October 20, 2024
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદેશસેલવાસ

દિવાળીના તહેવારને ધ્‍યાનમાં રાખી મીઠાઈઓની દુકાનોમાંથી લેવામાં આવેલ સેમ્‍પલોના રિપોર્ટને વહેલી તકે સાર્વજનિક કરવા માટે શિવસેના પ્રમુખ શ્વેતલ ભટ્ટની આરોગ્‍ય સચિવને રજૂઆત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.16 : દિવાળીના તહેવારને ધ્‍યાનમાં રાખી દાનહની મીઠાઈઓની દુકાનોમાંથી ગત દિવસોમાં લેવામાં આવેલ સેમ્‍પલોના રિપોર્ટને વહેલામાં વહેલી તકે સાર્વજનિક કરવા માટે પ્રદેશ શિવસેના પ્રમુખ શ્રી શ્વેતલ ભટ્ટે સંઘપ્રદેશના આરોગ્‍ય સચિવને લેખિત રજૂઆત કરી છે.
થોડા દિવસ પહેલાં જ દાનહ જિલ્લાના આરોગ્‍ય વિભાગના સબંધિત અધિકારીઓએ દિવાળીના તહેવારને ધ્‍યાનમાં રાખી પ્રદેશની કેટલીક મીઠાઈની દુકાનોમાંથી સેમ્‍પલ લીધા હતા, પરંતુ હજુ સુધી આ સેમ્‍પલનો રિપોર્ટ જાહેર કરવામાં આવ્‍યો નથી. તેથી લોકોમાં ચર્ચાઈ રહ્યું છે કે, રિપોર્ટ દિવાળી પહેલા આવશે કે દિવાળી પછી..? જો રિપોર્ટ દિવાળી પછી આવશે તો ત્‍યા સુધીમાં તો પ્રદેશના લોકો હજારો કિલો મીઠાઈઓ ખાઈ ચુક્‍યા હશે. આ સ્‍થિતિમાં લોકોને કેવી રીતે ખબર પડશે કે કઈ દુકાનની મીઠાઈ મિલાવટવાળી છે કે શુદ્ધ છે? દિવાળીનો તહેવાર માથે છે, પ્રદેશની કેટલીક દુકાનોમાં મીઠાઈ વેચવાની શરૂપણ થઈ ચુકી છે. લોકોના આરોગ્‍યની સાથે ખિલવાડ નહીં થાય, તે વાતને ધ્‍યાનમાં લઈ આરોગ્‍ય વિભાગે તાત્‍કાલિક અસરથી મીઠાઈના સેમ્‍પલોનો રિપોર્ટ સાર્વજનિક કરી દેવામાં આવે જેથી લોકોને સચ્‍ચાઈની ખબર પડે અને શુદ્ધ ગુણવત્તાવાળી મીઠાઈ જ ખરીદી શકે.
દાદરા નગર હવેલી શિવસેના પ્રદેશ પ્રમુખ શ્રી શ્વેતલ ભટ્ટે સંઘપ્રદેશના આરોગ્‍ય સચિવ શ્રી અરુણ ટી.ને લેખિત અરજી કરી અનુરોધ કર્યો છે કે વહેલામાં વહેલી તકે મીઠાઈઓના લીધેલા સેમ્‍પલોનો રિપોર્ટ જાહેર જનતા સમક્ષ રજૂ કરવામાં આવે જેથી ગ્રાહકો એ અસમંજસમાં નહીં મુકાય કે મીઠાઈની ખરીદી કરવી કે નહીં..?

Related posts

રખોલી ખાતેની મધુબન હોટલમાં કામ કરતા 55 વર્ષિય પુરૂષની બાઈક સ્‍લીપ થતાં સારવાર દરમ્‍યાન થયેલું મોત

vartmanpravah

શનિવારે દાદરા નગર હવેલીમા ચાર ઇંચથી વધુ વરસાદ વરસ્‍યો

vartmanpravah

ઉમરગામની કંપનીમાં મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા મહિલાઓની જાતિય સતામણી અંગે સેમિનાર યોજાયો

vartmanpravah

સંઘપ્રદેશના શિક્ષણ સચિવ પૂજા જૈન અને ટ્રાન્‍સપોર્ટ સચિવ દાનિસ અસરફની દિલ્‍હી બદલીનો આદેશ

vartmanpravah

થ્રીડી પ્રદેશ ભાજપ સચિવ જીજ્ઞેશભાઈ પટેલ અને ઘેલવાડના સરપંચ હિતાક્ષીબેન પટેલે પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીના જન્‍મ દિવસની આનંદ ઉત્‍સાહ સાથે નવતર રીતે કરેલી ઉજવણી

vartmanpravah

પંચગીની ખાતે આયોજીત ટ્રાઇબલ લીડરશીપ પ્રોગ્રામમાં દાનહના બે યુવાઓની થયેલી પસંદગી

vartmanpravah

Leave a Comment