Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપીમાં રાજ્‍ય સરકારના યોગ બોર્ડ દ્વારા નિઃશુલ્‍ક યોગ શિબિર યોજાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝનેટવર્ક)
વલસાડ, તા.20: ગુજરાત રાજ્‍ય યોગ બોર્ડના માર્ગદર્શન હેઠળ વલસાડ જિલ્લાના યોગ કોચ અને સોશિયલ મીડિયા કો-ઓર્ડીનેટર શીતલ ત્રિગોત્રા દ્વારા વલસાડ જિલ્લાના વાપી તાલુકામાં જલારામ મંદિર ખાતે નિઃશુલ્‍ક યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં 40 જેટલા યોગ પ્રેમીઓએ લાભ લીધો હતો. આ પ્રસંગે ગુજરાત રાજ્‍ય યોગ બોર્ડ અંતર્ગત સમગ્ર જિલ્લામાં ચાલી રહેલા કાર્ય વિશે શીતલબેને માહિતી આપી હતી. સહયોગી તરીક યોગ ટ્રેનર તોરલ મિષાીએ સહકાર આપ્‍યો હતો. ઉલ્લેખનીય છે કે, વાપી તાલુકામાં આવેલા જલારામ મંદિર ખાતે છેલ્લા બે વર્ષથી યોગના પ્રખર અનુભવી શ્રીમતી તોરલબહેન મિષાી દ્વારા ગુજરાત સ્‍ટેટ યોગ બોર્ડના સાનિધ્‍યમાં જન સેવાર્થે સમાજોપયોગી થવાના ઉમદા હેતુ સાથે નિઃશુલ્‍ક યોગા ક્‍લાસ ચલાવવામાં આવે છે. જેનો બહોળી સંખ્‍યામાં લાભ લેવા જણાવાયું છે.

Related posts

વલસાડ જિ.પં. પ્રમુખ તરીકે મનહરભાઈ પટેલ અને ઉપપ્રમુખ તરીકે બ્રિજનાબેન પટેલની વરણી

vartmanpravah

સેલવાસના આમલી ઇન્‍ડસ્‍ટ્રીઝ વિસ્‍તારમાં ઘન કચરાના ખડકલામાં આગ લાગતા મચેલી દોડધામ

vartmanpravah

આજે દલવાડાના પ્રસિદ્ધ બાસુકીનાથ મહાદેવ મંદિરના દર્શન સાથે લાલુભાઈ પટેલ પોતાના ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કરશે

vartmanpravah

ચીખલીના સમરોલીમાં ફુલદેવી માતાના મંદિર સ્‍થિત નયનરમ્‍ય તળાવ

vartmanpravah

વાપી-વલસાડ સહિત ગુજરાતના શહેરોમાં નવરાત્રી અટકાવીને ખેલૈયાઓએ ભારતના ‘રતન’ રતન ટાટાને શ્રધ્‍ધાંજલી અર્પી

vartmanpravah

સેલવાસની બદલાય રહેલી સિકલ અને સૂરત : ચોમાસા પહેલા ઘણા પ્રોજેક્‍ટો કાર્યાન્‍વિત થવાની કગાર ઉપર

vartmanpravah

Leave a Comment