Vartman Pravah
Breaking Newsદમણદીવદેશસેલવાસ

સંઘપ્રદેશ દાનહમાં “વન્‍યજીવ સપ્તાહ” અંતર્ગત વક્તૃત્વ સ્‍પર્ધા યોજાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.06 : દાદરા નગર હવેલી અને દમણ દીવ વનવિભાગ દ્વારા 02ઓક્‍ટોબરથી “વન્‍યજીવ સપ્તાહ”નું આયોજન કરવામાં આવેલ છે જેમાં વિદ્યાર્થીઓ માટે વિવિધ સ્‍પર્ધાઓનું આયોજન કરવામાં આવ્‍યું હતું, જે સંદર્ભે કલા કેન્‍દ્ર સેલવાસ ખાતે ધોરણ 6થી 9ના સરકારી અને ખાનગી શાળાના વિદ્યાર્થીઓ માટે વક્તૃત્વ સ્‍પર્ધાનું આયોજન કરવામાં આવ્‍યું હતું. કાર્યક્રમનો શુભારંભ ઉપસ્‍થિત વનવિભાગના અધિકારી અને શાળાના આચાર્યશ્રીના હસ્‍તે દીપ પ્રાગટ્‍ય કરી કરવામાં આવ્‍યો હતો. સ્‍પર્ધામાં વિજેતા વિદ્યાર્થીઓને “વન્‍યજીવ સપ્તાહ”ના અંતિમ દિવસે પ્રોત્‍સાહિત ઈનામ આપવામાં આવશે. આ અવસરે વન વિભાગના અધિકારીઓ કર્મચારીઓ શાળાના આચાર્ય સહિત વિદ્યાર્થીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

વલસાડ એસટી વિભાગીય કચેરી દ્વારા પડતર પ્રશ્નોના નિકાલ માટે ઓપન હાઉસની નવી પહેલ

vartmanpravah

જિલ્લા વિજ્ઞાન કેન્‍દ્ર ધરમપુર ખાતે સ્‍વતંત્રતાના 75 વર્ષઃ વિજ્ઞાન અનેટેકનોલોજીમાં ભારતની સિદ્ધિઓપ્રદર્શનનું ઉદ્‌ઘાટન કરાયું

vartmanpravah

મેઘરાજાની શાહી સવારીની સાથે ત્રીજા દિવસે વંદે ગુજરાત વિકાસ યાત્રાનો રથ ધમડાચી ગામે આવી પહોંચ્યો

vartmanpravah

વાપી સલવાવ બાપા સીતારામ આશ્રમમાં સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન યોજાયા

vartmanpravah

વાપી પાલિકા જીયુડીસી સંચાલિત સુએઝ ટ્રીટમેન્‍ટ પ્‍લાન્‍ટ સામે સ્‍થાનિકોએ વિરોધ નોંધાવ્‍યો

vartmanpravah

જિલ્લામાં “સ્વભાવ સ્વચ્છતા, સંસ્કાર સ્વચ્છતા”ની થીમ સાથે દરેક તાલુકાઓમાં સ્વચ્છતાની કામગીરી કરવામાં આવી

vartmanpravah

Leave a Comment