February 5, 2025
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સેલવાસ-નરોલી રોડ સ્‍વામિનારાયણ મંદિર પાછળ દમણગંગા નદી કિનારે દશેરાના દા’ડે મોપેડ ધોવા ગયેલા યુવાનનો પગ લપસી જતાંપાણીમાં ડૂબી જતાં થયેલું મોત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.13: શનિવારે દશેરાના દિવસે સેલવાસ નરોલી રોડ સ્‍વામિનારાયણ મંદિર પાછળ દમણગંગા નદી કિનારે એક યુવાન પોતાની મોપેડ ધોઈ રહ્યા તે સમયે તેનો પગ લપસી જતાં પાણીમાં ગરકાવ થતાં ડૂબી ગયો હતો. નદીના પાણીમાં ડૂબી જતાં યુવકનું મોત થયું હતું.
પ્રાપ્ત માહિતી પ્રમાણે નીતીશ યાદવ રહેવાસી પીપરીયા, સેલવાસ અને મૂળ રહેવાસી ઉત્તર પ્રદેશ. જે એના મિત્ર સાથે શનિવારે દશેરા દિવસે સવારે 11:00 વાગ્‍યાના સુમારે પોતાનું જ્‍યુપીટર મોપેડ લઈને સેલવાસ-નરોલી રોડ અથાલ સ્‍વામિનારાયણ મંદિર પાછળ દમણગંગા નદીના જૂના પુલ પાસે મોપેડ ધોઈ રહ્યો હતો તે સમયે યુવાન નીતિશ યાદવનો અચાનક પગ લપસી ગયો હતો અને તે નદીના ઊંડા પાણીમાં જતો રહ્યો હતો. નીતિશને ડૂબતો જોઈ એના મિત્રએ થોડે દૂર સુધી શોધવાનો પ્રયાસ કર્યો હતો, પણ નીતીશનો ક્‍યાંય પત્તો લાગ્‍યો નહીં હતો. ત્‍યારબાદ નીતિશ યાદવના મિત્રએ તેના પરિવારને તેમજ ફાયર અને પોલીસ વિભાગને ફોન કરી ઘટના અંગેની જાણ કરી હતી. ફાયરની ટીમે તાત્‍કાલિક ઘટના સ્‍થળે પહોંચી યુવાનને શોધવાની તજવીજ હાથ ધરી હતી, પણ મળી આવેલ નહિ. સાંજે 6:00 વાગ્‍યાના સુમારે ફાયર વિભાગના લાશ્‍કરોની કઠીણ મહેનત બાદયુવાનની લાશ મળી આવી હતી.
ત્‍યારબાદ પોલીસે નીતિશ યાદવની લાશનો કબ્‍જો લીધો હતો અને પોસ્‍ટમોર્ટમ માટે સેલવાસની શ્રી વિનોબા ભાવે સિવિલ હોસ્‍પિટલમાં મોકલી આપી હતી. આ ઘટના અંગેની ફરિયાદ નોંધી વધુ તપાસ નરોલી પોલીસ કરી રહી છે.

Related posts

‘સંસ્કૃતિ’ વલસાડ દ્વારા આર. જે.દેવકીનો અનોખો પ્રોગ્રામ યોજાયો

vartmanpravah

અંતે ઓરિએન્‍ટલ ઇન્‍સ્‍યોરન્‍સ કંપનીએ નમતું જોખી વલસાડમાં હંગામી ફટાકડાના વેપારીઓના વીમા લેવાનું શરૂ કર્યું

vartmanpravah

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ અમદાવાદમાં કાર્યકર સુવર્ણ મહોત્સવને સંબોધિત કર્યો આપણી સંસ્કૃતિમાં સેવાને સૌથી મોટો ધર્મ માનવામાં આવ્યો છે, સેવાને ભક્તિ, શ્રદ્ધા અને આરાધના કરતાં ઊંચું સ્થાન આપવામાં આવ્યું છેઃ પીએમ

vartmanpravah

GNLU સેલવાસના વિદ્યાર્થીઓ માટે કેનેડિયન પ્રોફેસર દ્વારા કાયદા અને અર્થશાષા પર ત્રણ દિવસીય વ્‍યાખ્‍યાન શ્રેણીનું આયોજન

vartmanpravah

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીની કૃપા દૃષ્‍ટિ અને પ્રશાસક પ્રફુલભાઈ પટેલના અથાક પ્રયાસોથી દાનહની નમો મેડિકલ કોલેજ માટે 331 કાયમી પોસ્‍ટો માટેનાણાં મંત્રાલયની મળેલી મંજૂરી : હવે પ્રદેશને મળશે પૂર્ણ સમયના નિષ્‍ણાંત ડોક્‍ટરોની સેવા

vartmanpravah

ધરમપુરના માલનપાડાની મોડલ સ્‍કૂલમાં ફાયર સેફટી માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો

vartmanpravah

Leave a Comment