પિવાના પાણી, ઈન્ટરનેટ સેવા, પાર્કિંગ, શૌચાલયની અસુવિધા જેવા મુદ્દાઓથી અધિકારીઓને વાકેફ કરાયા
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી,તા.26: વાપી રેલવે ફલાય ઓવરબ્રિજ તોડવાની કામગીરી ચાલુ થતાની સાથે જ એસ.ટી. ડેપોનું વાપી હાઈવે જુની આર.ટી.ઓ. કચેરીમાં હંગામી બસ સ્ટેશનમાં સ્થળાંતર કરી દેવાયું છે પરંતુ બસ સ્ટેન્ડમાંમાં કોઈ પણ પ્રકારની સેવાઓની જોગવાઈ કરાઈ નથી તેથી અમદાવાદથી એસ.ટી. નિગમના ઉચ્ચ અધિકારીઓએ નવિન ડેપોનું સ્થળ નિરીક્ષણ કર્યું હતું. જેમાં મુસાફરોની સમસ્યાઓથી વાકેફ કરવામાં આવ્યા હતા.
નવનિર્માણ થયેલ વાપી ડેપોની મુલાકાતે ગુજરાત એસ.ટી. વિભાગના ઈ.ડી.પી. મેનેજર વલસાડ વિભાગના પ્રભારી એન.એસ. પટેલ પધાર્યા હતા. સ્થળ નિરીક્ષણ અને પ્રાથમિક સુવિધા અંગે અભ્યાસ કર્યો હતો. જેમાં તેમને પિવાના પાણી, શૌચાલય, પાર્કિંગ અને ઈન્ટરનેટ જેવી અસુવિધાઓ અંગે સ્થાનિક અધિકારીઓએ વાકેફ કર્યા હતા. આ પ્રસંગે કર્મચારી મંડળના મહામંત્રી ધનસુખભાઈ પટેલએ અધિકારીઓને અવગત કર્યા હતા. જેમાં ખાસ કરીને અવર જવર કરી રહેલ બસોની ધુળની ડમરીઓ ના ઉડે તે માટે રોડ બનાવવાની પણ રજૂઆત કરાઈ હતી.