November 30, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

શ્રી ઘનશ્‍યામ વિદ્યામંદિર સલવાવમાં મુક્‍ત પ્રયોગશાળાની શરૂઆત

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.15: શ્રી ઘનશ્‍યામ વિદ્યામંદિર અને શ્રી સ્‍વામિનારાયણ સેકન્‍ડરી અને હાયર સેકન્‍ડરી સ્‍કૂલ, સલવાવ ગુજરાતી માધ્‍યમમાં ‘‘મુક્‍ત પ્રયોગશાળા પરિયોજના” ની શરૂઆત કરવામાં આવી છે.
શ્રી સ્‍વામિનારાયણ શિક્ષણ સેવા કેન્‍દ્ર સલવાવ સંચાલિત શ્રી ઘનશ્‍યામ વિદ્યામંદિર અને શ્રી સ્‍વામિનારાયણ સેકન્‍ડરી તથા હાયર સેકન્‍ડરી સ્‍કૂલનાં વિદ્યાર્થીઓમાં રહેલા વૈજ્ઞાનિક કૌશલ્‍યને બહાર લાવવા શાળાના આચાર્ય ચંદ્રવદન પટેલના માર્ગદર્શન હેઠળ ‘‘મુકત પ્રયોગશાળા પરીયોજના”ની શરૂઆતકરવામાં આવી છે. આ મુકત પ્રયોગના હેઠળ શાળાના વિદ્યાર્થીઓ શાળા મકાન બહાર મુકેલા ટેબલ ઉપર પોતે તૈયાર કરેલા પ્રોજેક્‍ટ, વિજ્ઞાન મોડેલ વગેરે મુકી વિશ્રાંતી સમય દરમિયાન તેનુ પ્રદર્શન કરી શકશે. આ કાર્ય એકલ વિદ્યાર્થી કે વિદ્યાર્થી ગ્રુપમાં કરી શકશે અને પોતાનામાં રહેલાં બાળ વૈજ્ઞાનિકને ખીલવી શકશે. સાથે સમાજને ઉપયોગી એવાં પ્રોજેક્‍ટ રજૂ થશે જે સમાજ નવનિર્માણ ઉપયોગી બની શકે અને વિશેષમાં વિજ્ઞાન પ્રત્‍યે અભિરુચિ વધારી ભવિષ્‍યના વૈજ્ઞાનિક બની શકે.
આ પરિયોજનાની શરૂઆત કરનારા વિદ્યાર્થિઓને સંસ્‍થાનાં મે. ટ્રસ્‍ટી પૂજ્‍ય કપિલ સ્‍વામીજી, પૂજ્‍ય રામ સ્‍વામી, ડાયરેકટર ડો.શૈલેશ લુહારએ કાર્યને બિરદાવી અભિનંદન પાઠવ્‍યા હતા.

Related posts

પિપરિયા પર હુમલો,  પોર્ટુગીઝોના અત્‍યાચારી રાજ્‍યમાં રહેલા નાગરિકોને સંઘના સ્‍વયંસેવકોના આદર્શ વ્‍યવહારની કલ્‍પના આવે પણ કેવી રીતે?

vartmanpravah

દાનહઃ અથાલમાં કન્‍ટેઈનરની અડફેટે એક યુવતિનું ઘટના સ્‍થળ પર જ થયેલું મોત

vartmanpravah

સરકારી ઉચ્‍ચતર માધ્‍યમિક શાળા દીવમાં ‘‘વિશ્વ આત્‍મહત્‍યા નિવારણ દિવસ” ની કરવામાં આવી ઉજવણી

vartmanpravah

વલસાડ જિલ્લા ગ્રામ વિકાસ એજન્‍સીમાં ફંડ મેળવવા માટે બોગસ સખી મંડળ ઉભુ કરી 6.30 લાખના ફંડની ઉચાપત કરનારા ત્રણના આગોતરા જામીન કોર્ટે ફગાવ્‍યા

vartmanpravah

દાનહમાં શાળા અને આંગણવાડીના કુલ 12236 બાળકોનું પહેલાં દિવસે કરાયું આરોગ્‍ય સ્‍ક્રીનિંગ

vartmanpravah

વલસાડ જિલ્લામાં ગુમ/અપહરણ થયેલા 79 બાળકો/વ્‍યક્‍તિઓને બે માસમાં પોલીસે શોધી કાઢયા

vartmanpravah

Leave a Comment