April 17, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદેશસેલવાસ

દિવાળીના તહેવારને ધ્‍યાનમાં રાખી મીઠાઈઓની દુકાનોમાંથી લેવામાં આવેલ સેમ્‍પલોના રિપોર્ટને વહેલી તકે સાર્વજનિક કરવા માટે શિવસેના પ્રમુખ શ્વેતલ ભટ્ટની આરોગ્‍ય સચિવને રજૂઆત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.16 : દિવાળીના તહેવારને ધ્‍યાનમાં રાખી દાનહની મીઠાઈઓની દુકાનોમાંથી ગત દિવસોમાં લેવામાં આવેલ સેમ્‍પલોના રિપોર્ટને વહેલામાં વહેલી તકે સાર્વજનિક કરવા માટે પ્રદેશ શિવસેના પ્રમુખ શ્રી શ્વેતલ ભટ્ટે સંઘપ્રદેશના આરોગ્‍ય સચિવને લેખિત રજૂઆત કરી છે.
થોડા દિવસ પહેલાં જ દાનહ જિલ્લાના આરોગ્‍ય વિભાગના સબંધિત અધિકારીઓએ દિવાળીના તહેવારને ધ્‍યાનમાં રાખી પ્રદેશની કેટલીક મીઠાઈની દુકાનોમાંથી સેમ્‍પલ લીધા હતા, પરંતુ હજુ સુધી આ સેમ્‍પલનો રિપોર્ટ જાહેર કરવામાં આવ્‍યો નથી. તેથી લોકોમાં ચર્ચાઈ રહ્યું છે કે, રિપોર્ટ દિવાળી પહેલા આવશે કે દિવાળી પછી..? જો રિપોર્ટ દિવાળી પછી આવશે તો ત્‍યા સુધીમાં તો પ્રદેશના લોકો હજારો કિલો મીઠાઈઓ ખાઈ ચુક્‍યા હશે. આ સ્‍થિતિમાં લોકોને કેવી રીતે ખબર પડશે કે કઈ દુકાનની મીઠાઈ મિલાવટવાળી છે કે શુદ્ધ છે? દિવાળીનો તહેવાર માથે છે, પ્રદેશની કેટલીક દુકાનોમાં મીઠાઈ વેચવાની શરૂપણ થઈ ચુકી છે. લોકોના આરોગ્‍યની સાથે ખિલવાડ નહીં થાય, તે વાતને ધ્‍યાનમાં લઈ આરોગ્‍ય વિભાગે તાત્‍કાલિક અસરથી મીઠાઈના સેમ્‍પલોનો રિપોર્ટ સાર્વજનિક કરી દેવામાં આવે જેથી લોકોને સચ્‍ચાઈની ખબર પડે અને શુદ્ધ ગુણવત્તાવાળી મીઠાઈ જ ખરીદી શકે.
દાદરા નગર હવેલી શિવસેના પ્રદેશ પ્રમુખ શ્રી શ્વેતલ ભટ્ટે સંઘપ્રદેશના આરોગ્‍ય સચિવ શ્રી અરુણ ટી.ને લેખિત અરજી કરી અનુરોધ કર્યો છે કે વહેલામાં વહેલી તકે મીઠાઈઓના લીધેલા સેમ્‍પલોનો રિપોર્ટ જાહેર જનતા સમક્ષ રજૂ કરવામાં આવે જેથી ગ્રાહકો એ અસમંજસમાં નહીં મુકાય કે મીઠાઈની ખરીદી કરવી કે નહીં..?

Related posts

સંઘપ્રદેશ માટે ગૌરવપ્રદ ઘટના: દાનહ અને દમણ-દીવની ગર્લ્‍સ અને બોયઝની ફૂટબોલ ટીમ નેશનલ કક્ષાએ ટુર્નામેન્‍ટમાં ભાગ લેશે

vartmanpravah

દાનહ ખેલ અને યુવા વિભાગ દ્વારા ઈન્‍ટર કોલેજ બેડમિન્‍ટન અને ટેબલ ટેનિસ યોજાઈ

vartmanpravah

તિથલનો દરિયો બન્‍યો તોફાની : રવિવાર હોવાથી સહેલાણીઓની ઉમટેલી ભીડ બની ભયભીત

vartmanpravah

નવસારી જિલ્લામાં નોકરી કરતી યુવતિ પર શંકા કરતા પતિને સમજાવી સમાધાન કરાવતી 181 અભયમ હેલ્‍પલાઈન ટીમ

vartmanpravah

દાનહમાં ગાયોને ટક્કર મારી મોત નિપજાવવાનો સિલસિલો યથાવત્‌ રવિવારની રાત્રે અથાલ પાસે રસ્‍તા ઉપર બેસેલી ગાયોને ટ્રકચાલકે મારેલી ટક્કરમાં ચાર ગાયોના ઘટના સ્‍થળે જ થયેલા મોતઃ ત્રણને ગંભીર ઈજા

vartmanpravah

અન્‍ય ઔદ્યોગિક વસાહતો કરતા વાપી વસાહતનો સૌથી ઊંચો પાણી દર હોવાથી ઉદ્યોગકારોમાં કચવાટ

vartmanpravah

Leave a Comment