April 16, 2026
Vartman Pravah
Breaking Newsદમણદીવદેશસેલવાસ

સંઘપ્રદેશના મુખ્‍ય વન સંરક્ષક કે.રવિચંદ્રન રિલીવઃ મુખ્‍ય વન સંરક્ષક તરીકે પ્રશાંત રાજગોપાલને વધારાનો અખત્‍યાર

  • સંઘપ્રદેશ પ્રશાસનમાં નાણાં સચિવ ગૌરવસિંહ રાજાવતની કાર્યક્ષમતા અને પ્રશાસનિક સૂઝબુઝથી વધેલું કદઃ પ્રદેશની પ્રદૂષણ નિયંત્રણ સમિતિ અને દમણ-દીવ કોસ્‍ટલ ઝોન મેનેજમેન્‍ટ ઓથોરિટીના સભ્‍ય સચિવ તરીકેની સોંપવામાં આવેલી વધારાની જવાબદારી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)

દમણ, તા. 09

સંઘપ્રદેશ પ્રશાસને પ્રદેશના મુખ્‍ય વન સંરક્ષક શ્રી કે.રવિચંદ્રનને રિલીવ કરવાનો આદેશ જારી કરી તેમના સ્‍થાને એગ્‍મૂટ કેડર-2006ના આઈ.એફ.એસ. અધિકારી શ્રી પ્રશાંત રાજગોપાલને વધારાનો અખત્‍યાર સોંપવામાં આવ્‍યો છે.

સંઘપ્રદેશના નાણાં સચિવ શ્રી ગૌરવસિંહ રાજાવતને દાદરા નગર હવેલી અને દમણ-દીવ પ્રદૂષણ નિયંત્રણ સમિતિના સભ્‍ય સચિવ અને દમણ-દીવ કોસ્‍ટલ ઝોન મેનેજમેન્‍ટ ઓથોરિટીના સભ્‍ય સચિવ તરીકે વધારાનો અખત્‍યાર સોંપવામાં આવ્‍યો છે.

સંઘપ્રદેશના નાણાં સચિવ શ્રી ગૌરવસિંહ રાજાવત કર્મઠ અધિકારી તરીકેની પોતાની છાપ ધરાવે છે અને તેમને સોંપવામાં આવેલ ટાર્ગેટ તેઓ સમય પહેલાં પૂર્ણ કરવામાં માનતા હોવાથી પ્રદેશ માટે મહત્ત્વની ગણાતી પ્રદૂષણ નિયંત્રણ સમિતિ અને દમણ-દીવ કોસ્‍ટલ ઝોન મેનેજમેન્‍ટ ઓથોરિટીના સભ્‍ય સચિવ તરીકે નિયુક્‍ત કરવામાં આવ્‍યા છે.

Related posts

ચીખલી પંથકમાં કમોસમી વરસાદથી કેરીના પાકને નુકસાન : કરા પડયા

vartmanpravah

વાંસદા ખાતે રાજ્‍યકક્ષાના વન અને પર્યાવરણ મંત્રી મુકેશભાઈ પટેલના અધ્‍યક્ષસ્‍થાને ‘‘વિશ્વ આદિવાસી દિવસ” ઉજવાયો

vartmanpravah

વાપી જીઆઈડીસી ચાર રસ્‍તાથી સેલવાસ રોડની કામગીરીના પ્રારંભ સાથે જ ઉદ્‌ભવેલી ટ્રાફિક સમસ્‍યા

vartmanpravah

દમણ જિલ્લા અને સેશન્‍સ કોર્ટનો મહત્વનો નિર્ણયઃ પ્રેમિકાની હત્‍યાનો પ્રયાસ કરવા બદલ પ્રેમી દોષિત

vartmanpravah

ઉમરગામ નવી જીઆઈડીસીમાંથી ગુટખાનો જથ્‍થો ઝડપાયો : ગુટખા સહિત 3 વાહનો મળી રૂપિયા એક કરોડનો મુદ્દામાલ જપ્ત : ચાર આરોપીની કરેલી ધરપકડ

vartmanpravah

દાદરા નગર હવેલીમાં વિવિધ મંદિરોમાં ઉત્‍સાહભેર જલારામ જયંતીની કરાયેલી ઉજવણી

vartmanpravah

Leave a Comment