January 16, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

દાનહમાં કમોસમી વરસાદથી ખેડૂતોમાં ચિંતાનો માહોલઃ ફલૂ જેવા રોગચાળામાં થઈ રહેલો વધારો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.19 : હવામાન ખાતાની આગાહી મુજબ શનિ અને રવિવારે દાદરા નગર હવેલીના અંતરિયાળ વિસ્‍તારમાં વાતાવરણમાં પલ્‍ટો આવ્‍યા બાદ વીજળીના કડાકા-ભડાકા અને ભારે પવન સાથે કમોસમી વરસાદ વરસ્‍યો હતો. દાનહના ઊંડાણ વિસ્‍તારના ગામડાઓ એવા માંદોની, સિંદોની, બેડપા સહિતના વિવિધ ગામોના આસપાસના વિસ્‍તારમાં વરસાદ વરસતા કેરી સહિત શાકભાજીના પાકને વ્‍યાપક નુસકાન થવા પામ્‍યું હતું.
છેલ્લા એક અઠવાડીયાથી બદલાયેલાવાદળછાયા વાતાવરણ અને કમોસમી વરસાદને કારણે કેરીના પાક અને શાકભાજીના પાકને મોટું મોટું નુકસાન થઈ રહ્યું છે. ખેતરોમાં પણ પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે. હવામાન વિભાગ દ્વારા હજુ પણ આગામી બે દિવસ વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે જેના કારણે પ્રદેશના ખેડૂતો સહિત આમજનતામાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. કમોસમી વરસાદના કારણે ફલુ જેવા રોગચાળામાં પણ વધારો થઈ રહ્યો છે.

Related posts

ચીખલી તાલુકામાં તલાટી બાદ હવે આરોગ્‍ય કર્મચારીઓ પડતર માંગણીઓને લઈને હડતાલ

vartmanpravah

દમણના પાર્થ જોશીએ ગોવાની સ્‍ટેટ રેન્‍કિંગ બેડમિન્‍ટન ટુર્નામેન્‍ટમાં રજત ચંદ્રક જીત્‍યો

vartmanpravah

વલસાડથી પારડી મોપેડ ઉપર નોકરી જઈ રહેલ યુવતિની મોપેડને કન્‍ટેનરે ટક્કર મારતા ઘટના સ્‍થળે મોત

vartmanpravah

વાપીની આર. કે. દેસાઈ ગ્રુપ ઓફ કોલેજીસમાં 2024-25ની પ્રવેશ પ્રક્રિયા શરૂ

vartmanpravah

રાનકુવામાં ત્રણ બકરીનો શિકાર બાદ કુકેરી ગામે ફરીથી બકરીનો શિકાર કરતા સ્‍થાનિકોમાં ગભરાહત

vartmanpravah

પારડીમાં સ્‍વાધ્‍યાય મંડળ દ્વારા બાહ્ય આડંબર કે ખોટા ખર્ચાઓ ન કરી ગણેશજીની પ્રતિમાનુંકરાયેલું સ્‍થાપન

vartmanpravah

Leave a Comment