March 2, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી જુના એસ.ટી. ડેપોનું ડિમોલેશન કરાયું : નવો ડેપો બલીઠામાં હાઈવે પર બનાવવા માટે ઉઠેલી પ્રબળ માંગ

રૂા.3.50 કરોડની નવા ડેપો માટે મંજુરી મળી : ટાઉનમાં યથાવત જગ્‍યાએ નવો ડેપો બનશે તો ટ્રાફિક સમસ્‍યા ઉભી થશે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.16: વાપી શહેર ઝંડાચોક પાસે નવા ફાટકની સામે આવેલ 50 વર્ષથી કાર્યરત જુના ડેપોનું ડિમોલેશન કરવામાં આવ્‍યું છે. હાલમાં કામ ચલાઉ ડેપો બલીઠા હાઈવે જલારામ મંદિર પાસે બનાવાયો છે. નવિન ડેપો બનાવવા માટે રૂા.3.50 કરોડ મંજુર થયા છે તેથી નજીકના ભવિષ્‍યમાં વાપીને અધ્‍યતન એસ.ટી. ડેપો મળવાના ચક્રો ગતિમાન થઈ ગયા છે.
વાપીમાં નવિન એસ.ટી. ડેપો બનશે પરંતુ પૂર્વવત જગ્‍યાએ ડેપો બનશે તેનો વિરોધનો સુર પણ શરૂ થઈ ગયો છે. કારણ કે નવિન ડેપો ટાઉનમાં બનાવવામાં આવે તો વાપી માટે સગવડ અને જગ્‍યાએ અગવડ વધુ બનશે. નવિન રેલવે પુલ ઉપર ટ્રાફિકનું ભારણ વધશે તેથી નવો ડેપો હાલમાં કાર્યરત કામચલાઉ બલિઠા ડેપોમાં જ બનાવવામાં આવે. આમ પણ વાપી ડેપોની 90 ટકા રૂટ વાપી હાઈવે ઉપરથી જ તો ડેપો હાઈવે ઉપર બનવો જરૂરી અને વ્‍યાજબી લેખાશે. એસ.ટી. કર્મચારી મહામંડળના મહામંત્રી ધનસુખભાઈ પટેલએ પણ ડેપોહાઈવે ઉપર બનાવાની માંગણી કરી છે. તેઓ નાણામંત્રી કનુભાઈ દેસાઈને પણ આ બાબતે રજૂઆત કરી ચૂક્‍યા છે. કનુભાઈએ જણાવ્‍યું હતું કે, આ મુદ્દે સરકારમાં રજૂાત કરી છે. વાપી ડેપોમાં લોકલ અને એક્‍સપ્રેસ મળી રોજની 350 જેટલી ટ્રીપ કાર્યરત છે. 5 હજાર ઉપરાંત મુસાફરોની અવર જવર છે. તેથી આ તમામ ટ્રીપ રેલવે પુલ ઉપરથી અવર જવર કરે તો સ્‍વાભાવિક ટ્રાફિકની સમસ્‍યા ઉભી થવાની.

Related posts

ભારત રત્‍ન ડો.બાબાસાહેબ આંબેડકરની 131મી જન્‍મજયંતિ પ્રસંગે આયોજિત વિશેષ ગ્રામસભામાં દમણવાડા ગ્રા.પં.એ ગરીબી નિવારણ માટે શિક્ષણને અમોઘ શષા બનાવવા લીધેલો સંકલ્‍પ

vartmanpravah

સોળસુંબા બજાર પ્રકરણમાં સરકારી અધિકારીઓની તપાસમાં ઢીલી નીતિ

vartmanpravah

વાપી ગુંજનમાં રહેતો યુવક લગ્ન થાય તે પહેલાં ગુમ થઈ જતા પરિવાર મુશ્‍કેલીમાં મુકાયો

vartmanpravah

પળગામ ચિરાખાડી ખાતેથી કેમીકલના જથ્‍થો સાથે બે ઝડપાયા

vartmanpravah

સલવાની શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્‍વામિનારાયણ ફાર્મસી કોલેજમાં વિદ્યાર્થીઓને ટેબલેટ વિતરણ કરવામાં આવ્‍યા

vartmanpravah

વિજયાદશમીના પર્વને અનુલક્ષી નરોલીમાં આર.એસ.એસ. દ્વારા કરાયેલું પથ સંચલન

vartmanpravah

Leave a Comment