March 3, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

નવસારી જિલ્લામાં બે દિવસથી વાદળછાયા વાતાવરણને પગલે આંબા કલમની ફૂટ (મૌર) પર વર્તાયેલી માઠી અસર

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.19: ચીખલી તાલુકામાં છેલ્લા બે દિવસથી વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. વાદળછાયા વાતાવરણને પગલે વલોળ-પાપડી, તુવેર, રીંગણ, મરચા, ફલાવર, કોબીજ સહિતના શાકભાજીના પાકોમાં જીવાતનો ઉપદ્રવ વધી જતાં તેની સીધી અસર ઉત્‍પાદન પર થતા ખેડૂતોને નુકશાન વેઠવાની નોબત આવી છે. ચોમાસા બાદ કમોસમી વરસાદ ત્‍યારબાદ સળંગ ત્રણેક દિવસ ધૂમમ્‍સ અને હવેના દિવસથી વાદળ છવાતા ખેતીપાકો પર તેની માઠી અસર વર્તાવા પામી છે.
શાકભાજી ઉપરાંત ચીકુના પાક પર પણ વાદળછાયા વાતાવરણની અસર થઈ રહી છે. ચીકુના ફળોનો વિકાસ રૂંધાવા સાથે વજન નહિ ઉતરતા ખેડૂતોને નુકશાન થતું હોય છે. આ ઉપરાંત ચીકુના ઝાડ પર નવા ફળ પર પણ વિપરીત અસર વર્તાતી હોય છે.હાલે ચીખલી એપીએમસી દૈનિક 40-45 ટન ચીકુની આવક થઈ રહી છે. પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી તેમાં ઘટાડો થયો હોવાનું જાણવા મળ્‍યું હતુ.
તાલુકામાં ચીકુ ઉપરાંત કેરીનું ઉત્‍પાદન પણ મોટાપાયે થતું હોય છે. ત્‍યારે આંબા કલમના ઝાડો પર ફૂટ એટલે કે મંજરી આવવાનો સમય છે. પરંતુ આ માટે જોઈએ એટલી ઠંડી સાથેનું સાનુકૂળ વાતાવરણ પણ હમણાં સીધુ થયુ નથી તો બીજી તરફ મંજરી ફૂટવાના સમયે વાદળછાયા વાતાવરણથી તેના પર બ્રેક લાગી જવા પામી છે. કેટલાક ખેડૂતોએ દવાનો છંટકાવ પણ શરૂ કરી દીધો છે. પરંતુ હાલનું વાતાવરણ જોતા ખેડૂતોનો ખર્ચ અને મહેનત માથે પડે તેવી સ્‍થિતિ જોવા મળી રહી છે.
તલાવચોરાના ખેડૂત અગ્રણી રમેશભાઈના જણાવ્‍યાનુસાર વાદળછાયા વાતાવરણથી ચીકુના ફળનો વિકાસ અટકી જતો હોય છે. આંબા કલમ પર હાલે મંજરી આવવાનો સમય છે. પરંતુ તેના પર બ્રેક લાગી જતી હોય છે. વધુમાં વાદળછાયા વાતાવરણથી શાકભાજીના પાકોમાં ઈયળ સહિતના જીવાતોનો ઉપદ્રવ વધી જતાં ખેડૂતોએ નુકશાની વેઠવી પડી રહી છે.

Related posts

ગુજરાત ઓબીસી મોરચા પ્રદેશ પ્રભારી વિશાલભાઈ ટંડેલની અધ્‍યક્ષતામાં ગીર-સોમનાથ જિલ્લા મથક વેરાવળ ટાવર ચોક ખાતે પ્રધાનમંત્રીશ્રી વિરૂદ્ધ કરેલી ટિપ્‍પણી મુદ્દે ‘રાહુલ ગાંધી માફી માંગો’ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

દાનહમાં કમોસમી વરસાદ પડવાને કારણે ખેડૂતોના પાકને નુકસાન

vartmanpravah

વૈશાલી હત્‍યા કેસની મુખ્‍ય આરોપી બબીતાના વધુ ત્રણ દિવસના રિમાન્‍ડ મંજૂર કરતી પારડી કોર્ટ

vartmanpravah

નાની વહિયાળ હાઈસ્કૂલમાં મફત ૩૦૦૦ નોટબુકનું કરાયેલું વિતરણ

vartmanpravah

દમણ જિલ્લા ભાજપ પ્રમુખ અસ્‍પીભાઈ દમણિયાના નેતૃત્‍વમાં મગરવાડા ખાતે ‘પ્રશાસન ગાંવ કી ઓર’ કાર્યક્રમ સ્‍થળની લીધેલી મુલાકાત

vartmanpravah

સરકારી વિનયન અને વાણિજ્‍ય કોલેજ નેત્રંગ ભરૂચ ખાતે આદિવાસી સંસ્‍કૃતિ અને સાહિત્‍ય વિષય પર રાષ્‍ટ્રીય સેમિનાર યોજાયો

vartmanpravah

Leave a Comment