September 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ઘેજ ગામની સહકારી મંડળીની વાર્ષિક સાધારણ સભા યોજાઈ

ખેડૂતો સ્‍પર્ધાત્‍મક ખેતી ગુણવતા યુક્‍ત ઉત્‍પાદન અને નૈનો
ખાતર તરફ વળે તે જરૂરી-ચેરમેન ભરતભાઈ પટેલ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી (વંકાલ), તા.15: ઘેજ વિભાગ વિવિધ કાર્યકારી સહકારી મંડળીની ગોડાઉન ફળીયા સ્‍થિત કચેરીમાં ચેરમેન ભરતભાઈ, વાઇસ ચેરમેન ઉત્તમભાઈ, ઉપરાંત ઉકાભાઈ, જયેશભાઈ, અતિકભાઈ, ગમનભાઈ સહિતના ડિરેક્‍ટરો, એપીએમસીના ડિરેક્‍ટર ધર્મેશભાઈ પટેલ સહિતનાની ઉપસ્‍થિતિમાં યોજાયેલી વાર્ષિક સાધારણ સભામાં અગાઉની સભાની કાર્યવાહી ઉપરાંત નવી ચૂંટાયેલી બોડીને પણ સર્વાનુમતે બહાલી આપવામાં આવી હતી.
વાર્ષિક સાધારણ સભામાં ઉપસ્‍થિત ખેડૂતોને સંબોધતા મંડળીના ચેરમેન ભરતભાઈ પટેલે મંડળીની વર્તમાન સ્‍થિતિનો ચિતાર આપતા જણાવ્‍યું હતું કે આવનારા દિવસોમાં દુકાન ફળીયા સ્‍થિત મંડળીના બીજા ગોડાઉનનો વિકાસ કરી મંડળીની આવકમાં વધારો થવા સાથે ખેડૂતોને વધુમાં વધુ લાભ મળે તે દિશામાં કામગીરી હાથ ધરવામાં આવશે. વધુમાં ચેરમેન ભરતભાઈએ ખેડૂતો મંડળીમાંથી ખાતર ખરીદવાનો આગ્રહ રાખે અને નૈનો યુરિયા, ડીએપી ખાતરનો ઉપયોગ વધારે તેવો અનુરોધ કરી વર્તમાન સમયમાં સ્‍પર્ધાત્‍મક ખેતી કરી ગુણવતાયુક્‍ત ઉત્‍પાદન તરફ વળે તેનાપર ભાર મુકયો હતો.
તાલુકા પંચાયત સભ્‍ય ધર્મેશભાઈએ મંડળીના ચૂંટાયેલા તમામ ડિરેક્‍ટરો અને ચેરમેન, વાઇસ ચેરમનને અભિનંદન પાઠવી આભારવિધિ કરી હતી. વાર્ષિક સાધારણ સભામાં ભરડાના ખેડૂત અગ્રણી ખાલપભાઈ ઉપરાંત છગનકાકા પૂર્વ તાલુકા સભ્‍ય અમ્રતભાઈ, અશોકભાઈ છતરિયા સહિતના અગ્રણીઓ ઉપસ્‍થિત રહ્યા હતા. સભામાં મંડળીના સમગ્ર વર્ષના હિસાબના લેખા-જોખા સેક્રેટરી ધર્મેશભાઈએ રજૂ કરી સભાનું સંચાલન કર્યું હતું.

Related posts

દમણ જિલ્લા આદિવાસી સાંસ્‍કૃતિક ભવન ખાતે આદિવાસી સમાજની યોજાયેલી સામાન્‍ય સભા

vartmanpravah

દાદરા નગર હવેલીમાં સાત દિવસના ગણપતિની મૂર્તિઓનું વિસર્જન કરાયું

vartmanpravah

ખાનવેલના ખુટલી ગામ સ્‍થિત ટાઈમ ટેક્‍નોપ્‍લાસ્‍ટ લિ. કંપનીના કર્મચારીઓની પગાર અને એરીયર્સ સંદર્ભે કલેક્‍ટરને રજૂઆત

vartmanpravah

દમણવાડા ગ્રા.પં.ના 61મા સ્‍થાપના દિવસની આનંદ ઉમંગ અને ઉત્‍સાહથી ઉજવણી: પૂર્વ સરપંચો અને સદ્‌ગત સરપંચોના પરિવારનું મોમેન્‍ટો અને શાલથી કરાયેલું સન્‍માન

vartmanpravah

વિજયોત્સવ મનાવવામાં આવ્યો

vartmanpravah

2024ની લોકસભા ચૂંટણીને ધ્‍યાનમાં રાખી ભાજપ રાષ્‍ટ્રીય અધ્‍યક્ષ જે.પી.નડ્ડાએ રાજ્‍યોના પ્રભારીઓની કરેલી નિયુક્‍તિ – સંઘપ્રદેશના નવા ભાજપ પ્રભારી તરીકે સાંસદ વિનોદ સોનકરની નિયુક્‍તિ

vartmanpravah

Leave a Comment