Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપીમાં રાજ્‍ય સરકારના યોગ બોર્ડ દ્વારા નિઃશુલ્‍ક યોગ શિબિર યોજાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝનેટવર્ક)
વલસાડ, તા.20: ગુજરાત રાજ્‍ય યોગ બોર્ડના માર્ગદર્શન હેઠળ વલસાડ જિલ્લાના યોગ કોચ અને સોશિયલ મીડિયા કો-ઓર્ડીનેટર શીતલ ત્રિગોત્રા દ્વારા વલસાડ જિલ્લાના વાપી તાલુકામાં જલારામ મંદિર ખાતે નિઃશુલ્‍ક યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં 40 જેટલા યોગ પ્રેમીઓએ લાભ લીધો હતો. આ પ્રસંગે ગુજરાત રાજ્‍ય યોગ બોર્ડ અંતર્ગત સમગ્ર જિલ્લામાં ચાલી રહેલા કાર્ય વિશે શીતલબેને માહિતી આપી હતી. સહયોગી તરીક યોગ ટ્રેનર તોરલ મિષાીએ સહકાર આપ્‍યો હતો. ઉલ્લેખનીય છે કે, વાપી તાલુકામાં આવેલા જલારામ મંદિર ખાતે છેલ્લા બે વર્ષથી યોગના પ્રખર અનુભવી શ્રીમતી તોરલબહેન મિષાી દ્વારા ગુજરાત સ્‍ટેટ યોગ બોર્ડના સાનિધ્‍યમાં જન સેવાર્થે સમાજોપયોગી થવાના ઉમદા હેતુ સાથે નિઃશુલ્‍ક યોગા ક્‍લાસ ચલાવવામાં આવે છે. જેનો બહોળી સંખ્‍યામાં લાભ લેવા જણાવાયું છે.

Related posts

છરવાડા-વાપીથી રેખાબેન,  ઉમરસાડીથી શિવાની  અને પારડીથી તેજલબેન ગુમ થઈ છે

vartmanpravah

કાર અંકલેશ્વરમાં પાર્ક અને માલિક ઉપર બગવાડા ટોલનાકાથી ટોલ કપાયાનો મેમો મળ્‍યો

vartmanpravah

સરીગામમાં આદિવાસીના ભગવાન બિરસા મુંડાની પ્રતિમાની અનાવરણની ચાલતી તડામાર તૈયારી

vartmanpravah

વલસાડમાં પુસ્તક પરબમાંથી ૧૦૮ પુસ્તકોને વાચકો મળ્યા

vartmanpravah

કોરોનાની ત્રીજી લહેર પૂર્વે મહારાષ્ટ્ર ભિલાડ સહિત ચાર બોર્ડર ઉપર આરોગ્ય વિભાગનું ચેકીંગ અભિયાન

vartmanpravah

દાદરા નગર હવેલીમાં પાંચ ઈંચથી વધુ વરસાદ નોંધાયો

vartmanpravah

Leave a Comment