August 31, 2026
Vartman Pravah
Breaking Newsદીવદેશ

દીવમાં અમરેલીથી આવેલ પર્યટકનો ખોવાયેલો મોબાઈલ માત્ર ૧૦ જ મીનિટમાં શોધીને પરત આપી ટ્રાફિક પોલીસે કરેલી સરાહનીય કામગીરી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દીવ, તા.18
દીવમાં અમરેલીથી આવેલ પર્યટકનો મોબાઈલ શોધીને 10 મીનિટમાંજ પરત આપી ટ્રાફિક પોલીસે સરાહનીય કામગીરી કરી હતી.
દીવમાં રજાના દિવસો તથા શનિ-રવિના રોજ દીવમાં પર્યટકોનો ઘસારો જોવા મળ્‍યો હતો. હાલ મકરસંક્રાંતિની રજા હતી. તેથી દીવમાં રજાની મજા માણવા લોકો દીવ આવી પહોંચ્‍યા હતા. તે દરમિયાન દીવના બસ સ્‍ટેન્‍ડમાં અમરેલીના રહેવાસી પરીબેન કેતન ધામતનો સેમસંગનો સ્‍માર્ટ મોબાઈલ 30 હજારની કિંમતનો ગુમ થઈ ગયો હતો. જેની ફરીયાદ દીવ પુલ પાસે ફરજ બજાવતા પોલીસ હેડ કોન્‍સ્‍ટેબલ જયપ્રકાશ યાદવને કરી હતી.
ફરીયાદ સાંભળતા જ પી.સી. કિશોર પાચા, મનિષ પટેલ, દિવ્‍યેશ પટેલ, એલપીસી શોભા, આઈઆરબીએન નરેન્‍દ્ર સોલંકી, એલ.એચ.જી નેહા જેઠવા વગેરે દ્વારા મોબાઈલની શોધખોળ કરતા દશ મિનિટની અંદર મોબાઈલ શોધીને પરત આપતા પરિબેને તમામ પોલીસકર્મીઓનો આભાર વ્‍યક્‍ત કર્યો હતો અને પ્રશસાં કરી હતી.

Related posts

દાનહ અને દમણ-દીવમાં ભાજપના મિશન શંખનાદનો આરંભઃ દમણ ખાતે યોજાઈ કાર્યશાળા

vartmanpravah

વાપી ન્‍યાયાલય પરિસરમાં કેન્‍ટીન અને પાર્કીંગ પોલીસ બુથ જેવી સેવાઓનો પ્રારંભ

vartmanpravah

શુક્રવારથી વલસાડ જિલ્લાના સી.એન.જી. પમ્‍પ અચોક્કસ મુદતથી બંધ થશે

vartmanpravah

આજે દાનહ અને દમણ-દીવની ફૂટબોલ ટીમ નેશનલ ચેમ્‍પિયનશીપની સંતોષ ટ્રોફીની મેચ રમવા જયપુર જવા પ્રસ્‍થાન કરશે

vartmanpravah

ઉમરગામ જીઆઈડીસીની એસ.એન. એગ્રોફુડ કંપનીમાં લાગેલી ભીષણ આગ

vartmanpravah

વલસાડમાં કસ્તુરબા હોસ્પિટલ રૂ. ૧.પ૧ કરોડ અને તડકેશ્વર મહાદેવ મંદિર ટ્રસ્ટને રૂ. પ૧ લાખનું દાન રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ તરફથી મળ્યું

vartmanpravah

Leave a Comment