October 14, 2025
Vartman Pravah
સેલવાસ

દાનહ આરોગ્‍ય વિભાગ દ્વારા ઈન્‍ટરનેશનલ ડે ઓફ ક્‍લીન એયર ફોર બ્‍લુ સ્‍કાઈ ઉજવાયો

વાયુ પ્રદુષણને રોકવા માટે જનભાગીદારી જરૂરી છે
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.12
સંયુક્‍ત રાષ્‍ટ્ર મહાસભાએ પોતાના 74માં સત્ર દરમ્‍યાન 19 ડિસેમ્‍બર, 2019 ઈન્‍ટરનેશનલ ડે ઓફ ક્‍લીન એયર ફોર બ્‍લુ સ્‍કાઈ આયોજીત કરવાનો સંકલ્‍પ અપનાવ્‍યો હતો. જે અંતર્ગત સંપૂર્ણ વિશ્વ આ દિવસ મનાવે છે જેનો મુખ્‍ય ઉદેશ્‍ય દરેક સ્‍તરના વ્‍યક્‍તિ, સમુદાય, નિગમ અને સરકાર વગેરેમાં જાગરૂકતા વધારવાનો છે.
સ્‍વચ્‍છ હવા, આરોગ્‍ય , ઉત્‍પાદકતા અર્થવ્‍યવસ્‍થા અને પર્યાવરણની દૃષ્ટિએ ઘણું મહત્‍વપૂર્ણ છે. સાથે આ દિવસનો ઉદેશ્‍ય વાયુ ગુણવતા જેવા મહત્‍વપૂર્ણ વિષય પર કાર્ય કરનાર વિવિધ આંતરરાષ્‍ટ્રીય સંસ્‍થાઓને એક સાથે લાવવા માટે રણનીતિક ગઠબંધન તૈયાર કરવાનો પણ છે, જેનાથી પ્રભાવી વાયુ ગુણવતા પ્રબંધન માટે રાષ્‍ટ્રીય, ક્ષેત્રીય અને આંતરરાષ્‍ટ્રીય દૃષ્ટિકોણને ગતિ મળી શકે.
આરોગ્‍ય વિભાગ દ્વારા દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં પણ ઇન્‍ટરનેશનલ ડે ઓફ ક્‍લીન એયર ફોર બ્‍લુ સ્‍કાઈ ઉજવવામાં આવ્‍યો હતો. આ વર્ષે આ દિવસનો થીમ સ્‍વસ્‍થ હવા સ્‍વસ્‍થ ગ્રહ હતો. પ્રદેશના લોકોમા વાયુ પ્રદુષણ પ્રત્‍યે જાગળત કરવા વિવિધ કાર્યક્રમોનું આયોજનકરવામા આવ્‍યું હતું.
આ સંદર્ભે આરોગ્‍ય વિભાગ દ્વારા જણાવવામાં આવ્‍યું હતું કે, વાયુ પ્રદુષણ વિવિધ પ્રકારની માનવીય ગતિવિધિઓ જેવા કે ઈંધણ, ઔદ્યોગિક એકમમાંથી નીકળતો ધુમાડો, કળષિ અને ખેતરમાં પડેલ કચરાને સળગાવાથી વાતાવરણમા ઉત્‍સર્જિત ગેસો અને કણો બને છે. આ દિવસ મનાવવાનો ઉદેશ્‍ય લોકોમા વાયુ પ્રદુષણ પ્રત્‍યે જાગળત કરવાનો છે.
વાયું પ્રદૂષણના કારણે ગંભીર સમસ્‍યાનો સામનો કરવો પડે છે જેનાથી અસ્‍થમા, શરદી, આંખોમા જલન, શ્રવણ શક્‍તિ કમજોર થવી, ચામડીના રોગો વગેરે બીમારી પેદા થાય છે, હવાને સ્‍વચ્‍છ કરવા માટે લોકોની ભાગીદારી આવશ્‍યક છે. કાર-પુલિગ અને સાર્વજનિક પરિવહનનો ઉપયોગને પ્રોત્‍સાહિત કરવું જોઈએ.
વાયુ પ્રદુષણને રોક્‍વુ સંભવ છે પરંતુ એના માટે દરેકે જેમાં સામાન્‍ય નાગરિકોથી લઈ ખાનગી કંપનીઓએ એક સાથે એક મંચ પર આવી કામ કરવું પડશે.

Related posts

પ્રમુખ ગ્રુપના ડાયરેક્‍ટર સ્‍વ. દેવશીભાઈ ભાટુની સ્‍મૃતિમાં સેલવાસ બિલ્‍ડર એસોસિએશન દ્વારા આયોજીત રક્‍તદાન શિબિરમાં 130 યુનિટ રક્‍ત એકત્ર કરાયું

vartmanpravah

દાનહ આદિવાસી કલા ઉત્‍સવ સમિતિ દ્વારા યોજાનારા ‘તારપા’ મહોત્‍સવની તૈયારી આખરી ચરણમાં

vartmanpravah

દાનહ અને દમણ-દીવ પ્રદેશ ભાજપની નવી કારોબારીની જાહેરાત : પ્રદેશ મહામંત્રી વાસુભાઈ પટેલ અને પ્રદેશ કોષાધ્‍યક્ષ તુષારભાઈ દલાલની છુટ્ટી

vartmanpravah

સાવિત્રીબાઈ ફૂલે પૂણે વિશ્વ વિદ્યાલયમાં આયોજીત પ્રદર્શનમાં સંઘપ્રદેશના શિક્ષણ વિભાગે નિપૂણ ભારત-રમતાં રમતાં શીખો અભિયાન ઉપર લગાવેલું પ્રદર્શની બૂથ

vartmanpravah

સંઘપ્રદેશમાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં દમણની માછી મહાજન શાળાનો દબદબોઃ શાળાના વિદ્યાર્થી નિસર્ગ દિવેચા પ્રદેશમાં પ્રથમ પેટાઃ દર વખતની જેમ આ વર્ષે પણ ફિઝિક્‍સ અને કેમેસ્‍ટ્રીએ વિદ્યાર્થીઓને રડાવ્‍યાઃ ગત વર્ષની તુલનામાં આ વર્ષે પ્રદેશનું પરિણામ નીચું રહ્યું (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.02 ગુજરાત ઉચ્‍ચત્તર માધ્‍યમિક શિક્ષણ બોર્ડ ધોરણ 12ના વિજ્ઞાન પ્રવાહનું પરિણામ આજે જાહેર થયું હતું. જેમાં દમણ જિલ્લાનું 55.04 ટકા, દીવ જિલ્લાનું 33.89 અને દાદરા નગર હવેલી જિલ્લાનું પરિણામ 57.14 ટકા રહ્યું હતું. દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં 85.69 ટકા સાથે પ્રદેશમાં પ્રથમ આવવાનું બહુમાન શ્રી માછી મહાજન હાયર સેકન્‍ડરી સ્‍કૂલના વિદ્યાર્થી શ્રી નિસર્ગ કમલકાંત દિવેચાને પ્રાપ્ત થયું છે. જ્‍યારે પ્રદેશમાં દ્વિતીય સ્‍થાને સાર્વજનિક વિદ્યાલય દમણની વિદ્યાર્થીની કુ. ઈશા સુરેશ પટેલ 83.40 ટકા અને તૃતિય સ્‍થાને દાદરાની સરકારી હાયર સેકન્‍ડરી સ્‍કૂલની વિદ્યાર્થીની કુ. ઈશા રાજેશ સિંઘ રહી હતી. દમણ અને દીવ જિલ્લાનું પરિણામ ગયા વર્ષ કરતાંઓછું રહેવા પામ્‍યું છે. આ પરિણામને શ્રી માછી મહાજન સ્‍કૂલના બે વિદ્યાર્થીઓએ બાજી મારી દમણ-દીવમાં પ્રથમ ક્રમમાં જગ્‍યા બનાવી છે. દમણના શિક્ષણ વિભાગ દ્વારા જારી કરાયેલ માહિતી પ્રમાણે દમણની સરકારી અને ખાનગી સ્‍કૂલના 476 વિદ્યાર્થીઓએ 12 સાયન્‍સની પરીક્ષા આપી હતી. જે પૈકી 262 વિદ્યાર્થીઓ ઉત્તિર્ણ થયા છે અને 214 વિદ્યાર્થીઓ અનુત્તિર્ણ રહ્યા છે. ભીમપોરની સરકારી શાળાના 17 વિદ્યાર્થીઓ પૈકી 16 વિદ્યાર્થીઓ પાસ થયા છે. મહાત્‍મા ગાંધી મેમોરિયલ ટ્રસ્‍ટ દ્વારા સંચાલિત સાર્વજનિક વિદ્યાલયના 257 વિદ્યાર્થીઓમાંથી 117 પાસ થયા છે જ્‍યારે ઈન્‍સ્‍ટિટયૂટ ઓફ અવર લેડી ફાતિમા સ્‍કૂલના 65માંથી 50 વિદ્યાર્થીઓ, હોલી ટ્રીનિટીના 18માંથી 7, શ્રીનાથજી સ્‍કૂલના 14માંથી 4 વિદ્યાર્થીઓ સફળ થઈ શક્‍યા છે. દિવ્‍ય જ્‍યોતિ સ્‍કૂલના 18 વિદ્યાર્થીઓ પૈકી માત્ર 6 વિદ્યાર્થીઓ જ પાસ થઈ શક્‍યા છે. માછી મહાજન સ્‍કૂલના 87માંથી 62 વિદ્યાર્થીઓ પાસ થયા છે. જ્‍યારે દીવ જિલ્લામાં 180 વિદ્યાર્થીઓ પૈકી 61 પાસ થયા છે. સમસ્‍ત દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં શ્રી માછી મહાજન સ્‍કૂલનો વિદ્યાર્થી શ્રી નિસર્ગ કમલકાંત દિવેચા પ્રથમ આવતાં પોતાની શાળા અને દમણ જિલ્લાનું નામ પણ રોશન કર્યું છે.

vartmanpravah

દમણ-દીવ અને દાદરા નગર હવેલીની આવનારી પેઢી ગુલામી અને મુક્‍તિના ઈતિહાસથી વંચિત રહેશે

vartmanpravah

Leave a Comment