Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

દાનહમાં કમોસમી વરસાદથી ખેડૂતોમાં ચિંતાનો માહોલઃ ફલૂ જેવા રોગચાળામાં થઈ રહેલો વધારો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.19 : હવામાન ખાતાની આગાહી મુજબ શનિ અને રવિવારે દાદરા નગર હવેલીના અંતરિયાળ વિસ્‍તારમાં વાતાવરણમાં પલ્‍ટો આવ્‍યા બાદ વીજળીના કડાકા-ભડાકા અને ભારે પવન સાથે કમોસમી વરસાદ વરસ્‍યો હતો. દાનહના ઊંડાણ વિસ્‍તારના ગામડાઓ એવા માંદોની, સિંદોની, બેડપા સહિતના વિવિધ ગામોના આસપાસના વિસ્‍તારમાં વરસાદ વરસતા કેરી સહિત શાકભાજીના પાકને વ્‍યાપક નુસકાન થવા પામ્‍યું હતું.
છેલ્લા એક અઠવાડીયાથી બદલાયેલાવાદળછાયા વાતાવરણ અને કમોસમી વરસાદને કારણે કેરીના પાક અને શાકભાજીના પાકને મોટું મોટું નુકસાન થઈ રહ્યું છે. ખેતરોમાં પણ પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે. હવામાન વિભાગ દ્વારા હજુ પણ આગામી બે દિવસ વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે જેના કારણે પ્રદેશના ખેડૂતો સહિત આમજનતામાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. કમોસમી વરસાદના કારણે ફલુ જેવા રોગચાળામાં પણ વધારો થઈ રહ્યો છે.

Related posts

સંઘપ્રદેશ ખેલ અને યુવા વિભાગ દ્વારા ઓપન લેવલ બિલીયર્ડસ સ્‍પર્ધાનું આયોજન કરાયું

vartmanpravah

દીવ ખાતે G-20 સમિતિના પ્રતિનિધિઓનું ભવ્‍ય સ્‍વાગત કરાયું

vartmanpravah

ચીખલીના તેજલાવમાં રજાના દિવસે વીજ કંપનીને જાણ કર્યા વિના કામ કરાવનાર કોન્‍ટ્રાક્‍ટરની લાપરવાહીથી શ્રમિકનું વીજ કરંટ લાગતા મોત

vartmanpravah

દાનહ બેઠકના કોંગ્રેસના ઉમેદવારની જાહેરાત હવે ગમે તે ઘડીએ થઈ જશેઃ કોંગ્રેસ પ્રમુખ મહેશભાઈ શર્મા

vartmanpravah

કેબીએસ એન્‍ડ નટરાજ કોલેજમાં ચાર્ટર્ડ એકાઉન્‍ટ તેમજ જી.એસ. ટી. દિવસની ઉજવણી થઈ

vartmanpravah

આર.કે. દેસાઈ ગ્રુપ ઓફ કોલેજીસ વાપીનું ગૌરવ

vartmanpravah

Leave a Comment