Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ હાલર રોડ ઉપર કચરામાંથી આધાર કાર્ડનો જથ્‍થો મળી આવ્‍યો, વહિવટી તંત્ર તપાસે એ જરૂરી બન્‍યું

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.16: વલસાડ હાલર રોડ ઉપર આજે સોમવારે સવારે સ્‍થાનિક લોકોએ કચરાના ઢગલામાં આધાર કાર્ડ ફેંકાયેલા જોવા મળતા સ્‍થાનિક વિસ્‍તારમાં ચર્ચા સાથે કુતુહલનો મુદ્દો બની ગયો હતો.
વલસાડ હાલર રોડ ઉપર મળી આવેલ આધાર કાર્ડનો જથ્‍થો અનેક સવાલ ઉભા કરે છે. અહીં આધાર કાર્ડ કોંણ નાંખી ગયું જે સાચાં છે કે ખોટાં તે તપાસનો મુદ્દો બની ગયો છે. જો સાચાં હોય તો સરકારી કામગીરીની મોટી ક્ષતિ ઉજાગર થવાની શક્‍યતા છે તેથી આધાર કાર્ડ અંગે તળીયાઝાટક તપાસની માંગ ઉઠી છે. કારણ કે આ મોટી ગેરરીતિ સાબિત થઈ શકવાની શક્‍યતા ઈન્‍કારી શકાય એમ નથી. સરકારી વહિવટી તંત્રમાં આમ પણ ઘણી બધી બાબતોમાં રેલમશેલચાલતું હોય છે. તેનો પુરાવો સાબિત ત્‍યારે થશે કે તપાસમાં શું નિકળે છે. ત્‍યાં સુધી માત્ર પ્રશ્નાર્થ જ છે.

Related posts

સામરવરણીની એક દુકાનમાં ચોરી કરનાર આરોપીની કરાયેલી ધરપકડ

vartmanpravah

પ્રશાસકપ્રફુલભાઈ પટેલના માર્ગદર્શનમાં કચીગામ પંચાયતમાં યોજાયો જીએસટી કેમ્‍પ: જીએસટી અધિકારીઓએ ગ્રામજનોને સરળ ભાષામાં બતાવેલી જીએસટી રજીસ્‍ટ્રેશનની પ્રક્રિયા

vartmanpravah

‘‘વિશ્વ આદિવાસી દિવસ”ના યાદગાર દિને ચીખલી તાલુકાના નાગરિકોની આરોગ્‍યલક્ષી સુવિધામાં થયો વધારો

vartmanpravah

ધરમપુર સહિત આદિવાસી વિસ્‍તારમાં ડ્રીમ-900 તથા ઈગલ સ્‍માર્ટ કંપની દ્વારા કરોડોની છેતરપીંડી અંગે રજૂઆત

vartmanpravah

વલસાડના પારનેરામાં રામ નવમી નિમિત્તે નિકળેલી ભવ્‍ય શોભાયાત્રા

vartmanpravah

સંતની સાચવણી માટે સંસ્‍કાર, સત્‍સંગ અને શિવ ભક્‍તિની જરૂરિયાત : મેહુલભાઈ જાની

vartmanpravah

Leave a Comment