October 21, 2024
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સેલવાસમાં રાષ્‍ટ્રીય સ્‍વયં સેવક સંઘે વિજ્‍યાદશમીએ કરેલું પથ સંચલન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.13: ગઈકાલ શનિવારે દશેરાના તહેવાર નિમિત્તે સેલવાસમાં રાષ્‍ટ્રીય સ્‍વયં સેવક સંઘ (આર.એસ.એસ.) દ્વારા વિજ્‍યાદશમી ઉત્‍સવ અને સત્‍યનો અસત્‍ય ઉપર વિજયની પરંપરાના સ્‍મરણમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ પથ સંચલન કર્યું હતું. આ પ્રસંગે બહુમાળી સરકારી કોલોની સંઘ સ્‍થાન પર આયોજીત કાર્યક્રમમાં બીએપીએસના શ્રી સાધુ દિવ્‍યતનયદાસ પૂજ્‍ય કોઠારી સ્‍વામીજીના મુખ્‍ય અતિથિ પદે પ્રમુખ પ્રમુખ વક્‍તા તરીકે જિલ્લા કાર્યવાહક શ્રી મહેશભાઈ પટેલ, નગર કાર્યવાહક શ્રી ભૂપેન્‍દ્ર ઉપસ્‍થિત રહ્યા હતા.
પથ સંચલનની શરૂઆત બહુમાળી કોલોનીથી શરૂ કરી હતી જે કિલવણી નાકા, ઝંડાચોક, પોલીસ સ્‍ટેશન, શહીદ ચોક, ટોકરખાડા, ગોડસે કોર્નર થઈ કિલવણી નાકા થઈને પરત બહુમાળી સરકારી કોલોની ખાતે સંપન્ન કરવામાં આવી હતી. આ પથ સંચલનનું નગરજનો દ્વારા પુષ્‍પવર્ષા કરી સ્‍વાગત કરવામાંઆવ્‍યું હતું. આ પ્રસંગે 166થી વધુની સંખ્‍યામાં ગણવેશધારી સ્‍વયંસેવકોએ ભાગ લીધો હતો.
આ અવસરે કોઠારી સ્‍વામી શ્રી સાધુ દિવ્‍યતનયદાસે અને મુખ્‍ય વક્‍તા શ્રી મહેશભાઈ પટેલે ઉપસ્‍થિત સ્‍વયંસેવકોને સંબોધન પણ કર્યું હતું. ત્‍યારબાદ સ્‍વયંસેવકો અને મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત નગરજનોએ શષાપુજા પણ સંપન્ન કરી હતી.

Related posts

બુલેટ ટ્રેન પ્રોજેક્‍ટમાં પવનની ગતિ જાણવા માટે 14 પુલો ઉપર મોનીટરીંગ સિસ્‍ટમ લગાવાઈ

vartmanpravah

વલસાડ નહેરૂ યુવા કેન્‍દ્ર દ્વારા ધરમપુરમાં એઈડ્‍સ જાગૃતિ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

દીવ નગર પાલિકાના પ્રમુખ હિતેશ સોલંકી સસ્‍પેન્‍ડ કરાયા

vartmanpravah

દાનહઃ કેન્‍દ્રીય પ્રાથમિક શાળા આંબોલીમાં 55મો કેન્‍દ્ર કક્ષાનો રમતોત્‍સવ યોજાયો

vartmanpravah

વહેલી સવારે પારડી ચંદ્રપુર હાઈવે પર ડમ્‍પર અને કન્‍ટેઈનર વચ્‍ચે ગમખ્‍વાર અકસ્‍માતઃ કન્‍ટેઈનર ચાલકનું મોત

vartmanpravah

નવી દિલ્‍હીના વિજ્ઞાન ભવન ખાતે દાનહ જિ.પં.ના અધ્‍યક્ષ નિશાબેન ભવર અને સી.ઈ.ઓ. અપૂર્વ શર્માએ પંચાયતી રાજમંત્રીના હસ્‍તે સ્‍વીકારેલો તૃતિય ‘સર્વોત્તમ પંચાયત પુરસ્‍કાર’

vartmanpravah

Leave a Comment