નિમિતે શોભાયાત્રા કાઢવામા આવી
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.27: સેલવાસ ભુરકુડ ફળિયા વિસ્તારમાં આવેલ અયપ્પા મંદિરમાં 41 દિવસીય મંડલપૂજા મહોત્સવ ચાલી રહ્યો હતો જેમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, આ મહોત્સવમાં ભાગવત સપ્તાહનું પણ આયોજન કરવામાં આવ્યુંહતું. જેમાં ભાવિક ભક્તોએ લાભ લીધો હતો. 27 ડિસેમ્બર સુધી ચાલેલા મંડલપૂજા મહોત્સવના અંતિમ દિવસે શોભાયાત્રા કાઢવામાં આવી હતી. જે મંદિરમાંથી પૂજા અર્ચના કર્યા બાદ શોભાયાત્રા રૂપે ગાયત્રી મંદિર સુધી લઈ જઈ ફરી પરત ભૂરકુડ ફળિયા સ્થિત અયપ્પા મંદિરે સંપન્ન કરાઈ હતી. આ શોભાયાત્રામાં મલયાલમ સમાજના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા.