March 3, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

વલસાડ રેલવે સ્‍ટેશનથી 2 મોબાઈલ સ્‍નેચરોની ધરપકડ કરતી દમણ પોલીસ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.05: દમણ પોલીસે વલસાડ રેલવે સ્‍ટેશન પરથી 2 મોબાઈલ સ્‍નેચરોની ધરપકડ કરી છે. પોલીસે આરોપી પાસેથી ચોરીનો મોબાઈલ પણ કબજે કર્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ફરિયાદી આશિષ ત્રિપાઠીએ 7 એપ્રિલના રોજ નાની દમણ પોલીસ સ્‍ટેશનમાં ફરિયાદ નોંધાવતા જણાવ્‍યું હતું કે, એરપોર્ટ રોડ, પુખરાજ હોટલ પાસે મોટરસાઇકલ પર બે અજાણ્‍યા શખ્‍સો આવ્‍યા હતા અને ફરિયાદીનો મોબાઇલ ફોન આંચકીને ભાગી ગયા હતા. પોલીસે આ અંગે ગુનો નોંધી કેસની તપાસ શરૂ કરી હતી. આરોપીઓને પકડવા અને સ્‍નેચિંગ કેસને ઉકેલવા માટે દમણ પોલીસે જુદી જુદી ટીમો બનાવી અને ઘટના સ્‍થળની મુલાકાત લીધી અને નજીકના સ્‍થળો અને સ્‍નેચરો દ્વારા ભાગી જવાના રસ્‍તાઓ સહિત અનેક સીસીટીવી ફૂટેજનું વિશ્‍લેષણ કર્યું. ઈલેક્‍ટ્રોનિક/ટેકનિકલ ડેટા દ્વારા અનેક પ્રયાસો પછી, પોલીસ ટીમે મધ્‍યપ્રદેશના રીવા જિલ્લામાં શંકાસ્‍પદનું લોકેશન ટ્રેસ કર્યું. જેથી પોલીસની એક ટીમ રીવા ખાતેમોકલવામાં આવી હતી. પરંતુ શંકાસ્‍પદ વ્‍યક્‍તિ ટ્રેન દ્વારા વલસાડ, ગુજરાત તરફ આવી રહી હોવાની માહિતી મળી હતી જેના કારણે વલસાડમાંથી બે સ્‍નેચરોની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસ ટીમ દ્વારા નીરજ એન બાટો (ઉ.વ.23) રહે. વાપી, મૂળ રહે. અલ્‍મોડા, ઉત્તરાખંડ અને રૂપેશકુમાર બહાદુર શાહ (ઉ.વ.29) રહે. કચીગામ, દમણ, મૂળ રહે. ખાગરિયા, બિહારની ધરપકડ કરવામાં આવી હતી. આ આરોપીઓ પાસેથી ચોરેલો મોબાઈલ ફોન પણ મળી આવ્‍યો હતો.

Related posts

જનરેશન ગેપ એ એક ભ્રમ છે, અંધ બાપ પણ પોતાના દિકરાને અનુભવના ખભે બેસાડી દૂરનું બતાવી શકે છે!

vartmanpravah

બાળકો સંબંધિત સમસ્‍યાઓ અને બાળ મૈત્રીપૂર્ણ અભિગમ સાથે સમસ્‍યાઓનો સામનો કરવા માટે ન્‍યાયતંત્રની પ્રક્રિયાને સમજવા માટે કલેક્‍ટર ભાનુ પ્રભાના દિશા-નિર્દેશ અને માર્ગદર્શનમાં દીવના ફૂદમ પોલીસ મુખ્‍યાલયના સભાખંડમાં યોજાયેલી બેઠક

vartmanpravah

ઉદવાડા ફાટક કાયમી ધોરણે બંધ કરી દેવાતા મામલો ઉગ્ર બન્‍યો : બે હજાર ઉપરાંતનું ટોળું સ્‍ટેશન કચેરી ઉપર રેલી કાઢી પહોંચ્‍યુ

vartmanpravah

આછવણીના પ્રગટેશ્વર ધામ દ્વારા 3જી મેના રોજ નાશિક-ગોદાવરી નદી કિનારે 1008 કુંડી શ્રીરામ યજ્ઞ કરાશે

vartmanpravah

વાપી વિસ્‍તારમાં કોંગ્રેસ-અને આપ દ્વારા ચૂંટણી પ્રચાર : રોડ અને બ્રિજ બનાવવા એ વિકાસ નથી : અનંત પટેલ

vartmanpravah

ઉપ રાષ્‍ટ્રપતિ શ્રી જગદીપ ધનખડે સેલવાસમાં આજે યાત્રી નિવાસ ફલાયઓવર અંડરસ્‍પેસની લીધેલી મુલાકાત

vartmanpravah

Leave a Comment