January 16, 2026
Vartman Pravah
ગુજરાતડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

નાની દમણ શાકભાજી માર્કેટ ખાતે પે એન્‍ડ યુઝ શૌચાલય તથા સ્‍નાનાગૃહનો દમણ ન.પા. અધ્‍યક્ષ અસ્‍પીભાઈ દમણિયાએ કરાવેલો આરંભ

લાંબા સમયથી ચાલતી શાકભાજી વિક્રેતાઓની સમસ્‍યાનો આવેલો ઉકેલઃ દમણ ન.પા.ને પાઠવવામાં આવી રહેલા અભિનંદન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.13: દમણ નગરપાલિકાના અધ્‍યક્ષ શ્રી અસ્‍પીભાઈ દમણિયાએ આજે નાની દમણ શાકભાજી માર્કેટ ખાતે નવનિર્મિત પે એન્‍ડ યુઝ શૌચાલય અને સ્‍નાનાગૃહનું ઉદ્‌ઘાટન કર્યું હતું.
પ્રાપ્ત માહિતીપ્રમાણે નાની દમણ શાકભાજી માર્કેટ ખાતે લાંબા સમયથી શૌચાલયની આવશ્‍યકતા હતી. શૌચાલય નહીં હોવાના કારણે દુર દુરથી આવતા શાકભાજી વિક્રેતાઓને ખુલ્લામાં અથવા અન્‍યત્ર શૌચ માટે જવાની ફરજ પડતી હતી. તેની સામે દમણ ન.પા.ના અધ્‍યક્ષ શ્રી અસ્‍પીભાઈ દમણિયાની પહેલથી ન્‍યૂ ઈન્‍ડિાય કન્‍સ્‍ટ્રકશન અને મેઈન્‍ટેનન્‍સ એજન્‍સી દમણના સૌજન્‍યથી નાની દમણ શાકભાજી માર્કેટ ખાતે પે એન્‍ડ યુઝ શૌચાલય અને સ્‍નાનાગૃહનું નિર્માણ કરવામાં આવ્‍યું છે.
આ પ્રસંગે દમણ ન.પા. અધ્‍યક્ષ શ્રી અસ્‍પીભાઈ દમણિયાની સાથે દમણ ન.પા. ઉપપ્રમુખ શ્રીમતી રશ્‍મીબેન હળપતિ અને વોર્ડ નં. 7ના કાઉન્‍સિલર શ્રીમતી જશવિંદર કૌર ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

બેંકના વહીવટદાર અને સંઘપ્રદેશના સંયુક્‍ત નાણાં સચિવ કરણજીત સિંહ વાડોદરિયાની ઉપસ્‍થિતિમાં દમણ-દીવ સ્‍ટેટ કો-ઓપરેટિવ બેંકના વયમર્યાદાના કારણે સેવા નિવૃત્ત થયેલા બે બ્રાન્‍ચ મેનેજરોને આપવામાં આવેલું નિવૃત્તિ વિદાયમાન

vartmanpravah

દમણમાં પ્રદેશ ભાજપ મહિલા મોર્ચાના ઉપાધ્‍યક્ષના નિવાસ સ્‍થાને મહાત્‍મા જ્‍યોતિબા ફૂલેને અર્પણ કરાયેલ પુષ્‍પાંજલિ

vartmanpravah

સંઘપ્રદેશોના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના ત્રિ-દિવસીય દમણ મુલાકાતનો આરંભ

vartmanpravah

પારડીના તમામ સાતવોર્ડમાં પુષ્‍પાંજલિ તથા વક્‍તવ્‍ય દ્વારા પંડિત દીનદયાળ ઉપાધ્‍યાયની જન્‍મ જયંતિની ઉજવણી

vartmanpravah

દાદરા નગર હવેલીમાં ગુરુવારે સવારે ગાઢ ધુમ્‍મસવાળા વાતાવરણને કારણે વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી. ત્‍યારબાદ આખો દિવસ વાદળછાયું વાતાવરણ હોવાને કારણે આંશિક ઠંડીનો પણ અહેસાસ થયો હતો.

vartmanpravah

સ્‍વાતંત્ર્ય પર્વની રાજ્‍ય કક્ષાની ઉજવણી પૂર્વે વલસાડમાં સાઈકલ રેલી નીકળી

vartmanpravah

Leave a Comment