વલસાડઃતા.૨૨: વલસાડ જિલ્લા તિજોરી કચેરીમાંથી પેન્શન મેળવતા રાજ્ય સરકારના પેન્શનરો અને કુટુંબ પેન્શનરોએ નાણાં વિભાગના ઠરાવ અનુસાર દર વર્ષે મે થી જુલાઇ માસ દરમિયાન કરવાની વાર્ષિક હયાતીની ખરાઇ કરાવવાની થાય છે. પેન્શનર કે કુટુંબ પેન્શનર જે બેન્કમાંથી પેન્શન મેળવે છે તે બેન્કમાં જઇ હયાતીની ખરાઇ કરાવી લેવાની રહેશે. હયાતીની ઓનલાઇન ખરાઇ માટે પોર્ટલની વેબસાઇટ www.jeevanpraman.gov.in ઉપર પણ કરાવી શકાય છે, તેમ જિલ્લા તિજોરી અધિકારી, વલસાડ દ્વારા જણાવાયું છે.
Previous post