July 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવાપીસેલવાસ

વલસાડમાં આદિવાસી સંઘર્ષ મોરચા દ્વારા જમીન સહિતની પડતર માંગણીઓ માટે આદિવાસી સમાજ દ્વારા રેલી યોજાઈ

ધરમપુર, કપરાડા અને ઉમરગામના આદિવાસીઓ રેલીમાં જોડાઈને કલેક્‍ટરને આવેદનપત્ર આપ્‍યું

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.22: વલસાડમાં આજે શુક્રવારે આદિવાસી સંઘર્ષ મોરચા દ્વારા જમીન સહિતની પડતર માંગણીઓ માટે ધરમપુર, કપરાડા અને ઉમરગામ તાલુકાના આદિવાસીઓએ રેલી કાઢી હતી. રેલી જાહેર માર્ગો ઉપર ફરી કલેક્‍ટર કચેરીએ પહોંચીને કલેક્‍ટરને આવેદનપત્ર પાઠવ્‍યું હતું.
આદિવાસી સંઘર્ષ મોરચાના આગેવાનોએ તેમની માંગણી માટે જણાવ્‍યું હતું કે, વન અધિકાર કાનૂન 2006 મુજબ આદિવાસીઓને જંગલની જમીન જે આપવાની થાય છે તે અપાઈ નથી. માત્ર બે કે ત્રણ ગુંઠા જમીન આપી સરકાર આદિવાસીઓ સાથે મજાક કરી રહી છે. સરકાર માત્ર મોટી મોટી જાહેરાતો કરે છે પરંતુ વાસ્‍તવિક કામગીરી થતી નથી. જંગલ જમીનનો મહત્ત્વનો મુદ્દો છે. સાથે વિકાસની વાતો કરે છે. પણ આદિવાસી વિસ્‍તારોમાં વિકાસ પહોંચ્‍યો નથી તે સિવાય પશુપાલન યોજના તથા મકાન યોજનાના લાભો અપાતા નથી. ત્રણ પેઢીથી રહેતા હોય તેવા મકાનો નામે કરવા માટે સરકારી તંત્ર અખાડા કરે છે. જે અપ્રાપ્ત કાગળો હોય તેવા કાગળોની માંગણી કરીને આદિવાસીઓને રખડાવામાં આવે છે. સેંકડો લોકોના ઘર નામે થઈ શક્‍યા નથી. આવી અનેક માંગણી પડતર છે. જેનુંનિરાકરણ નહી થાય તો આગામી સમયે ઉગ્ર આંદોલનની આદિવાસી નેતાઓએ ચિમકી ઉચ્‍ચારી હતી.

Related posts

વિદેશ જવા રૂપિયા માંગી અને ચારિત્ર્ય પર ખોટા આક્ષેપો કરી શારીરિક-માનસિક ત્રાસ આપતા ચીખલીના ઘેકટીના પતિ અને સાસુ-સસરા વિરૂધ્ધ પરણિતાઍ નોંધાવેલી ફરિયાદ

vartmanpravah

આજે દમણમાં 18, દાનહમાં 16 અને દીવમાં 02 કોરોના પોઝિટિવ કેસો નોંધાયા: સંઘપ્રદેશ પ્રશાસને પણ અગમચેતીના પગલાં રૂપે સતર્કતાના અનેક પગલાં પણ ભર્યા છે

vartmanpravah

વલસાડ મોટા સુરવાડામાં બે યુવાનોએ ગ્રામજનો સમક્ષ એલ.ઈ.ડી. માધ્‍યમથી ભ્રષ્‍ટાચારનો પર્દાફાશ કર્યો

vartmanpravah

સાયલી નહેર નજીકથી યુવતીની લાશ મળી આવતા ચકચાર

vartmanpravah

ચીખલીના સતાડીયા ગામે થયેલી મારામારીમાં એક મહિલા સહિત ત્રણ સામે ગુનો નોંધાયો

vartmanpravah

દમણ લાઈટ હાઉસ બીચ ઉપર ‘હર ઘર તિરંગા’ અભિયાનને સફળ બનાવવા સંસ્‍કૃતિ મંત્રાલય દ્વારા કાર્યક્રમ યોજાયો

vartmanpravah

Leave a Comment