July 12, 2025
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદેશસેલવાસ

દાનહના ખાનવેલ વિસ્‍તારમાં બે ઇંચથી વધુ વરસાદઃ સાકરતોડ નદીમાં આવેલો ઘોડાપૂર

તલાવલીમાં આવેલા પૂરમાં ફસાયેલા 15થી વધુ વ્‍યક્‍તિઓનું કરાયું રેસ્‍ક્‍યુ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.04 : ગુજરાતના વલસાડ અને મહારાષ્‍ટ્રના પાલઘર જિલ્લાને અડીને આવેલા કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલીમાં બુધવારની વહેલી સવારથી મોડી સાંજે સુધીમાં બે ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો. જેમાં ખાનવેલ વિસ્‍તારમાં ભારે વરસાદ વરસ્‍યો હતો. ધોધમાર વરસાદમાં સાકરતોડ નદીમાં ઘોડાપૂર આવવાને કારણે તલાવલી વિસ્‍તારમાં પાણી ભરાવાના કારણે ફસાયેલા 15 જેટલા વ્‍યક્‍તિઓનું દાનહ ફાયર વિભાગની ટીમે રેસ્‍ક્‍યુ કરી બહાર લાવવામાં આવ્‍યા હતા. રેસ્‍ક્‍યુ કરાયેલા લોકોને પ્રશાસન દ્વારા સરકારી શાળામાં રહેવા અને જમવા તેમજ પાણીની વ્‍યવસ્‍થા કરવામાં આવી હતી.
આ ઘટનાની જાણ થતાં જિલ્લા કલેક્‍ટર, ખાનવેલના નિવાસી નાયબ કલેક્‍ટર સહિતને થતાં પ્રશાસનની ટીમ અને જિલ્લા પંચાયત પ્રમુખ, પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ દોડી ગયા હતા અને રેસ્‍ક્‍યુ કરાયેલા લોકોના હાલચાલ પૂછ્‍યા હતા અને જરૂરી તમામ સુવિધાઓ પુરી પાડવા બાહેંધરી આપી હતી.
દાનહ મુખ્‍ય મથક સેલવાસમાં પણ 63.6એમએમ/ 2.42ઇંચ જેટલો વરસાદ વરસ્‍યો હતો. ખાનવેલમાં 65.2એમએમ/2.57 ઇંચ વરસાદ વરસ્‍યો હતો. સિઝનનો કુલ વરસાદ સેલવાસમાં 2867.2 એમએમ/ 112.88 ઇંચ અને ખાનવેલમાં2774.4 એમએમ/ 109.23ઇંચ થયો છે. મધુબન ડેમની જળસપાટી 76.55 મીટરે નોંધાઈ હતી. ડેમમાં પાણીની આવક 21743 ક્‍યુસેક છે અને પાણીની જાવક 16945 ક્‍યુસેક હોવાનું મધુબન જળાશયના સત્તાધિશો દ્વારા જાણવા મળ્‍યું હતું.

Related posts

નાની દમણ કોલેજ રોડ ઉપર થયેલ મારામારીના ગુનાના આરોપીઓને તા. ૨૧ સપ્ટે. સુધીના પોલીસ રિમાન્ડ

vartmanpravah

ધરમપુર- કપરાડામાં આરોગ્‍યલક્ષી સેવા હવે વધુ સુદઢ બનશે, પીએમના સંભવિત કાર્યક્રમમાં નવા 8 પેટા આરોગ્‍ય કેન્‍દ્રનું લોકાર્પણ થશે: દર્દીઓની સુવિધા માટે રૂ. 1.60 કરોડના ખર્ચે અદ્યતન સુવિધાયુક્‍ત કેન્‍દ્ર બનાવાયા

vartmanpravah

કૌંચા ગ્રામ પંચાયતના તમામ ગામોમાં ‘‘સરકાર આપકે દ્વાર” શિબિર યોજાઈ

vartmanpravah

દાનહ શિક્ષણ વિભાગ દ્વારા પૂર્વ પ્રાથમિક શિક્ષકો માટે આયોજીત તાલીમનું મસાટ હાઈસ્‍કૂલ ખાતે સમાપન

vartmanpravah

વલસાડ જિલ્લામાં વિજેતા ભાજપના પાંચ ધારાસભ્‍યો પૈકી ભૂપેન્‍દ્ર પટેલની નવી કેબિનેટમાં બે સ્‍થાનની શક્‍યતા

vartmanpravah

પ્રદેશ ભાજપ પ્રભારી દુષ્‍યંતભાઈ પટેલના દિશા-નિર્દેશ હેઠળ દાનહ અને દમણ-દીવ ભાજપના સક્રિય સદસ્‍યતા સમિતિના સંયોજક તરીકે નવિનભાઈ પટેલની કરાયેલી વરણી

vartmanpravah

Leave a Comment