March 2, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ તાલુકા ના ધરાસણા ગામ ના ચિલ્ડ્રન હોમ ની બાળાઓ ને વસ્ત્રો નું વિતરણ કરાયું

ડુંગરી ના સેવાભાવી કાર્યકર જગદીશ ખારા ના પરિવાર દ્વારા તેમના માતા પિતા ની સ્મૃતિમાં કરાયું આયોજન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.23: વલસાડ તાલુકા ના ધરાસણા ગામ ખાતે આવેલ ચિલ્ડ્રન હોમ ખાતે રાખવામાં આવેલ બાળાઓ ને વસ્ત્રો નું વિતરણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. ડુંગરી ગામ ના સેવાભાવી કાર્યકર જગદીશ ખારા દ્વારા તેમના પિતા સદ્દગત મણિલાલ ખારા અને માતા સદ્દગત ચંપાબેન ખારા ની પુનિત સ્મૃતિ માં ચિલ્ડ્રન હોમ ની તમામ બાળાઓ ને વસ્ત્રો નું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે પ્રાસંગિક ઉદબોધન માં સામાજિક કાર્યકર જગદીશ ખારા એ જણાવ્યું હતું કે ગુજરાત સરકાર ના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા નિરાધાર અને અનાથ બાળકો ની સુરક્ષા, દેખરેખ,માવજત અને શિક્ષણ આપવાનું ઉમદા કાર્ય કરવામાં આવે છે. ધરાસણા ગામ ખાતે ના આ ચિલ્ડ્રન હોમ નું સંચાલન એગ્રીક્લચર અને રૂરલ ડેવલોપમેન્ટ ફાઉન્ડેશન સંસ્થા ના પ્રમુખ તારાબેન ખાંડાવાલા હસ્તક ચાલી રહયું છે.તેમણે કહયું કે તેમના માતા પિતા એ તેમને સેવા અને સંસ્કાર નો વારસો આપ્યો છે. સમાજ ના નિરાધાર અને તરછોડાયેલા લોકો અને બાળકો પ્રત્યે તેમના પિતા મણિલાલ ખારા ને અપાર પ્રેમ અને લાગણીઓ હતી. એટલે તેમની પુનિત યાદ માં દર વર્ષે જુદા જુદા વિસ્તાર માં જઈ તેમના પરિવાર દ્વારા ગરીબ, નિરાધાર અને પછાત બાળકો ને સહાય કરવાનો સેવા યજ્ઞ કરવામાં આવી રહયો છે..આ પ્રસંગે સંસ્થા ના પ્રમુખ તારાબેન ખાંડાવાલા એ ચિલ્ડ્રન હોમ ની જાણકારી આપી જગદીશ ખારા અને તેમના પરિવાર ની સેવા ભાવના ને બિરદાવી હતી. આ પ્રસંગે ચીખલી ના જાદુગર ડી. રાજા એ જાદુ નો કાર્યક્રમ રજુ કરી બાળકો ને મનોરંજન પૂરું પાડ્યું હતું..
આ કાર્યક્રમ માં વલસાડ ના એડવોકેટ જગદીશ પટેલ, નિલય ખારા, ઉર્વીબેન ખારા, ચિલ્ડ્રન હોમ ના હિનાબેન પટેલ,ઈલા બેન પટેલ અને સ્ટાફ હાજર રહયા હતા.

Related posts

દાદરા નગર હવેલી ગવર્નમેન્‍ટ એમ્‍પ્‍લોઇઝ મ્‍યુચ્‍યુઅલ સોસાયટીની સાધારણ સભા યોજાઈ

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના દિશાનિર્દેશ અને પંચાયતીરાજ સચિવ ગૌરવ સિંહ રાજાવતના નેતૃત્‍વમાં સંઘપ્રદેશમાં ‘સ્‍વચ્‍છતા દિવસ’ની ઐતિહાસિક બનેલી ઉજવણી

vartmanpravah

વાપી બલીઠા હાઈવે ઉપર રેલવે પાટામાં કાર ફસાઈ જતા રેલ વહેવાર પ્રભાવિત થયો

vartmanpravah

પ્રાથમિક મરાઠી કેન્‍દ્ર શાળા સેલવાસમાં ‘સ્‍પેલિંગ-બી’ સ્‍પર્ધા યોજાઈ (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.22 પ્રાથમિક શિક્ષણ વિભાગ દાનહની પાલિકા સંચાલિત મરાઠી કેન્‍દ્ર શાળા સેલવાસ ખાતે ધોરણ1થી 8ના વિદ્યાર્થીઓ માટે ‘સ્‍પેલિંગ-બી’ સ્‍પર્ધાનું આયોજન કરવામા આવ્‍યું હતું. જેમાં વિદ્યાર્થીઓના અંગ્રેજીના શબ્‍દોની ચકાસણી કરવામાં આવી હતી. આ સ્‍પર્ધામાં ધોરણ 1થી 5મા અરૂંધતી રોય ગ્રુપ અને ધોરણ 6થી 8વિલ્‍યમ શેક્‍સપિયર ગ્રુપે પ્રથમ સ્‍થાન પ્રાપ્ત કર્યું હતુ કાર્યક્રમમાં મુખ્‍ય અતિથિ તરીકે હિન્‍દી મીડીયમ શાળાના આચાર્ય બ્રજભૂષણ ઝા અને ગુજરાતી મીડીયમના આચાર્ય કળષ્‍ણાબેન માત્રોજા ઉપસ્‍થિત રહ્યા હતા.

vartmanpravah

તા.૧૯મીએ વલસાડ ખાતે રાષ્‍ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન અંતર્ગત ક્રેડિટ કેમ્‍પ યોજાશે

vartmanpravah

વેસ્‍ટર્ન રેલ્‍વે જી.એમ.એ. વાપીમાં કાર્યરત ડી.એફ. સી.આઈ.એલ. પ્રોજેક્‍ટ કામગીરીનું નિરીક્ષણ કર્યુ

vartmanpravah

Leave a Comment