Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સેલવાસના આરડીસી ચાર્મી પારેખ અભ્‍યાસ માટે વિદેશ જતાં સેલવાસના આરડીસી તરીકે પ્રિયાંક કિશોરની કરાયેલી નિયુક્‍તિઃ દાનિક્‍સ અધિકારી કરણજીત વાડોદરિયાને સેલવાસ સ્‍માર્ટ સીટીના સી.ઈ.ઓ. તરીકેની આપવામાં આવેલી જવાબદારી

પ્રોબેશનરી આઈ.એ.એસ. હિમાની મીણા ખાનવેલના આર.ડી.સી. તરીકે ફરજ નિભાવશે
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.16 : સેલવાસના રેસિડેન્‍ટ ડેપ્‍યુટી કલેક્‍ટર (આરડીસી) સુશ્રી ચાર્મી પારેખ અભ્‍યાસ માટે વિદેશ જઈ રહ્યા હોવાથી તેમના સ્‍થાને આરડીસી તરીકે 2020 બેચના આઈ.એ.એસ. અધિકારી શ્રી પ્રિયાંક કિશોરની નિયુક્‍તિ કરવાનો આજે આદેશ કરાયો છે.
શ્રી પ્રિયાંક કિશોરને આરડીસી સેલવાસ ઉપરાંત દાનહના સહાયક વિકાસ આયુક્‍ત, દાનહના સામાન્‍ય વહીવટ અને પ્રોટોકોલ તથા પબ્‍લિક ગ્રિવેન્‍સિસ વિભાગના ડેપ્‍યુટી ડાયરેક્‍ટર તરીકે પણ વધારાની જવાબદારી સુપ્રત કરવામાં આવી છે. તેઓ એસ.સી., એસ.ટી., ઓ.બી.સી. અને માઈનોરીટી ફાઈનાન્‍સ અને ડેવલપમેન્‍ટ કોર્પોરેશનના જનરલ મેનેજર, દાનહના ચીફ પબ્‍લીસીટી ઓફિસર, દાનહના વેટ અને જીએસટી તથા લેબર અનેએમ્‍પ્‍લોયમેન્‍ટ વિભાગના ડેપ્‍યુટી કમિશનર, દાનહના એમ્‍પલોયમેન્‍ટ ઓફિસર તથા દાનહના ચીફ ટાઉન પ્‍લાનાર/એસોસિએટ ટાઉન પ્‍લાનર અને દાનહ પીડીએના મેમ્‍બર સેક્રેટરી તરીકેની પણ જવાબદારી નિભાવશે.
દાનિક્‍સ અધિકારી શ્રી કરણજીત વાડોદરિયાને સ્‍માર્ટ સીટી મિશન સેલવાસના સી.ઈ.ઓ. અને દાનહ ઓઆઈડીસીના જનરલ મેનેજર તરીકેનો વધારાનો અખત્‍યાર સોંપવામાં આવ્‍યો છે.
પ્રોબેશનરી આઈ.એ.એસ. અધિકારી સુશ્રી હિમાની મીણાને ખાનવેલના આરડીસી તરીકેની જવાબદારી સુપ્રત કરવામાં આવી છે.

Related posts

દીવ-વણાંકબારાની મહિલાઓને પુરુષ સમોવડી બનાવવા જિ.પં. પ્રમુખ અમૃતાબેન બામણિયાએ શરૂ કરેલી પહેલ

vartmanpravah

ગુજરાતનાં દરેક ગામમાં પહોચશે મોબાઈલ સેવા અને ફાઈબર

vartmanpravah

વાપી જનસેવા હોસ્પિટલમાં કેથલેબ વિભાગ સેવાનું શનિવારે નાણામંત્રી કનુભાઈ દેસાઈ ઉદ્ઘાટન કરશે

vartmanpravah

દમણ-દીવના પૂર્વ સાંસદ સ્‍વ. ડાહ્યાભાઈ પટેલના સ્‍મરણાર્થે  શ્રી દમણ જિલ્લા કોળી પટેલ સમાજના સોમનાથ ભવન ખાતે ચાલતી શ્રીમદ્‌ ભાગવત સપ્તાહના છઠ્ઠા દિવસે રૂક્ષ્મણી વિવાહ પ્રસંગ ઉજવાયો

vartmanpravah

વાપીનો રેલવે પુલ બંધ થવાના પ્રથમ દિવસથી નવા રેલવે ફાટક ઉપર ટ્રાફિકની સ્‍થિતિ વણસી

vartmanpravah

વાપીમાં પ્રબુદ્ય નાગરિક સંમેલન યોજાયું : વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીના જાહેર ર જીવન ઉપર લખાયેલ પુસ્‍તક પર પરિસંવાદ યોજાયો

vartmanpravah

Leave a Comment