Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

નવસારી જિલ્લામાં બે દિવસથી વાદળછાયા વાતાવરણને પગલે આંબા કલમની ફૂટ (મૌર) પર વર્તાયેલી માઠી અસર

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.19: ચીખલી તાલુકામાં છેલ્લા બે દિવસથી વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. વાદળછાયા વાતાવરણને પગલે વલોળ-પાપડી, તુવેર, રીંગણ, મરચા, ફલાવર, કોબીજ સહિતના શાકભાજીના પાકોમાં જીવાતનો ઉપદ્રવ વધી જતાં તેની સીધી અસર ઉત્‍પાદન પર થતા ખેડૂતોને નુકશાન વેઠવાની નોબત આવી છે. ચોમાસા બાદ કમોસમી વરસાદ ત્‍યારબાદ સળંગ ત્રણેક દિવસ ધૂમમ્‍સ અને હવેના દિવસથી વાદળ છવાતા ખેતીપાકો પર તેની માઠી અસર વર્તાવા પામી છે.
શાકભાજી ઉપરાંત ચીકુના પાક પર પણ વાદળછાયા વાતાવરણની અસર થઈ રહી છે. ચીકુના ફળોનો વિકાસ રૂંધાવા સાથે વજન નહિ ઉતરતા ખેડૂતોને નુકશાન થતું હોય છે. આ ઉપરાંત ચીકુના ઝાડ પર નવા ફળ પર પણ વિપરીત અસર વર્તાતી હોય છે.હાલે ચીખલી એપીએમસી દૈનિક 40-45 ટન ચીકુની આવક થઈ રહી છે. પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી તેમાં ઘટાડો થયો હોવાનું જાણવા મળ્‍યું હતુ.
તાલુકામાં ચીકુ ઉપરાંત કેરીનું ઉત્‍પાદન પણ મોટાપાયે થતું હોય છે. ત્‍યારે આંબા કલમના ઝાડો પર ફૂટ એટલે કે મંજરી આવવાનો સમય છે. પરંતુ આ માટે જોઈએ એટલી ઠંડી સાથેનું સાનુકૂળ વાતાવરણ પણ હમણાં સીધુ થયુ નથી તો બીજી તરફ મંજરી ફૂટવાના સમયે વાદળછાયા વાતાવરણથી તેના પર બ્રેક લાગી જવા પામી છે. કેટલાક ખેડૂતોએ દવાનો છંટકાવ પણ શરૂ કરી દીધો છે. પરંતુ હાલનું વાતાવરણ જોતા ખેડૂતોનો ખર્ચ અને મહેનત માથે પડે તેવી સ્‍થિતિ જોવા મળી રહી છે.
તલાવચોરાના ખેડૂત અગ્રણી રમેશભાઈના જણાવ્‍યાનુસાર વાદળછાયા વાતાવરણથી ચીકુના ફળનો વિકાસ અટકી જતો હોય છે. આંબા કલમ પર હાલે મંજરી આવવાનો સમય છે. પરંતુ તેના પર બ્રેક લાગી જતી હોય છે. વધુમાં વાદળછાયા વાતાવરણથી શાકભાજીના પાકોમાં ઈયળ સહિતના જીવાતોનો ઉપદ્રવ વધી જતાં ખેડૂતોએ નુકશાની વેઠવી પડી રહી છે.

Related posts

આજે વાપીમાં મોદીઃ આગમનની પૂર્વ સંધ્‍યાએ ભાજપ-પોલીસ અને પ્રજાજનોએ ભવ્‍ય સ્‍વાગતની તૈયારીઓ પૂર્ણ કરી: દાભેલ ચેકપોસ્‍ટથી વાપી સર્કિટ હાઉસનો રોડ બપોરે 2 થી રાત્રે 8 વાગ્‍યા સુધી બ્‍લોક રહેશેઃ ટ્રાફિકડાયવર્ઝન કરાશે

vartmanpravah

નવસારીની સયાજી વૈભવ લાઇબ્રેરીમાં કાલ ન્‍યુપોર્ટની “Deep Work” પુસ્‍તક પર વાર્તાલાપ યોજાયો

vartmanpravah

વલસાડ તિથલ રોડ ઉપર એપાર્ટમેન્‍ટનો સ્‍લેબ તૂટયો : બે દુકાનદારને સલામત બચાવી લેવાયા

vartmanpravah

મોટી દમણના મચ્‍છી-શાકભાજી વિક્રેતાઓને નવનિર્મિત આલીશાન માર્કેટમાં ખસેડાતા હવે ખાલી પડેલ ગ્રાઉન્‍ડની જગ્‍યાએ પાર્કિંગની વ્‍યવસ્‍થા કરવા માંગ

vartmanpravah

વલસાડમાં એસ.ટી. બસે ટક્કર મારેલા બનાવમાં બાઈક સવાર દંપતિમાંથી પતિનું સારવારમાં મોત

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે સતત ત્રણ દિવસ અધિકારીઓ સાથે પ્રેઝન્‍ટેશનો અને સમીક્ષા બેઠક બાદ દમણ-સેલવાસના નિર્માણાધીન શૈક્ષણિક સંકુલની લીધેલી મુલાકાત

vartmanpravah

Leave a Comment