભાઈ પટેલ અને શ્રી દિપકભાઈ મિષાી તેમજ સંજાણ પંચાયતના સરપંચશ્રી ગુલાબભાઈ ધોડી, સ્‍થાનિક આગેવાન શ્રી પ્રદીપભાઈ બુલચંદાની અને શ્રી નરેશભાઈ પરમાર વગેરેની ઉપસ્‍થિતિ જોવા મળી હતી. આ પ્રસંગે ભાજપા તાલુકા સંગઠનના પ્રમુખશ્રી દિલીપભાઈ ભંડારી અને ધારાસભ્‍ય શ્રી રમણભાઈ પાટકરે જય અંબે નવયુવક મંડળ અને જય અંબે મહિલામંડળની કામગીરીને બિરદાવવા સાથે રક્‍તદાન માટે ઉપસ્‍થિત રક્‍તદાતાઓની પ્રશંસા કરી પ્રોત્‍સાહન પૂરું પાડ્‍યું હતું.

Related posts

-સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના દિશા-નિર્દેશમાં અને શિક્ષણ નિર્દેશક જતિન ગોયલના માર્ગદર્શન હેઠળ દાનહ સમગ્ર શિક્ષા દ્વારા ‘સમાવેશી શિક્ષણ’ અંતર્ગત ‘પર્યાવરણ નિર્માણ કાર્યક્રમ’ યોજાયો

vartmanpravah

વલસાડ જિલ્લા ભાજપ કાર્યાલયમાં હર ઘર તિરંગા કાર્યક્રમ અંતર્ગત બેઠક યોજાઈ

vartmanpravah

દાનહમાં ગાયોને ટક્કર મારી મોત નિપજાવવાનો સિલસિલો યથાવત્‌ રવિવારની રાત્રે અથાલ પાસે રસ્‍તા ઉપર બેસેલી ગાયોને ટ્રકચાલકે મારેલી ટક્કરમાં ચાર ગાયોના ઘટના સ્‍થળે જ થયેલા મોતઃ ત્રણને ગંભીર ઈજા

vartmanpravah

પ્રદેશ ભાજપ પ્રભારી દુષ્‍યંતભાઈ પટેલના દિશા-નિર્દેશ હેઠળ દાનહ અને દમણ-દીવ ભાજપના સક્રિય સદસ્‍યતા સમિતિના સંયોજક તરીકે નવિનભાઈ પટેલની કરાયેલી વરણી

vartmanpravah

દુણેઠા સ્‍થિત જવાહર નવોદય શાળાના વિદ્યાર્થીએ અગમ્‍ય કારણોસર ફાંસી લગાવી જીવન ટૂંકાવ્‍યું

vartmanpravah

નરોલીમાં ગ્રામસભા યોજાઈ

vartmanpravah

Leave a Comment