(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.10: શ્રી ઘનશ્યામ વિદ્યા મંદિર સલવાવ દ્વારા ગુરૂવારની પ્રાર્થના સભામાં દેશના અગ્રણી ઉદ્યોગકાર અને પદ્મવિભૂષણ રતન ટાટાનાં દેહ વિલયને લઈ તેમની આત્મ શાંતી અર્થે મૌન પાળી શ્રધાંજલિ અર્પણ કરી હતી.
આ પ્રસંગે શાળાનાં આચાર્ય ચંદ્રવદન પટેલે સદગત રતન ટાટાનાં જીવન કવનની ઝાંખી કરાવી વિદ્યાર્થિઓને તેમનાં મહાન કાર્યો અને દેશપ્રેમથી અવગત કરાવ્યા હતા. ધો.1 થી 12 નાં તમામ વિદ્યાર્થિઓ અને શિક્ષકો આ મૌનમાં જોડાઈ સદગતની આત્મની શાંતી માટે મંત્રોચ્ચાર સાથે પ્રાર્થના કરી હતી.