April 25, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદેશસેલવાસ

દાનહના ખાનવેલ વિસ્‍તારમાં બે ઇંચથી વધુ વરસાદઃ સાકરતોડ નદીમાં આવેલો ઘોડાપૂર

તલાવલીમાં આવેલા પૂરમાં ફસાયેલા 15થી વધુ વ્‍યક્‍તિઓનું કરાયું રેસ્‍ક્‍યુ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.04 : ગુજરાતના વલસાડ અને મહારાષ્‍ટ્રના પાલઘર જિલ્લાને અડીને આવેલા કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલીમાં બુધવારની વહેલી સવારથી મોડી સાંજે સુધીમાં બે ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો. જેમાં ખાનવેલ વિસ્‍તારમાં ભારે વરસાદ વરસ્‍યો હતો. ધોધમાર વરસાદમાં સાકરતોડ નદીમાં ઘોડાપૂર આવવાને કારણે તલાવલી વિસ્‍તારમાં પાણી ભરાવાના કારણે ફસાયેલા 15 જેટલા વ્‍યક્‍તિઓનું દાનહ ફાયર વિભાગની ટીમે રેસ્‍ક્‍યુ કરી બહાર લાવવામાં આવ્‍યા હતા. રેસ્‍ક્‍યુ કરાયેલા લોકોને પ્રશાસન દ્વારા સરકારી શાળામાં રહેવા અને જમવા તેમજ પાણીની વ્‍યવસ્‍થા કરવામાં આવી હતી.
આ ઘટનાની જાણ થતાં જિલ્લા કલેક્‍ટર, ખાનવેલના નિવાસી નાયબ કલેક્‍ટર સહિતને થતાં પ્રશાસનની ટીમ અને જિલ્લા પંચાયત પ્રમુખ, પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ દોડી ગયા હતા અને રેસ્‍ક્‍યુ કરાયેલા લોકોના હાલચાલ પૂછ્‍યા હતા અને જરૂરી તમામ સુવિધાઓ પુરી પાડવા બાહેંધરી આપી હતી.
દાનહ મુખ્‍ય મથક સેલવાસમાં પણ 63.6એમએમ/ 2.42ઇંચ જેટલો વરસાદ વરસ્‍યો હતો. ખાનવેલમાં 65.2એમએમ/2.57 ઇંચ વરસાદ વરસ્‍યો હતો. સિઝનનો કુલ વરસાદ સેલવાસમાં 2867.2 એમએમ/ 112.88 ઇંચ અને ખાનવેલમાં2774.4 એમએમ/ 109.23ઇંચ થયો છે. મધુબન ડેમની જળસપાટી 76.55 મીટરે નોંધાઈ હતી. ડેમમાં પાણીની આવક 21743 ક્‍યુસેક છે અને પાણીની જાવક 16945 ક્‍યુસેક હોવાનું મધુબન જળાશયના સત્તાધિશો દ્વારા જાણવા મળ્‍યું હતું.

Related posts

સેલવાસ ભાજપાયુમોના અધ્‍યક્ષ વિશ્વરાજસિંહ દોડિયાએ થ્રીડીમાં હાયર એજ્‍યુકેશનની ઓર વધુ કોલેજો શરૂકરવા કરેલી રજૂઆત

vartmanpravah

…તો યુરોકોસ્‍ટિક પ્રોડક્‍ટ લિ.ના લીઝને રદ્‌ કરવાની સત્તા પ્રશાસન હસ્‍તક હોવી જોઈએ

vartmanpravah

મલાવ રેલવે ફાટક ઉપર મુસાફરો ભરેલી એસટી બસ ખોટકાતા થોડા સમય માટે સર્જાયેલો ભયનો માહોલ

vartmanpravah

વલસાડની યુવતિની મહેસાણા વડસ્‍મા ફાર્મસી કોલેજમાં હત્‍યા : કોર્ટે આરોપી પ્રણવને ત્રણ દિવસના પોલીસ રિમાન્‍ડ આપ્‍યા

vartmanpravah

શ્રાવણ મહિનાના છેલ્લા દિવસે વાપી જલારામ મંદિરે મહાપ્રસાદનું કરાયેલું આયોજન

vartmanpravah

વલસાડના ધારાસભ્‍ય ભરતભાઈ પટેલ દ્વારા શ્રી ચંદ્રમોલિશ્વર મહાદેવજી મંદીર ખાતે સ્‍નેહમિલન કાર્યક્રમ યોજાયો

vartmanpravah

Leave a Comment