April 17, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સેલવાસમાં રાષ્‍ટ્રીય સ્‍વયં સેવક સંઘે વિજ્‍યાદશમીએ કરેલું પથ સંચલન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.13: ગઈકાલ શનિવારે દશેરાના તહેવાર નિમિત્તે સેલવાસમાં રાષ્‍ટ્રીય સ્‍વયં સેવક સંઘ (આર.એસ.એસ.) દ્વારા વિજ્‍યાદશમી ઉત્‍સવ અને સત્‍યનો અસત્‍ય ઉપર વિજયની પરંપરાના સ્‍મરણમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ પથ સંચલન કર્યું હતું. આ પ્રસંગે બહુમાળી સરકારી કોલોની સંઘ સ્‍થાન પર આયોજીત કાર્યક્રમમાં બીએપીએસના શ્રી સાધુ દિવ્‍યતનયદાસ પૂજ્‍ય કોઠારી સ્‍વામીજીના મુખ્‍ય અતિથિ પદે પ્રમુખ પ્રમુખ વક્‍તા તરીકે જિલ્લા કાર્યવાહક શ્રી મહેશભાઈ પટેલ, નગર કાર્યવાહક શ્રી ભૂપેન્‍દ્ર ઉપસ્‍થિત રહ્યા હતા.
પથ સંચલનની શરૂઆત બહુમાળી કોલોનીથી શરૂ કરી હતી જે કિલવણી નાકા, ઝંડાચોક, પોલીસ સ્‍ટેશન, શહીદ ચોક, ટોકરખાડા, ગોડસે કોર્નર થઈ કિલવણી નાકા થઈને પરત બહુમાળી સરકારી કોલોની ખાતે સંપન્ન કરવામાં આવી હતી. આ પથ સંચલનનું નગરજનો દ્વારા પુષ્‍પવર્ષા કરી સ્‍વાગત કરવામાંઆવ્‍યું હતું. આ પ્રસંગે 166થી વધુની સંખ્‍યામાં ગણવેશધારી સ્‍વયંસેવકોએ ભાગ લીધો હતો.
આ અવસરે કોઠારી સ્‍વામી શ્રી સાધુ દિવ્‍યતનયદાસે અને મુખ્‍ય વક્‍તા શ્રી મહેશભાઈ પટેલે ઉપસ્‍થિત સ્‍વયંસેવકોને સંબોધન પણ કર્યું હતું. ત્‍યારબાદ સ્‍વયંસેવકો અને મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત નગરજનોએ શષાપુજા પણ સંપન્ન કરી હતી.

Related posts

દમણ સાર્વજનિક વિદ્યાલયમાં શાંતિપૂર્ણ માહોલમાં ધોરણ 10ની પૂરક પરીક્ષા સંપન્ન

vartmanpravah

પારડીના બાલદા ખાતેથી મળેલ ડી કમ્‍પોઝ લાશનો ભેદ ઉકેલાયો

vartmanpravah

વલસાડ જિલ્‍લાની સરકારી કચેરીઓમાં અનઅધિકૃત વ્‍યકિતઓના પ્રવેશ પર પ્રતિબંધ

vartmanpravah

ચીખલી પોલીસે આલીપોરથી ટેમ્પોમાં કતલખાને લઈ જવાતી બે ગાયોની ઉગારી

vartmanpravah

વલસાડ જિલ્લામાં ભૂસ્‍તર વિભાગમાં સરકારની નીતિ સામે ટ્રક ચાલકોને પડી રહી છે હાલાકી

vartmanpravah

શનિવારે ખાબકેલા ભારે વરસાદમાં ખાનવેલ-દુધની માર્ગ પરનો શેલટી ખાડીપાડાનો નવનિર્મિત પુલ ધરાશાયીઃ 8થી વધુ ગામોનો તૂટેલો સંપર્ક

vartmanpravah

Leave a Comment