April 27, 2024
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાનહ જિ.પં. પ્રમુખ નિશા ભવરે રાષ્‍ટ્રપતિ પદ માટે દ્રૌપદી મુર્મુની એનડીએ દ્વારા કરાયેલી પસંદગીને આવકારી

  • દાનહ જનતા દળ (યુ)ના તમામ જિ.પં.સભ્‍યોએ દેશના ઈતિહાસમાં પ્રથમ વખત આદિવાસીને રાષ્‍ટ્રપતિ પદની તક આપવા બદલ પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીનો માનેલો આભાર

  • આદિવાસી સમુદાયની બહુમતિ ધરાવતા દાનહના સાંસદ કલાબેન ડેલકરને પણ રાષ્‍ટ્રપતિ પદના આદિવાસી ઉમેદવાર દ્રૌપદી મુર્મુની તરફેણમાં મતદાન કરવા પ્રેરિત કરી પોતાનો આદિવાસી ધર્મ બજાવવા સમગ્ર પ્રદેશમાંથી થઈ રહેલું આહ્‌વાન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.07
દાદરા નગર હવેલી જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી નિશા ભવરે એનડીએ દ્વારા રાષ્‍ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે શ્રીમતી દ્રૌપદી મુર્મુની કરેલી પસંદગીને આવકારી છે. તેમણે જણાવ્‍યું છે કે, જનતા દળ (યુ) શાસિત દાદરા નગર હવેલી જિલ્લા પંચાયતના તમામ સભ્‍યોપ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદી દ્વારા આદિવાસીઓના ગૌરવને વધારનારા અને નવી ઊંચાઈઓ ઉપર લઈ જનારા નિર્ણયની સરાહના કરે છે અને સમસ્‍ત આદિવાસી સમુદાયમાં ઉત્‍પન્ન થયેલ સ્‍વાભિમાનનો જયઘોષ કરતા હોવાનું જણાવ્‍યું છે.
દાનહ જિ.પં.ના પ્રમુખ શ્રીમતી નિશાબેન ભવરે પોતાના તમામ સભ્‍યો વતી રાષ્‍ટ્રપતિ પદના ઉમેદવાર શ્રીમતી દ્રૌપદી મુર્મુને શુભકામના પણ પાઠવી છે અને તેમનો વિજય નિヘતિ હોવાનો વિશ્વાસ પણ વ્‍યક્‍ત કર્યો છે.
અત્રે નોંધનીય છે કે, દાદરા નગર હવેલી આદિવાસી બહુમતિ જિલ્લો હોવાથી અહીંના પ્રત્‍યેક આદિવાસીઓનું મસ્‍તક પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીએ શ્રીમતી દ્રૌપદી મુર્મુની રાષ્‍ટ્રપતિના પદ માટે કરેલી પસંદગીથી ઊંચું થયું છે. તેથી દાદરા નગર હવેલીના સાંસદ શ્રીમતી કલાબેન ડેલકરને પણ રાષ્‍ટ્રપતિ પદના આદિવાસી ઉમેદવાર શ્રીમતી દ્રૌપદી મુર્મુની તરફેણમાં મતદાન કરવા પ્રેરિત કરી પોતાનો આદિવાસી ધર્મ બજાવવા સમગ્ર પ્રદેશમાંથી આહ્‌વાન પણ થઈ રહ્યું છે.

Related posts

સેલવાસમા ઉત્તરાખંડ સેવા સમિતિ દ્વારા આયોજીત ભાગવત કથા સપ્તાહનું સમાપન કરાયું

vartmanpravah

સમરોલી સ્‍વામિનારાયણ સ્‍કૂલ સીબીએસઈનું ધો.12 વિજ્ઞાન પ્રવાહ અને ધો.10નું 100 ટકા પરિણામ

vartmanpravah

વાંસદાના સિણધઈ ગામે દીપડાએ ધોળા દિવસે બે ખેત મજૂરો પર હુમલો કરતા લોહી લુહાણ

vartmanpravah

વલસાડના સરકારી ટેક્‍નીકલ સેન્‍ટરમાં વર્ષ 2022-23 માટે પ્રવેશકાર્ય શરૂ

vartmanpravah

રાજકોટ ખાતે આયોજીત ત્રિ-દિવસીય ઈન્‍ડિયન અર્બન હાઉસિંગ કોન્‍કલેવ-2022ના ઉદ્‌ઘાટન સમારંભમાં દાનહ અને દમણ-દીવને પીએમએવાય-યુમાં સર્વશ્રેષ્‍ઠ પ્રદર્શન કરવાવાળા કેન્‍દ્ર શાસિત પ્રદેશની વિશેષ શ્રેણીનો મળેલો પ્રથમ પુરસ્‍કાર

vartmanpravah

વાપી ન.પા. વિસ્‍તારનો તા.2જી જુલાઈના શનિવારે યોજાશે ‘‘સેવા સેતુ કાર્યક્રમ”

vartmanpravah

Leave a Comment