Vartman Pravah
ગુજરાતડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

નાની દમણ શાકભાજી માર્કેટ ખાતે પે એન્‍ડ યુઝ શૌચાલય તથા સ્‍નાનાગૃહનો દમણ ન.પા. અધ્‍યક્ષ અસ્‍પીભાઈ દમણિયાએ કરાવેલો આરંભ

લાંબા સમયથી ચાલતી શાકભાજી વિક્રેતાઓની સમસ્‍યાનો આવેલો ઉકેલઃ દમણ ન.પા.ને પાઠવવામાં આવી રહેલા અભિનંદન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.13: દમણ નગરપાલિકાના અધ્‍યક્ષ શ્રી અસ્‍પીભાઈ દમણિયાએ આજે નાની દમણ શાકભાજી માર્કેટ ખાતે નવનિર્મિત પે એન્‍ડ યુઝ શૌચાલય અને સ્‍નાનાગૃહનું ઉદ્‌ઘાટન કર્યું હતું.
પ્રાપ્ત માહિતીપ્રમાણે નાની દમણ શાકભાજી માર્કેટ ખાતે લાંબા સમયથી શૌચાલયની આવશ્‍યકતા હતી. શૌચાલય નહીં હોવાના કારણે દુર દુરથી આવતા શાકભાજી વિક્રેતાઓને ખુલ્લામાં અથવા અન્‍યત્ર શૌચ માટે જવાની ફરજ પડતી હતી. તેની સામે દમણ ન.પા.ના અધ્‍યક્ષ શ્રી અસ્‍પીભાઈ દમણિયાની પહેલથી ન્‍યૂ ઈન્‍ડિાય કન્‍સ્‍ટ્રકશન અને મેઈન્‍ટેનન્‍સ એજન્‍સી દમણના સૌજન્‍યથી નાની દમણ શાકભાજી માર્કેટ ખાતે પે એન્‍ડ યુઝ શૌચાલય અને સ્‍નાનાગૃહનું નિર્માણ કરવામાં આવ્‍યું છે.
આ પ્રસંગે દમણ ન.પા. અધ્‍યક્ષ શ્રી અસ્‍પીભાઈ દમણિયાની સાથે દમણ ન.પા. ઉપપ્રમુખ શ્રીમતી રશ્‍મીબેન હળપતિ અને વોર્ડ નં. 7ના કાઉન્‍સિલર શ્રીમતી જશવિંદર કૌર ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

વાપી સેન્‍ટ્રલ જી.એસ.ટી. એક્‍સાઈઝ ભવનમાં સુપ્રિટેન્‍ડન્‍ટ વર્ગ-2 20 હજારની લાંચ લેતા એ.સી.બી.ના છટકામાં ઝડપાયો

vartmanpravah

ચણોદ ત્રણ રસ્‍તા રાજમાર્ગ ઉપર નેતાઓના પૂતળા રાખવાની હિલચાલ સામે ગામના નાગરિકોનો વિરોધ

vartmanpravah

સેલવાસમાં રાજભાષા વિભાગ દ્વારા હિન્‍દી પખવાડિયા અંતર્ગત હિન્‍દી વક્‍તવ્‍ય સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

દાનહના રખોલીની આર.આર.કેબલ લિમિટેડ કંપનીમાં રક્‍તદાન શિબિર યોજાઈ

vartmanpravah

માનવ અધિકાર દિવસ નિમિત્તે દાનહઃ હવેલી ઈન્‍સ્‍ટિટયૂટ ઓફ લીગલ સ્‍ટડીઝ એન્‍ડ રિસર્ચના ઉપક્રમે ટ્રાન્‍સજેન્‍ડરના અધિકારો પર એક દિવસીય વર્કશોપ યોજાયો

vartmanpravah

હિંમતનગરની માનવ ગાયનેક હોસ્પિટલમાં મોડી રાત્રે આરોગ્ય વિભાગે તપાસ હાથ ધરી (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) હિંમતનગર, તા.14:

vartmanpravah

Leave a Comment