April 18, 2026
Vartman Pravah
Breaking Newsદમણ

દમણમાં હવે ભાઈગીરી નહીં ચાલે: દમણના ચર્ચાસ્‍પદ ફોરર્ચ્‍યુન વર્લ્‍ડ મારામારી ઘટનામાં જયેશ પટેલ સહિતના 3 આરોપીઓ સામે વધુ 23મી સપ્‍ટે. સુધીના પોલીસ રિમાન્‍ડ

અન્‍ય આરોપીઓ જ્‍યુડિશિયલ કસ્‍ટડીમાં
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા. 21
‘દમણમાં હવે ભાઈગીરી નહીં ચાલે’ની ઘટનાની પ્રતિતિ ગત તા.13મી સપ્‍ટેમ્‍બરે કોલેજ રોડ ઉપર આવેલ ફોરર્ચ્‍યુન વર્લ્‍ડ એપાર્ટમેન્‍ટમાં ખાણી-પીણીની પાર્ટીમાં બેઠેલા દુણેઠાના જયેશ નાનુ પટેલ અને અન્‍ય 20 થી 25 મિત્રોએ તેમના જ મિત્ર ગૌતમ કાંતિભાઈ પટેલ અને બીજા સાથે કરેલી મારપીટની ઘટનામાં આજે પોલીસ રિમાન્‍ડ પૂર્ણ થતાં ધરપકડ કરાયેલા આરોપીઓને નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરતા ફરી (1)જયેશ નાનુભાઈ પટેલ, (2)તોરલ ઉર્ફે તરૂ સતિષ હળપતિ અને (3)સાનુ તેજબહાદુર સરોજને વધુ 23મી સપ્‍ટેમ્‍બર સુધી પોલીસ રિમાન્‍ડ આપવાનો આદેશ જારી કર્યો છે. જ્‍યારે અન્‍ય ધરપકડ કરાયેલા આરોપીઓને 14મી ઓક્‍ટોબર સુધી જ્‍યુડિશિયલ કસ્‍ટડી મંજુર કરાઈ છે.
અત્રે નોંધનીય છે કે, ગત તા.13મી સપ્‍ટેમ્‍બર 2021ના રોજ દમણ પોલીસ સ્‍ટેશનમાં ફરિયાદી કાંતિભાઈ પટેલે પોતાની ફરિયાદમાં જણાવ્‍યું હતું કે તેઓ અનેઅન્‍ય મિત્રોની સાથે ફોરર્ચ્‍યુન વર્લ્‍ડ એપાર્ટમેન્‍ટ કોલેજ રોડ નાની દમણ ખાતે ખાવા-પીવાની પાર્ટી ઉપર બેઠા હતા. જ્‍યાં દુણેઠાના જયેશ નાનુ પટેલ અને અન્‍ય 20 થી 25 જેટલા મિત્રોએ ફરિયાદી અને તેમના મિત્રો સાથે મારપીટ કરી ઈજા પહોંચાડી હતી અને ફરિયાદીના ખિસ્‍સામાંથી રોકડા રૂા.6000 અને ગળામાં પહેરેલ 7 તોલા ચેન આરોપી દ્વારા ઝૂંટવી લેવામાં આવી હતી અને જયેશ નાનુ પટેલ તથા તેમના મિત્રોએ ફરિયાદીને જાનથી મારી નાંખવાની ધમકી પણ આપી હતી. જેના સંદર્ભમાં દમણ પોલીસે 397, 506(2), આરડબ્‍લ્‍યુ34 આઈપીસી અંતર્ગત ગુનો નોંધી 9 આરોપીઓની ધરપકડ કરી હતી.

Related posts

વાપી ચલામાં યોજાયેલી કરાટેની પરિક્ષામાં ઉત્તીર્ણ થતાં 100 ઉપરાંત વિદ્યાર્થીઓ

vartmanpravah

જિલ્લા વિજ્ઞાન કેન્‍દ્ર ધરમપુર ખાતે સ્‍વતંત્રતાના 75 વર્ષઃ વિજ્ઞાન અનેટેકનોલોજીમાં ભારતની સિદ્ધિઓપ્રદર્શનનું ઉદ્‌ઘાટન કરાયું

vartmanpravah

વાપી, ઉમરગામ, કપરાડા 5 મંડળોમાં ભાજપ પ્રમુખપદ માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા હાથ ધરાઈ

vartmanpravah

નવસારી જિલ્લાની ચારેય વિધાનસભા બેઠકમાં આદર્શ મતદાન મથક ઉભું કરતું ચૂંટણી તંત્ર

vartmanpravah

ઉમરગામ ટાઉનમાં પોલીસ તંત્રનો સેમીનાર: ઈ-એફઆઈઆરથી ઉપસ્‍થિતોને અવગત કરાયા

vartmanpravah

વાપીમાં નાર્કોટિક્‍સના ગુનામાં ઝડપાયેલ એનસીબીએ સીલ કરેલ કંપનીમાં પ્રવેશ, પુરાવા સાથે ચેડા?

vartmanpravah

Leave a Comment