April 18, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદેશસેલવાસ

દિવાળીના તહેવારને ધ્‍યાનમાં રાખી મીઠાઈઓની દુકાનોમાંથી લેવામાં આવેલ સેમ્‍પલોના રિપોર્ટને વહેલી તકે સાર્વજનિક કરવા માટે શિવસેના પ્રમુખ શ્વેતલ ભટ્ટની આરોગ્‍ય સચિવને રજૂઆત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.16 : દિવાળીના તહેવારને ધ્‍યાનમાં રાખી દાનહની મીઠાઈઓની દુકાનોમાંથી ગત દિવસોમાં લેવામાં આવેલ સેમ્‍પલોના રિપોર્ટને વહેલામાં વહેલી તકે સાર્વજનિક કરવા માટે પ્રદેશ શિવસેના પ્રમુખ શ્રી શ્વેતલ ભટ્ટે સંઘપ્રદેશના આરોગ્‍ય સચિવને લેખિત રજૂઆત કરી છે.
થોડા દિવસ પહેલાં જ દાનહ જિલ્લાના આરોગ્‍ય વિભાગના સબંધિત અધિકારીઓએ દિવાળીના તહેવારને ધ્‍યાનમાં રાખી પ્રદેશની કેટલીક મીઠાઈની દુકાનોમાંથી સેમ્‍પલ લીધા હતા, પરંતુ હજુ સુધી આ સેમ્‍પલનો રિપોર્ટ જાહેર કરવામાં આવ્‍યો નથી. તેથી લોકોમાં ચર્ચાઈ રહ્યું છે કે, રિપોર્ટ દિવાળી પહેલા આવશે કે દિવાળી પછી..? જો રિપોર્ટ દિવાળી પછી આવશે તો ત્‍યા સુધીમાં તો પ્રદેશના લોકો હજારો કિલો મીઠાઈઓ ખાઈ ચુક્‍યા હશે. આ સ્‍થિતિમાં લોકોને કેવી રીતે ખબર પડશે કે કઈ દુકાનની મીઠાઈ મિલાવટવાળી છે કે શુદ્ધ છે? દિવાળીનો તહેવાર માથે છે, પ્રદેશની કેટલીક દુકાનોમાં મીઠાઈ વેચવાની શરૂપણ થઈ ચુકી છે. લોકોના આરોગ્‍યની સાથે ખિલવાડ નહીં થાય, તે વાતને ધ્‍યાનમાં લઈ આરોગ્‍ય વિભાગે તાત્‍કાલિક અસરથી મીઠાઈના સેમ્‍પલોનો રિપોર્ટ સાર્વજનિક કરી દેવામાં આવે જેથી લોકોને સચ્‍ચાઈની ખબર પડે અને શુદ્ધ ગુણવત્તાવાળી મીઠાઈ જ ખરીદી શકે.
દાદરા નગર હવેલી શિવસેના પ્રદેશ પ્રમુખ શ્રી શ્વેતલ ભટ્ટે સંઘપ્રદેશના આરોગ્‍ય સચિવ શ્રી અરુણ ટી.ને લેખિત અરજી કરી અનુરોધ કર્યો છે કે વહેલામાં વહેલી તકે મીઠાઈઓના લીધેલા સેમ્‍પલોનો રિપોર્ટ જાહેર જનતા સમક્ષ રજૂ કરવામાં આવે જેથી ગ્રાહકો એ અસમંજસમાં નહીં મુકાય કે મીઠાઈની ખરીદી કરવી કે નહીં..?

Related posts

સંઘપ્રદેશની અષ્‍ટસિદ્ધિના 8 વર્ષઃ નવ નિધિના ‘નમો’ દાતા

vartmanpravah

નાની દમણ બસ સ્‍ટેન્‍ડ પાસે ટોયલેટ, પીવાના પાણી તથા રેસ્‍ટ રૂમની સુવિધા માટે દાનહ અને દમણ-દીવ બહુજન સમાજ પાર્ટીએ કરેલી રજૂઆત

vartmanpravah

વંકાલ ગામે તળાવમાંથી કોઈ પણ મંજુરી વિના માટીનું મોટા પાયે ખોદકામ કરવા અંગે માજી સરપંચ દ્વારા જિલ્લા કલેકટર સહિત ઉચ્‍ચ અધિકારીઓને લેખિત રજૂઆત

vartmanpravah

આર.કે.દેસાઈ કોલેજ ઓફ એજ્યુકેશન,વાપીમાં “Competitive Exam” વિષય પર વ્યાખ્યાન યોજાયું

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શન અને પહેલથી

vartmanpravah

નાની દમણના ત્રણબત્તી ટાવરની અને બામણપૂજા સર્કલ પરની બંધ પડેલ જમીન ઘડિયાળ પ્રદેશના વિકાસ માટે અશુભ સંકેતઃ યુવા નેતા તનોજ પટેલ 

vartmanpravah

Leave a Comment