July 21, 2026
Vartman Pravah
Breaking Newsદમણદીવદેશસેલવાસ

સંઘપ્રદેશના મુખ્‍ય વન સંરક્ષક કે.રવિચંદ્રન રિલીવઃ મુખ્‍ય વન સંરક્ષક તરીકે પ્રશાંત રાજગોપાલને વધારાનો અખત્‍યાર

  • સંઘપ્રદેશ પ્રશાસનમાં નાણાં સચિવ ગૌરવસિંહ રાજાવતની કાર્યક્ષમતા અને પ્રશાસનિક સૂઝબુઝથી વધેલું કદઃ પ્રદેશની પ્રદૂષણ નિયંત્રણ સમિતિ અને દમણ-દીવ કોસ્‍ટલ ઝોન મેનેજમેન્‍ટ ઓથોરિટીના સભ્‍ય સચિવ તરીકેની સોંપવામાં આવેલી વધારાની જવાબદારી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)

દમણ, તા. 09

સંઘપ્રદેશ પ્રશાસને પ્રદેશના મુખ્‍ય વન સંરક્ષક શ્રી કે.રવિચંદ્રનને રિલીવ કરવાનો આદેશ જારી કરી તેમના સ્‍થાને એગ્‍મૂટ કેડર-2006ના આઈ.એફ.એસ. અધિકારી શ્રી પ્રશાંત રાજગોપાલને વધારાનો અખત્‍યાર સોંપવામાં આવ્‍યો છે.

સંઘપ્રદેશના નાણાં સચિવ શ્રી ગૌરવસિંહ રાજાવતને દાદરા નગર હવેલી અને દમણ-દીવ પ્રદૂષણ નિયંત્રણ સમિતિના સભ્‍ય સચિવ અને દમણ-દીવ કોસ્‍ટલ ઝોન મેનેજમેન્‍ટ ઓથોરિટીના સભ્‍ય સચિવ તરીકે વધારાનો અખત્‍યાર સોંપવામાં આવ્‍યો છે.

સંઘપ્રદેશના નાણાં સચિવ શ્રી ગૌરવસિંહ રાજાવત કર્મઠ અધિકારી તરીકેની પોતાની છાપ ધરાવે છે અને તેમને સોંપવામાં આવેલ ટાર્ગેટ તેઓ સમય પહેલાં પૂર્ણ કરવામાં માનતા હોવાથી પ્રદેશ માટે મહત્ત્વની ગણાતી પ્રદૂષણ નિયંત્રણ સમિતિ અને દમણ-દીવ કોસ્‍ટલ ઝોન મેનેજમેન્‍ટ ઓથોરિટીના સભ્‍ય સચિવ તરીકે નિયુક્‍ત કરવામાં આવ્‍યા છે.

Related posts

જંગલ જનજીવન આંદોલન દ્વારા આયોજીત અસ્‍મિતા રેલીમાં દાનહના બેદરકાર અને લાપરવાહ રાજકીય નેતાઓના કારણે આદિવાસી સમાજને થઈ રહેલા અન્‍યાયનો પડેલો પડઘો

vartmanpravah

સીજીએસટી વિભાગ દ્વારા આઝાદીના અમૃત મહોત્‍સવ અંતર્ગત આયોજીત રખોલી ખાતે 103 લાભાર્થીઓને પ્રધાનમંત્રીની વિવિધ લોન યોજના હેઠળરૂા.32 કરોડના ચેકોનું કરાયેલું વિતરણ

vartmanpravah

દાનહના સાંસદ કલાબેન ડેલકરે ટોરેન્‍ટ પાવર દ્વારા દાનહ સહિત પ્રદેશમાં વીજ દરમાં કરેલા વધારા સામે દેશના ગૃહમંત્રી અને ઊર્જામંત્રીને કરેલી રજૂઆત

vartmanpravah

નાની વહિયાળ હાઈસ્કૂલમાં મફત ૩૦૦૦ નોટબુકનું કરાયેલું વિતરણ

vartmanpravah

કિકરલા ખાતે બે મોટર સાયકલ સામ સામે અથડાતા થયો ગંભીર અકસ્‍માત

vartmanpravah

દાનહના સુપ્રસિદ્ધ ધારાશાસ્ત્રી અને યુવા આદિવાસી નેતા સની ભીમરાએ ખરડપાડાના ખાડીપાડા વિસ્‍તારની લીધેલી મુલાકાતઃ ગામલોકો સાથે કરેલી ચર્ચા-વિચારણાં

vartmanpravah

Leave a Comment