October 20, 2024
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી દેગામ મનોવિકાસ ટ્રસ્‍ટના દિવ્‍યાંગ બાળકો માટે જેટકો દ્વારા દિવ્‍યાંગ બસની ભેટ અપાઈ

નાણાંમંત્રી કનુભાઈ દેસાઈ અને જેટકોના અધિક્ષક ઈજનેર
પી.એન. પટેલને હસ્‍તે બસનું પ્રસ્‍થાન કરાવ્‍યું

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.10: વાપી નજીક આવેલ મનોવિકાસ ચેરીટેબલ ટ્રસ્‍ટ સંચાલિત રમણલાલ ગુલાબચંદ શાહ સ્‍પેશિયલ એજ્‍યુકેશન એન્‍ડ રિહેબીટીલીટેશન સેન્‍ટર નામની શાળામાં વાપીથી શાળાએ જતા બાળકો માટે બસની સુવિધાની જરૂરીયાત હતી. જે ધ્‍યાને આવ્‍યા બાદ જેટકો દ્વારા સી.એસ.આર. ફંડ હેઠળ 58 લાખ રૂપિયા મંજુર કરીને દિવ્‍યાંગ વાહનની આજે ભેટ આપવામાં આવી હતી. નાણામંત્રી કનુભાઈ દેસાઈ અને નવસારી જેટકો વિભાગના અધિક્ષક ઈજનેર પી.એન. પટેલના હસ્‍તે બસનું પ્રસ્‍થાન કરાવાયું હતું.
આ પ્રસંગે નાણામંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્‍યું હતું કે, મનોવિકાસ ચેરીટેબલ ટ્રસ્‍ટ સંચાલિતશાળામાં સ્‍પે.ચાઈલ્‍ડ કેટેગરીમાં મુકબધિર, માનસિક વિકલાંગ બાળકોને શિક્ષણ સહિત વ્‍યવસાયિક તાલીમ આપી પગભર કરે છે. વાપીથી શાળાએ જતા આવતા બાળકોને બસની જરૂરીયાત હતી. જે સુવિધા જેટકોએ આજે પુરી પાડી પોતાનું સામાજીક ઉત્તરદાયિત્‍વ નિભાવ્‍યું છે. અધિક્ષક ઈજનેર પી.એન. પટેલે જણાવ્‍યું હતું કે, સી.એસ.આર. ફંડ હેઠળ સામાજીક પ્રવૃત્તિ કરવામાં આવે છે. તે અંતર્ગત શાળાને બસ અને કમ્‍પાઉન્‍ડ વોલ પુરી પાડવા માટે 58 લાખનું ફંડ મંજુર કર્યું છે. આ બસ સેવા માટે મહેશ્વરી લોજીસ્‍ટીક દ્વારા પણ જરૂરી સેવા પુરી પડાઈ છે. આ પ્રસંગે અંબામાતા મંદિરેથી બસનું પ્રસ્‍થાન કરાયું હતું. કાર્યક્રમમાં વી.આઈ.એ. પ્રમુખ સતિષ પટેલ, પૂર્વ પ્રમુખ કમલેશ પટેલ સહિત પાલિકા પ્રમુખ, નગર સેવકો અને ઉદ્યોગપતિઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

ઔરંગા નદીમાં વધુ એકવાર પૂર આવતા વલસાડ શહેર અને ગ્રામ્‍ય વિસ્‍તારોમાં કુદરતી પ્રકોપનો વિનાશ વેરાયો

vartmanpravah

વર્તમાન પ્રવાહમાં પ્રસિદ્ધ થયેલ જ્‍યોતિષી બાબુભાઈ શાષાીની ભવિષ્‍યવાણી સચોટ સાબિત થઈઃ ભાજપે 153 કરતા વધુ બેઠકો જીતી સર્જેલો ઈતિહાસ

vartmanpravah

વાપી સરવૈયા નગરના રહિશો ખુલ્લા ટ્રાન્‍સફોર્મર અને ગંદકીના સામ્રાજ્‍યમાં જીંદગી જીવવા લાચાર

vartmanpravah

સેલવાસ મામલતદારે માટી ખનન કરનાર સામે કરેલી લાલ આંખ

vartmanpravah

સેન્‍ટ્રલ બોર્ડ ઓફ સેકન્‍ડરી એજ્‍યુકેશન દ્વારા લેવાયેલ પરીક્ષામાં સેલવાસ લાયન્‍સ ઇંગ્‍લીશ મીડીયમ સ્‍કૂલનું ધોરણ 10નું 99.4 ટકા પરિણામ

vartmanpravah

શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્‍વામિનારાયણ ફાર્મસી કોલેજ, સલવાવની ત્રણ વિદ્યાર્થીનીઓની ખો-ખો (ગર્લ્‍સ) સ્‍પર્ધામાં ગુજરાતટેકનોલોજીકલ યુનિવર્સીટીમાં પસંદગી

vartmanpravah

Leave a Comment