October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી દેગામ મનોવિકાસ ટ્રસ્‍ટના દિવ્‍યાંગ બાળકો માટે જેટકો દ્વારા દિવ્‍યાંગ બસની ભેટ અપાઈ

નાણાંમંત્રી કનુભાઈ દેસાઈ અને જેટકોના અધિક્ષક ઈજનેર
પી.એન. પટેલને હસ્‍તે બસનું પ્રસ્‍થાન કરાવ્‍યું

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.10: વાપી નજીક આવેલ મનોવિકાસ ચેરીટેબલ ટ્રસ્‍ટ સંચાલિત રમણલાલ ગુલાબચંદ શાહ સ્‍પેશિયલ એજ્‍યુકેશન એન્‍ડ રિહેબીટીલીટેશન સેન્‍ટર નામની શાળામાં વાપીથી શાળાએ જતા બાળકો માટે બસની સુવિધાની જરૂરીયાત હતી. જે ધ્‍યાને આવ્‍યા બાદ જેટકો દ્વારા સી.એસ.આર. ફંડ હેઠળ 58 લાખ રૂપિયા મંજુર કરીને દિવ્‍યાંગ વાહનની આજે ભેટ આપવામાં આવી હતી. નાણામંત્રી કનુભાઈ દેસાઈ અને નવસારી જેટકો વિભાગના અધિક્ષક ઈજનેર પી.એન. પટેલના હસ્‍તે બસનું પ્રસ્‍થાન કરાવાયું હતું.
આ પ્રસંગે નાણામંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્‍યું હતું કે, મનોવિકાસ ચેરીટેબલ ટ્રસ્‍ટ સંચાલિતશાળામાં સ્‍પે.ચાઈલ્‍ડ કેટેગરીમાં મુકબધિર, માનસિક વિકલાંગ બાળકોને શિક્ષણ સહિત વ્‍યવસાયિક તાલીમ આપી પગભર કરે છે. વાપીથી શાળાએ જતા આવતા બાળકોને બસની જરૂરીયાત હતી. જે સુવિધા જેટકોએ આજે પુરી પાડી પોતાનું સામાજીક ઉત્તરદાયિત્‍વ નિભાવ્‍યું છે. અધિક્ષક ઈજનેર પી.એન. પટેલે જણાવ્‍યું હતું કે, સી.એસ.આર. ફંડ હેઠળ સામાજીક પ્રવૃત્તિ કરવામાં આવે છે. તે અંતર્ગત શાળાને બસ અને કમ્‍પાઉન્‍ડ વોલ પુરી પાડવા માટે 58 લાખનું ફંડ મંજુર કર્યું છે. આ બસ સેવા માટે મહેશ્વરી લોજીસ્‍ટીક દ્વારા પણ જરૂરી સેવા પુરી પડાઈ છે. આ પ્રસંગે અંબામાતા મંદિરેથી બસનું પ્રસ્‍થાન કરાયું હતું. કાર્યક્રમમાં વી.આઈ.એ. પ્રમુખ સતિષ પટેલ, પૂર્વ પ્રમુખ કમલેશ પટેલ સહિત પાલિકા પ્રમુખ, નગર સેવકો અને ઉદ્યોગપતિઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

સેલવાસ ડીસ્‍ટ્રીકટ કોર્ટ ખાતે રાષ્‍ટ્રીય લોક અદાલતાનું આયોજન કરાયું

vartmanpravah

દમણના ડાભેલ-આંટિયાવાડ વિસ્‍તારમાં મંગળવારની રાત્રિએ હત્‍યાની બનેલી ઘટના: પડોશની ચાલીમાં રહેતા પરપ્રાંતિય યુવકની સગીરે તિક્ષ્ણ હથિયાર વડે કરેલી હત્‍યા

vartmanpravah

કોરોમંડલ ઈન્‍ટરનેશનલ કરાડીપાથ સંસ્‍થા સાથે મળી અંગ્રેજી ભાષા શિખવવાનો કાર્યક્રમ શરૂ કર્યો

vartmanpravah

વલસાડ હાઈવે ઉપર વાપીના દંપતિનું બાઈક ખાડામાં પટકાયું હતું : સારવારમાં પત્‍નીએ દમ તોડયો

vartmanpravah

સેલવાસના સ્‍કાયહાઇટ્‍સ સોસાયટીના લોકોએ વાઇન શોપનો વિરોધ કર્યો

vartmanpravah

લાયન્‍સ ક્‍લબ ઓફ વાપી નાઈસ દ્વારા વાંસદા આઈ હોસ્‍પિટલમાં 48 મોતિયા બિંદના નિઃશુલ્‍ક ઓપરેશન

vartmanpravah

Leave a Comment