October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

વિશ્વ આદિવાસી અધિકાર દિવસ નિમિત્તે ઉમરગામ તાલુકા સમસ્‍ત આદિવાસી સમાજ દ્વારા હક અને અધિકાર માટે મામલતદારને આવેદન આપી રાજ્‍યપાલનુ દોરેલું ધ્‍યાન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સરીગામ, તા.13: બહુદા આદિવાસી વિસ્‍તાર ધરાવતા ઉમરગામ તાલુકામાં રાજ્‍ય સરકારની આદિવાસી વિરુદ્ધ નીતિઓને કારણે હક અને અધિકારથી વંચિત રહેલા આદિવાસીઓએ આજરોજ વિશ્વ આદિવાસી અધિકાર દિવસ નિમિત્તે સરકારશ્રીનું ધ્‍યાન દોરવા એક રેલીનું આયોજન કરી મામલતદારશ્રીને આવેદનપત્ર આપ્‍યું હતું. આ કાર્યક્રમમાં એડવોકેટ શ્રી મિતેશભાઈ પટેલ અને એડવોકેટ શ્રી ધર્મેશભાઈ પટેલની અધ્‍યક્ષતામાં મોટી સંખ્‍યામાં આદિવાસી યુવાનો અને મહિલાઓ એકત્રિત થઈ પોતાના અધિકાર માટે અવાજ બુલંદ કર્યો હતો. પોતાના હક અને અધિકારની માંગણી કરતા આદિવાસીઓએ ભારતીય બંધારણની અનુસૂચિત પાંચ હેઠળની જોગવાઈઓ તેમજ પૈસા પંચાયત ટુ ધ સીડ્‍યુલ એરીયા એક્‍ટ 1996 અધિનિયમ મુજબ આદિવાસીઓના હિતમાંઅને રક્ષણ માટે કરેલી જોગવાઈઓનુ નિયમનો અમલ કરાવવા સરકાર પાસે માંગણી કરી હતી. આ ઉપરાંત સરકારમાં ખાલી પડેલી નોકરીઓમાં અનુસૂચિત જનજાતિઓને 15 ટકા સુનિヘતિ કરવા, ગણોતધારાની નિયંત્રણ સત્તા પ્રકારની 73એએ ની જમીન પર ગેરકાયદેસર કબજો કરનારાઓ સામે શિક્ષાત્‍મક પગલાં ભરી આદિવાસીઓને રક્ષણ આપવું, કુપોષિત બાળકોને સુવિધા પૂરી પાડવી તેમજ માત્ર આદિવાસી શબ્‍દોનો ઉપયોગ કરવો અને વનબંધુ કે વનવાસી શબ્‍દ ઉપર પ્રતિબંધ મૂકવો વગેરે અગત્‍યના મુદ્દામાં આવરી લઈ મોટી સંખ્‍યામાં એકત્રિત થયેલા આદિવાસી યુવાન અને બહેનોએ મામલતદારને આવેદનપત્ર આપી રાજ્‍ય સરકાર અને રાજ્‍યપાલનું ધ્‍યાન દોર્યું હતું. આ રેલી ઉમરગામ ટાઉન અક્રરા મારુતિથી સવારના 11:00 કલાકે પ્રારંભ થઈ હતી અને પગપાળા રૂપે મામલતદાર કચેરી સુધી પહોંચી હતી. આ રેલીમાં ધારાસભ્‍ય શ્રી રમણભાઈ પાટકર સહિત ચૂંટાયેલા પ્રતિનિધિઓની સૂચક ગેરહાજરીની નોંધ આદિવાસીઓ દ્વારા લેવામાં આવી હતી.

Related posts

ચીખલી તાલુકામાં બે વિદ્યાર્થી અને આરોગ્‍ય કર્મચારી સહિત વધુ ચાર જેટલાનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ

vartmanpravah

દમણ અને દીવના નવનિર્વાચિત સાંસદ ઉમેશભાઈ પટેલે આડેધડ કરાયેલા વિકાસના કામોના કારણે પ્રજા પરેશાન થઈ રહી હોવાનો પ્રશાસન સમક્ષ લગાવેલો આરોપ

vartmanpravah

પારડીના સુખેશમાં વંદે ગુજરાત વિકાય યાત્રા પહોંચી, 520 લાભાર્થીને નાણામંત્રીશ્રીના હસ્તે પ્રમાણપત્ર અને ચેક એનાયત કરાયા

vartmanpravah

વલસાડ પાલિકાના પૂર્વ પ્રમુખ રાજેશ પટેલ ઉર્ફે રાજુ મરચાની વિધિવત આમ આદમી પાર્ટીમાં એન્‍ટ્રી

vartmanpravah

પારડીના ચિવલમાં યોજાનાર કથિત ધર્માન્‍તરણ કાર્યક્રમ બંધ કરાવવા વી.એચ.પી.એ આવેદનપત્ર પાઠવ્‍યું

vartmanpravah

સરકારી કચેરી પરિસર અને તેની ૨૦૦ મીટર ત્રિજ્‍યા વિસ્‍તારમાં ધરણાં-ઉપવાસ કરવા પર પ્રતિબંધ

vartmanpravah

Leave a Comment