October 15, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલી રાનકુવા ગ્રામ પંચાયતની બે-બે વખત નોટિસ છતાં ગેરકાયદે બાંધકામનો ધમધમાટ

ગેરકાયદેસર બાંધકામ પર લગામ કસવા માટે સ્‍થાનિક તંત્ર
કાર્યવાહી કરે તેવી લોકોની માંગ

((વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી (વંકાલ), તા.23: રાનકુવા ગામે બ્‍લોક નંબર 1342/ પૈકી 1 (જૂનો નં.98) વાળી બિનખેતીની જમીનમાં કરવામાં આવી રહેલ બાંધકામ બાબતે રાનકુવા ગ્રામ પંચાયત દ્વારા બજરંગ લાલ ગણપતરામ વગેરેને નોટીશ પાઠવી બાંધકામ એન.એ.ના હુકમ, નગર નિયોજક દ્વારા મંજૂર કરાવેલ પ્‍લાન, બાંધકામ પરવાનગી વગેરે આધાર પુરાવા સાથે દિન-7 માં લેખિત ખુલાસો કરવામાં જણાવાયું છે. જોકે આ પ્રકારની નોટીશ બીજી વખત પણ આપવા છતાં સ્‍થળ પર બાંધકામ યથાવત સ્‍થિતિમાં ચાલુ જ જાણવા મળેલ છે. વધુમાં ઉપરોક્‍ત બાંધકામ કરતી વખતે નગર નિયોજકની કચેરીમાંથી કોઈ પણ પ્રકારના બાંધકામના નકશા પણ મંજૂર ન કરાવી નીતિ નિયમોની ઐસીતૈસી કરી બાંધકામ કરવામાં આવી રહેલ છે. સાથે ડ્રેનેજની પૂરતી વ્‍યવસ્‍થા સહિત બિનખેતીની શરતોનો પણ આ બાંધકામમાં ખુલ્લેઆમ ભંગ થઈ રહ્યો હોવાનું જાણવા મળેલ છે. રાનકુવા ગ્રામ પંચાયતની બે વારની નોટીશ આ રીતે ઘોળી ને પી જવામાં આવતી હોય તેવામાં સ્‍થાનિક વહીવટી તંત્રનો આ પ્રકારે ગેરકાયદેસરબાંધકામ કરનારાઓ પર કોઈ અંકુશ રહ્યો નથી અને તેઓને ગેરકાયદેસર બાંધકામ કરવા માટે મોકળું મેદાન મળી જવા પામ્‍યું છે ત્‍યારે સ્‍થાનિક તંત્ર દ્વારા આ બાંધકામ તાત્‍કાલિક ધોરણે અટકાવી જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી

રાનકુવા-વાંસદા રોડ પર 11 કેવી હાઈટેનશન વીજ લાઈન પસાર થાય

રાનકુવામાંથી અગિયાર કેવી જેવી હાઈટેનશન હેવી વીજલાઈન પણ પસાર થાય છે આ વીજલાઈનથી નિયમોનુસાર છોડવાનું થતું અંતર પણ ન છોડી બાંધકામ કરવામાં આવી રહ્યું છે અને સમગ્ર બાબતે તંત્ર દ્વારા આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે પરંતુ અંતર ન છોડી એન એની શરતો, જેટકોની એનઓસીનો પણ ભંગ કરવામાં આવી રહેલ છે જે ભવિષ્‍યમાં લોકો માટે ઘાતક પુરવાર થાય તો નવાઇ નહિ ત્‍યારે આ માટે તંત્ર કુંભકર્ણની નિંદ્રામાંથી જાગે તે જરૂરી છે.

Related posts

દમણમાં કોરોનાના બે પોઝિટિવ કેસ મળતાં તહેવારની મોસમમાં ચિંતાનું કિરણઃ દાનહમાં શૂન્‍ય

vartmanpravah

ભારતીય જનતા પાર્ટી પ્રદેશ મહિલા મોરચા દ્વારા સુશાસન દિવસ અંતર્ગત અટલ બિહારી વાજપેયીજીના વિષયમાં મોડર્ન સ્‍કૂલમાં વકતૃત્‍વ સ્‍પર્ધાનું આયોજન

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલનું ‘મિશન લક્ષદ્વીપ’ : સમયાંતરે લક્ષદ્વીપની મુલાકાત લઈ અહીના જીવન ધોરણને ઊંચુ લાવવા શરૂ કરેલી પ્રશાસનિક કવાયત

vartmanpravah

સંઘપ્રદેશ દાનહ-દમણ-દીવ ભાજપ લઘુમતી મોરચાની રાષ્ટ્રીય વર્ચ્‍યુઅલ મીટિંગ યોજાઈ

vartmanpravah

ભારતરત્‍ન અટલબિહારી વાજપેયીજીની જન્‍મ જયંતી નિમિત્તે પારડીના સમાજસેવકે 104મી વખત રક્‍તદાન કર્યું

vartmanpravah

સલવાવ ગુરુકુળમાં મધર ક્રિએશન સોલ્‍ટ સ્‍પર્ધા યોજાઈ: 175 વાલીઓએ ભાગ લીધો

vartmanpravah

Leave a Comment