July 22, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપીમાં રાજ્‍ય સરકારના યોગ બોર્ડ દ્વારા નિઃશુલ્‍ક યોગ શિબિર યોજાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝનેટવર્ક)
વલસાડ, તા.20: ગુજરાત રાજ્‍ય યોગ બોર્ડના માર્ગદર્શન હેઠળ વલસાડ જિલ્લાના યોગ કોચ અને સોશિયલ મીડિયા કો-ઓર્ડીનેટર શીતલ ત્રિગોત્રા દ્વારા વલસાડ જિલ્લાના વાપી તાલુકામાં જલારામ મંદિર ખાતે નિઃશુલ્‍ક યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં 40 જેટલા યોગ પ્રેમીઓએ લાભ લીધો હતો. આ પ્રસંગે ગુજરાત રાજ્‍ય યોગ બોર્ડ અંતર્ગત સમગ્ર જિલ્લામાં ચાલી રહેલા કાર્ય વિશે શીતલબેને માહિતી આપી હતી. સહયોગી તરીક યોગ ટ્રેનર તોરલ મિષાીએ સહકાર આપ્‍યો હતો. ઉલ્લેખનીય છે કે, વાપી તાલુકામાં આવેલા જલારામ મંદિર ખાતે છેલ્લા બે વર્ષથી યોગના પ્રખર અનુભવી શ્રીમતી તોરલબહેન મિષાી દ્વારા ગુજરાત સ્‍ટેટ યોગ બોર્ડના સાનિધ્‍યમાં જન સેવાર્થે સમાજોપયોગી થવાના ઉમદા હેતુ સાથે નિઃશુલ્‍ક યોગા ક્‍લાસ ચલાવવામાં આવે છે. જેનો બહોળી સંખ્‍યામાં લાભ લેવા જણાવાયું છે.

Related posts

દીવ ખાતે લાખો રૂપિયાનો દારૂ પોલીસએ પકડી પાડયો અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી

vartmanpravah

પારડીમાં બાબા સાહેબ ડો.ભીમરાવ આંબેડકરજીની જન્‍મજયંતિ ઉજવણીની કરાશે

vartmanpravah

વૈશાલી મર્ડર કેસની મુખ્‍ય આરોપી બબીતા શર્માને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે બે દિવસના રિમાન્‍ડ મંજૂર કર્યા

vartmanpravah

NCTEએ શૈક્ષણિક સત્ર 2021-22 અને 2022-23 માટે શિક્ષક શિક્ષણ સંસ્થાઓના પ્રદર્શન મૂલ્યાંકન અહેવાલ સબમિટ કરવા માટે નોટિસ બહાર પાડી

vartmanpravah

સેલવાસમાં શ્રી રંગ અવધૂત પરિવાર દ્વારા શ્રી સ્‍વામી સમર્થ મહારાજની જન્‍મજયંતિ ઉજવાઈ

vartmanpravah

..સાવ ઓછા પ્રયત્‍નમાં જ દાદરા સામ્‍યવાદીઓના હાથમાં આવી ગયું

vartmanpravah

Leave a Comment