Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદમણદીવદેશવલસાડસેલવાસ

સેલવાસ નગરપાલિકા દ્વારા ‘સફાઇ મિત્ર સુરક્ષા’ શિબિર યોજાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.26: સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના દિશા-નિદેર્શ અને કુશળ માર્ગદર્શનમાં સેલવાસ નગરપાલિકા પ્રમુખ શ્રીમતી રજની શેટ્ટીની અધ્‍યક્ષતામાં અને ચીફ ઓફિસર શ્રી સંગ્રામસિંહ શિંદેના ખાસ ઉપસ્‍થિતિમાં નેતૃત્‍વમાં ‘સ્‍વચ્‍છતા હી સેવા મિશન-2024′, ‘સ્‍વભાવ સ્‍વચ્‍છતા’, ‘સંસ્‍કાર સ્‍વચ્‍છતા મિશન’ અંતર્ગત નગરપાલિકા દ્વારા વિવિધ કાર્યક્રમ આયોજીત કરવામાં આવ્‍યો હતો. જેના અંતર્ગત નગરપાલિકા પરિસર ખાતે ‘સફાઇ મિત્ર સુરક્ષા’ શિબિરનું આયોજન કરવામાં આવ્‍યું હતું.
આ અવસરે સ્‍વચ્‍છતા કર્મચારીઓ અને સુપરવાઇઝરોના આરોગ્‍યની તપાસ કરવામાં આવી હતી. સાથે સાથે સી.એસ.આર. અંતર્ગત સ્‍વચ્‍છતા કર્મચારીઓ માટે ગ્રુપ એક્‍સિડન્‍ટ ગાર્ડ પોલીસીનો લાભ પણ આપવામાં આવ્‍યો હતો. ગ્રુપ એક્‍સિડન્‍ટ ગાર્ડ પોલીસી એ એક વ્‍યાપક વીમા કવચ છે. જે કોઈપણ અકસ્‍માતની ઘટના કે દુર્ઘટના બાદ સુરક્ષા આપેછે. આ પોલીસી અંતર્ગત દુર્ઘટનામાં થતા નુકસાનને ઓછો કરવા માટે કેટલાક પ્રકારના લાભ મળે છે. આ પોલીસી અંતર્ગત 499 રૂપિયા વર્ષના પ્રીમિયમ પર દસ લાખ રૂપિયાનું વીમા કવચ મળે છે. આ પોલીસીમાં દુર્ઘટનાથી થતુ મોત, સ્‍થાયી અથવા આંશિક વિકલાંગતા, અંગ વિચ્‍છેદ અથવા પેરેલિસિસ જેવી સ્‍થિતિમાં વિમાનો લાભ મળે છે.
અત્રે આયોજીત‘સફાઈ મિત્ર સુરક્ષા’ શિબિરમાં નગરપાલિકાના વોર્ડ કાઉન્‍સિલરો, આરોગ્‍ય વિભાગના કર્મચારીઓની ટીમ સહિત નગરપાલિકાના કર્મચારીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

વલસાડ લીલાપોરમાં 100 વર્ષ પૌરાણિક વડનું ઝાડ ધરાશાયી : વીજ ડીપી, ટેમ્‍પો અને દુકાન દબાયા

vartmanpravah

પ્રધાનમંત્રી 16 ડિસેમ્બરે એગ્રો અને ફૂડ પ્રોસેસિંગ પર રાષ્ટ્રીય શિખર સંમેલન દરમિયાન ખેડૂતોને સંબોધિત કરશે

vartmanpravah

વલસાડ જિલ્લામાં કોરોનાનો કહેર : કપરાડા, અંભેટી નવોદય વિદ્યાલયના 13 વિદ્યાર્થીઓ સંક્રમિત

vartmanpravah

વાપી રોટરી હરિયા હોસ્‍પિટલને કિડની ટ્રાન્‍સપ્‍લાન્‍ટ સેન્‍ટરની માન્‍યતા મળી મુંબઈથી સુરત વચ્‍ચે પ્રથમ કીડની ટ્રાન્‍સપ્‍લાન્‍ટ યુનિટ વાપીમાં કાર્યરત થશે

vartmanpravah

તા.૧૫મી જાન્‍યુઆરીએ વલસાડ જિલ્લા પુરવઠા સલાહકાર સમિતિની બેઠક મળશે

vartmanpravah

જર્જરિત મકાનના સ્‍થાને નવું મકાન બનાવવા મુખ્‍યમંત્રીને રજૂઆત કરવા છતાં હલ નહીં નીકળતાં બિલપુડી વનસેવા મહા વિદ્યાલયના વિદ્યાર્થીઓનું 36 કલાકથી મામલતદાર કચેરીએ ધરણાં-પ્રદર્શન

vartmanpravah

Leave a Comment