April 18, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સેલવાસના આરડીસી ચાર્મી પારેખ અભ્‍યાસ માટે વિદેશ જતાં સેલવાસના આરડીસી તરીકે પ્રિયાંક કિશોરની કરાયેલી નિયુક્‍તિઃ દાનિક્‍સ અધિકારી કરણજીત વાડોદરિયાને સેલવાસ સ્‍માર્ટ સીટીના સી.ઈ.ઓ. તરીકેની આપવામાં આવેલી જવાબદારી

પ્રોબેશનરી આઈ.એ.એસ. હિમાની મીણા ખાનવેલના આર.ડી.સી. તરીકે ફરજ નિભાવશે
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.16 : સેલવાસના રેસિડેન્‍ટ ડેપ્‍યુટી કલેક્‍ટર (આરડીસી) સુશ્રી ચાર્મી પારેખ અભ્‍યાસ માટે વિદેશ જઈ રહ્યા હોવાથી તેમના સ્‍થાને આરડીસી તરીકે 2020 બેચના આઈ.એ.એસ. અધિકારી શ્રી પ્રિયાંક કિશોરની નિયુક્‍તિ કરવાનો આજે આદેશ કરાયો છે.
શ્રી પ્રિયાંક કિશોરને આરડીસી સેલવાસ ઉપરાંત દાનહના સહાયક વિકાસ આયુક્‍ત, દાનહના સામાન્‍ય વહીવટ અને પ્રોટોકોલ તથા પબ્‍લિક ગ્રિવેન્‍સિસ વિભાગના ડેપ્‍યુટી ડાયરેક્‍ટર તરીકે પણ વધારાની જવાબદારી સુપ્રત કરવામાં આવી છે. તેઓ એસ.સી., એસ.ટી., ઓ.બી.સી. અને માઈનોરીટી ફાઈનાન્‍સ અને ડેવલપમેન્‍ટ કોર્પોરેશનના જનરલ મેનેજર, દાનહના ચીફ પબ્‍લીસીટી ઓફિસર, દાનહના વેટ અને જીએસટી તથા લેબર અનેએમ્‍પ્‍લોયમેન્‍ટ વિભાગના ડેપ્‍યુટી કમિશનર, દાનહના એમ્‍પલોયમેન્‍ટ ઓફિસર તથા દાનહના ચીફ ટાઉન પ્‍લાનાર/એસોસિએટ ટાઉન પ્‍લાનર અને દાનહ પીડીએના મેમ્‍બર સેક્રેટરી તરીકેની પણ જવાબદારી નિભાવશે.
દાનિક્‍સ અધિકારી શ્રી કરણજીત વાડોદરિયાને સ્‍માર્ટ સીટી મિશન સેલવાસના સી.ઈ.ઓ. અને દાનહ ઓઆઈડીસીના જનરલ મેનેજર તરીકેનો વધારાનો અખત્‍યાર સોંપવામાં આવ્‍યો છે.
પ્રોબેશનરી આઈ.એ.એસ. અધિકારી સુશ્રી હિમાની મીણાને ખાનવેલના આરડીસી તરીકેની જવાબદારી સુપ્રત કરવામાં આવી છે.

Related posts

વલસાડ અબ્રામામાં આર.એન. સૃષ્‍ટિ સોસાયટીમાં તસ્‍કરોનો તરખાટ : ચાર મકાનના તાળા તોડયા

vartmanpravah

સાયલી ગ્રામ પંચાયત કચેરીના નવા મકાનનું કરાયેલું ખાતમુહૂર્ત

vartmanpravah

વલસાડ હોટલ એસોસિએશન દ્વારા સીટી પોલીસમાં મહત્‍વની મીટીંગ યોજાઈઃ રાત્રે 11 વાગ્‍યા સુધી હોટેલ ચાલુ રાખવા માંગ

vartmanpravah

ગુજરાત બોર્ડના સામાન્‍ય પ્રવાહના પરિણામમાં દમણ જિલ્લાની 6 શાળાનું પરિણામ 100 ટકાઃ સંઘપ્રદેશ પ્રશાસને શિક્ષણની ગુણવત્તા સુધારવા લીધેલા પગલાંની અસર

vartmanpravah

1975માં કોંગ્રેસે લાદેલી કટોકટીને 50 વર્ષ પૂર્ણ : દાનહ જિલ્લા ભાજપે વિરોધ પ્રદર્શન કરી તત્‍કાલિન કોંગ્રેસ સરકારનાનિર્ણયને વખોડયો

vartmanpravah

સેલવાસ નગરપાલિકા દ્વારા જાહેર સ્‍થળોએ કબુતરોને ચણ નાંખવા પર પ્રતિબંધ ફરમાવાયો

vartmanpravah

Leave a Comment