April 18, 2026
Vartman Pravah
Breaking Newsદમણદીવદેશસેલવાસ

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના દિશાનિર્દેશ અને પંચાયતીરાજ સચિવ ગૌરવ સિંહ રાજાવતના નેતૃત્‍વમાં સંઘપ્રદેશમાં ‘સ્‍વચ્‍છતા દિવસ’ની ઐતિહાસિક બનેલી ઉજવણી

દાનહની 20 ગ્રામ પંચાયતો, દમણની 14 અને દીવની 4 ગ્રામ પંચાયતોના સરપંચો, જિ.પં.સભ્‍યો, ગ્રા.પં.સભ્‍યો, ફાળવેલ શિક્ષકો અને સફાઈકર્મીઓનીસાવધાનીથી પ્રદેશના ગ્રામ્‍ય વિસ્‍તારોમાં આવેલી ચમક

સુપરવાઈઝરી અધિકારીઓ અને નોડલ ઓફિસરોના માર્ગદર્શનથી સ્‍વચ્‍છતા દિવસની ઉત્‍સાહભેર થયેલી ઉજવણી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.13
સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના દિશા-નિર્દેશ અને માર્ગદર્શન હેઠળ પ્રદેશના પંચાયતીરાજ વિભાગના સચિવ શ્રી ગૌરવ સિંહ રાજાવતના નેતૃત્‍વમાં આજે દાદરા નગર હવેલી અને દમણ-દીવના તમામ ગ્રામ્‍ય વિસ્‍તારોમાં ‘સ્‍વચ્‍છતા દિવસ’ની ઉજવણી ભારે ઉત્‍સાહ સાથે આદતોને બદલવાના સંકલ્‍પ સાથે કરવામાં આવી હતી.
દાદરા નગર હવેલીની ર0, દમણની 14 અને દીવની 4 ગ્રામ પંચાયતોમાં સરપંચો, જિલ્લા પંચાયત સભ્‍યો, ગ્રામ પંચાયતના સભ્‍યો અને શિક્ષકોની ટીમ સાથે પ્રશાસન દ્વારા નિયુક્‍ત નોડલ ઓફિસર અને સુપરવાઈઝરી અધિકારીઓના નિરીક્ષણ હેઠળ ‘સ્‍વચ્‍છતા દિવસ’ની ઉજવણી પ્રદેશના ઈતિહાસમાં ખુબ જ ચિવટાઈથી કરવામાં આવી હતી.
સવારના 9:00 વાગ્‍યાથી ગ્રામ પંચાયતોના સરપંચ, જિ.પં.સભ્‍ય, પંચાયતના સભ્‍યો, શિક્ષકો તથા સુપરવાઈઝરી અધિકારી અને નોડલ ઓફિસરના સાથે સફાઈ ઉપરાંત લોકોને જાગૃત પણ કરાયા હતા. જેમાં સ્‍વચ્‍છતા પ્રહરી એપ ડાઉનલોડ કરી તેના ઉપયોગની સમજ, ભીનો અને સુકો કચરો અલગ તારવવા, પ્‍લાસ્‍ટિકનો વપરાશ બંધ કરવા જેવી બાબતોનોસમાવેશ થતો હતો.
સંઘપ્રદેશમાં ‘સ્‍વચ્‍છતા દિવસ’ની થયેલી ઉજવણી બાદ સમગ્ર ગ્રામ્‍ય વિસ્‍તારોમાં ગંદકી અને કચરો ગાયબ દેખાય રહ્યો છે. લોકોમાં પણ સ્‍વયંભૂ જાગૃતિ આવી રહી છે. જેના કારણે પ્રશાસનના આદતોને બદલવાના અભિયાનને પણ મજબૂતી મળી રહી છે.

Related posts

વલસાડ જિલ્લાના સામાજિક, શૈક્ષણિક અને સેવાભાવી કાર્યકરોનું ગોવામાં સન્માન કરાયું

vartmanpravah

દમણ પોલીસે નાની દમણ બસ સ્‍ટેન્‍ડ ખાતે એક અજાણ્‍યા વ્‍યક્‍તિની થયેલી હત્‍યાનો માત્ર 72 કલાકમાં ઉકેલેલો ભેદ

vartmanpravah

દાદરા નગર હવેલીમાં વિશ્વ બાયોડાઈવર્સિટી દિવસની કરાયેલી ઉજવણી

vartmanpravah

‘ચલો બુલાવા આયા હે, સાંઈ બાબાને બુલાયા હે’ દમણઃ મરવડના યુવાનોએ પદયાત્રા દ્વારા શિરડીનું કરેલું પ્રસ્‍થાન

vartmanpravah

દમણના મહિલા મંડળના સ્‍થાપક પ્રભાબેન શાહની ભારત સરકારે પદ્મશ્રી પુરસ્‍કાર માટે કરેલી જાહેરાત

vartmanpravah

દાદરા નગર હવેલી મુક્તિસંગ્રામ ઍ સંઘના સ્વયંસેવકોઍ કરેલો સંગ્રામ છે અને તત્કાલિન અધિકારીઅોઍ તે માટે શક્ય તેટલી મદદ કરેલી છે

vartmanpravah

Leave a Comment