April 19, 2024
Vartman Pravah
સેલવાસ

દાનહ આરોગ્‍ય વિભાગ દ્વારા ઈન્‍ટરનેશનલ ડે ઓફ ક્‍લીન એયર ફોર બ્‍લુ સ્‍કાઈ ઉજવાયો

વાયુ પ્રદુષણને રોકવા માટે જનભાગીદારી જરૂરી છે
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.12
સંયુક્‍ત રાષ્‍ટ્ર મહાસભાએ પોતાના 74માં સત્ર દરમ્‍યાન 19 ડિસેમ્‍બર, 2019 ઈન્‍ટરનેશનલ ડે ઓફ ક્‍લીન એયર ફોર બ્‍લુ સ્‍કાઈ આયોજીત કરવાનો સંકલ્‍પ અપનાવ્‍યો હતો. જે અંતર્ગત સંપૂર્ણ વિશ્વ આ દિવસ મનાવે છે જેનો મુખ્‍ય ઉદેશ્‍ય દરેક સ્‍તરના વ્‍યક્‍તિ, સમુદાય, નિગમ અને સરકાર વગેરેમાં જાગરૂકતા વધારવાનો છે.
સ્‍વચ્‍છ હવા, આરોગ્‍ય , ઉત્‍પાદકતા અર્થવ્‍યવસ્‍થા અને પર્યાવરણની દૃષ્ટિએ ઘણું મહત્‍વપૂર્ણ છે. સાથે આ દિવસનો ઉદેશ્‍ય વાયુ ગુણવતા જેવા મહત્‍વપૂર્ણ વિષય પર કાર્ય કરનાર વિવિધ આંતરરાષ્‍ટ્રીય સંસ્‍થાઓને એક સાથે લાવવા માટે રણનીતિક ગઠબંધન તૈયાર કરવાનો પણ છે, જેનાથી પ્રભાવી વાયુ ગુણવતા પ્રબંધન માટે રાષ્‍ટ્રીય, ક્ષેત્રીય અને આંતરરાષ્‍ટ્રીય દૃષ્ટિકોણને ગતિ મળી શકે.
આરોગ્‍ય વિભાગ દ્વારા દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં પણ ઇન્‍ટરનેશનલ ડે ઓફ ક્‍લીન એયર ફોર બ્‍લુ સ્‍કાઈ ઉજવવામાં આવ્‍યો હતો. આ વર્ષે આ દિવસનો થીમ સ્‍વસ્‍થ હવા સ્‍વસ્‍થ ગ્રહ હતો. પ્રદેશના લોકોમા વાયુ પ્રદુષણ પ્રત્‍યે જાગળત કરવા વિવિધ કાર્યક્રમોનું આયોજનકરવામા આવ્‍યું હતું.
આ સંદર્ભે આરોગ્‍ય વિભાગ દ્વારા જણાવવામાં આવ્‍યું હતું કે, વાયુ પ્રદુષણ વિવિધ પ્રકારની માનવીય ગતિવિધિઓ જેવા કે ઈંધણ, ઔદ્યોગિક એકમમાંથી નીકળતો ધુમાડો, કળષિ અને ખેતરમાં પડેલ કચરાને સળગાવાથી વાતાવરણમા ઉત્‍સર્જિત ગેસો અને કણો બને છે. આ દિવસ મનાવવાનો ઉદેશ્‍ય લોકોમા વાયુ પ્રદુષણ પ્રત્‍યે જાગળત કરવાનો છે.
વાયું પ્રદૂષણના કારણે ગંભીર સમસ્‍યાનો સામનો કરવો પડે છે જેનાથી અસ્‍થમા, શરદી, આંખોમા જલન, શ્રવણ શક્‍તિ કમજોર થવી, ચામડીના રોગો વગેરે બીમારી પેદા થાય છે, હવાને સ્‍વચ્‍છ કરવા માટે લોકોની ભાગીદારી આવશ્‍યક છે. કાર-પુલિગ અને સાર્વજનિક પરિવહનનો ઉપયોગને પ્રોત્‍સાહિત કરવું જોઈએ.
વાયુ પ્રદુષણને રોક્‍વુ સંભવ છે પરંતુ એના માટે દરેકે જેમાં સામાન્‍ય નાગરિકોથી લઈ ખાનગી કંપનીઓએ એક સાથે એક મંચ પર આવી કામ કરવું પડશે.

Related posts

રખોલીમાં ભંગારનો ધંધો કરનાર મેનાદીન સલીમ શેખની હત્‍યા કરી લાશને અવાવરૂ જગ્‍યામાં ફેંકી દીધીઃ પોલીસ દ્વારા આરોપીઓની શરૂ કરેલી શોધખોળ

vartmanpravah

આજે સેલવાસમાં ‘વિભાજનની ભયાનકતા સ્‍મરણ દિવસ’ના ઉપક્રમે મૌન રેલીનું આયોજન પેટાઃ સાંજે પાંચ વાગ્‍યે સેલવાસ કલેક્‍ટરાલયથી કિલવણી નાકા થઈ કલા કેન્‍દ્ર ખાતે મૌન રેલી પહોંચશે (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા. 13 14મી ઓગસ્‍ટ, 2022ના રોજ સમગ્ર ભારતભરમાં ‘વિભાજનની ભયાનકતા સ્‍મરણ દિવસ’ (પાર્ટીશન હોરરર્સ રેમમ્‍બ્રેસ ડે) મનાવવામાં આવશે. જેના ઉપલક્ષમાં દાદરા નગર હવેલીના સેલવાસમાં પણ જિલ્લા પ્રશાસન દ્વારા ‘વિભાજનની ભયાનકતા સ્‍મરણ દિવસ’ મનાવવામાં આવશે. ભારતનીઆઝાદીની પૂર્વ સંધ્‍યાએ 14મી ઓગસ્‍ટ, 1947ના રોજ પાકિસ્‍તાનનું સર્જન થતાં ત્‍યાં રહેતા હજારો બિન મુસ્‍લિમોને હિજરત કરવાની ફરજ પડી હતી, અને તેમને વિસ્‍થાપિત થવા પડયું હતું. આ કાળા દિવસને યાદ કરી તેમાં શહિદ થયેલા પરિવારની સ્‍મરાંજલિ માટે ભારત સરકાર દ્વારા ‘વિભાજનની ભયાનકતા સ્‍મરણ દિવસ’ મનાવવાનો પ્રારંભ આઝાદીના અમૃત વર્ષથી કરાયો છે. આવતી કાલે સેલવાસ ખાતે સાંજે 5:00 વાગ્‍યે એક મૌન યાત્રા નિકળશે. જે સેલવાસ કલેક્‍ટરાલયથી કિલવણી નાકા થઈ કલા કેન્‍દ્ર ખાતે પહોંચશે. જ્‍યાં 14 થી 16 ઓગસ્‍ટ દરમિયાન ‘વિભાજનની ભયાનકતા’ પ્રદર્શિત કરતું પ્રદર્શન લોકો માટે 3 દિવસ સુધી ખુલ્લુ રહેશે. સેલવાસના રેસિડેન્‍ટ ડેપ્‍યુટી કલેક્‍ટર સુશ્રી ચાર્મી પારેખે આમજનતાને આવતી કાલે સફેદ અથવા હલકા રંગના વષા પરિધાન કરે તથા ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને આગેવાનો આ અભિયાનમાં સામેલ થઈ મૌન યાત્રામાં ભાગ લેવા આહ્‌વાન કર્યું છે.

vartmanpravah

મોડે મોડે પ્રદેશ ભાજપને ફૂટી ડહાપણની દાઢ : હવે દાનહના ગ્રામ્‍ય વિસ્‍તારોની મુલાકાત લઈ સમસ્‍યા જાણવા શરૂ કરેલો પ્રયાસ

vartmanpravah

દાદરાની અમૂલ્‍યા એન્‍જિનિયર્સ કંપનીમાં કામ કરતા ઈસમને કંપનીના કામ અર્થે ભરૂચ કેમિકલ કંપનીમાં કા કરી પરત ફરતા થયું સ્‍કીન ઈન્‍ફેકશન

vartmanpravah

દાનહ રેડક્રોસ શાળાના દિવ્‍યાંગ બાળકોએ દિવાળી પર્વ નિમિતે સુશોભનની વસ્‍તુઓનું જાતે નિર્માણ કરી તેના વેચાણ માટે સેલવાસ કલેક્‍ટર કચેરી પ્રાંગણમાં શરૂ કરેલો સ્‍ટોલ

vartmanpravah

નરોલી એરોકેર કંપનીમાં કામ કરતા કર્મચારીએ ગળે ફાંસો લગાવી કરેલી આત્‍મહત્‍યા

vartmanpravah

Leave a Comment