February 5, 2025
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદમણદીવદેશવાપીસેલવાસ

પ્રદેશ ભાજપ પ્રભારી દુષ્યંતભાઈ પટેલના દિશા-નિર્દેશ અંતર્ગત દાનહ અને દમણ-દીવ પ્રદેશ ભાજપની ટીમે મહારાષ્ટ્રના ડહાણુ વિધાનસભાના ભાજપના ઉમેદવાર વિનોદ સુરેશ મેઢાની તરફેણમાં શરૂ કરેલો પ્રચાર

દાદરા નગર હવેલી અને દમણ-દીવ પ્રદેશ ભાજપના પૂર્વ સંગઠન મંત્રી અને અંદામાન નિકોબારમાં કાર્યરત વિવેક દાઢકર સાથે પ્રદેશ ભાજપ પ્રતિનિધિ મંડળની ઔપચારિક મુલાકાતઃ ડહાણુ વિધાનસભા માટે ભાજપના પ્રચારની રણનીતિની આપેલી સમજ

(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.૧૩: આજે દાદરા નગર હવેલી અને દમણ-દીવ પ્રદેશ ભાજપ અધ્યક્ષ શ્રી દીપેશભાઈ ટંડેલના નેતૃત્વમાં પ્રદેશ ભાજપ ઉપ પ્રમુખ શ્રી નવિનભાઈ પટેલ, દમણ જિલ્લા ભાજપ અધ્યક્ષ શ્રી અસ્પીભાઈ દમણિયા, વરિષ્ઠ નેતા શ્રી મહેશભાઈ ટંડેલ(ટાલ), શહેર ભાજપ અધ્યક્ષ શ્રી પિયુષ પટેલ, આદિવાસી નેતા શ્રી વિક્રમભાઈ હળપતિ, પ્રદેશ ભાજપ માઈનોરિટી મોરચાના પ્રદેશ મહામંત્રી શ્રી વસિમ સૈયદ, દમણવાડાના સરપંચ શ્રી મુકેશ ગોસાવી, શ્રી સીતારામ ટંડેલ, શ્રી શિવ કુમાર સહિતની ટીમે પ્રદેશ પ્રભારી શ્રી દુષ્યંતભાઈ પટેલના માર્ગદર્શનમાં મહારાષ્ટ્ર વિધાનસભાની ૧૨૮(એસ.ટી.) ડહાણુની બેઠક માટે પ્રચાર અભિયાન શરૂ કર્યું હતું.
દાનહ અને દમણ-દીવ પ્રદેશ ભાજપ અધ્યક્ષ શ્રી દીપેશભાઈ ટંડેલ, પ્રદેશ ભાજપ ઉપ પ્રમુખ શ્રી નવિનભાઈ પટેલ તથા દમણ જિલ્લા ભાજપના અધ્યક્ષ શ્રી અસ્પીભાઈ દમણિયા સહિતના આગેવાનોઍ ખાસ કરીને મચ્છી વેચનારાઓને ભાજપને શા માટે વોટ આપવા તે બાબતે વિસ્તૃત જાણકારી આપી હતી. ૨૦૪૭માં વિકસિત ભારતના સપનાને સાકાર કરવા કમળ ઉપર બટન દબાવી ડહાણુ વિધાનસભા વિસ્તારના ભાજપના ઉમેદવાર શ્રી વિનોદ સુરેશ મેઢાને પ્રચંડ બહુમતિથી વિજેતા બનાવવા પ્રેરિત કર્યા હતા.
દરમિયાન દાનહ અને દમણ-દીવ પ્રદેશ ભાજપના પૂર્વ સંગઠન મંત્રી અને હાલમાં અંદામાન નિકોબાર ખાતે કાર્યરત શ્રી વિવેક દાઢકરની સાથે પણ ડહાણુ વિધાનસભા વિસ્તારમાં ઔપચારિક મુલાકાત થઈ હતી. તેમણે ડહાણુ વિધાનસભા વિસ્તારમાં ભાજપનો પ્રચાર ક્યાં અને કેવી રીતે કરવો તેની પણ વિસ્તૃત સમજ આપી હતી.

Related posts

ચીખલીમાં કોંગ્રેસની આગેવાનીમાં ટેટ-ટાટ પાસ ઉમેદવારોએ રેલી યોજી મામલતદારને આવેદનપત્ર પાઠવી જ્ઞાન સહાયક યોજના રદ્‌ કરી શિક્ષકોની કાયમી ભરતી કરવા કરેલી માંગ

vartmanpravah

દમણમાં શહેર ભ્રમણ માટે નિકળેલી ભગવાન શ્રી જગન્નાથની ભવ્‍ય શોભાયાત્રા

vartmanpravah

નાની દમણની વૈદિક ડેન્‍ટલ કોલેજ દ્વારા Modi@20 પુસ્‍તક પર સેમિનાર યોજાયો

vartmanpravah

પારડીમાં સ્‍વાધ્‍યાય મંડળ દ્વારા બાહ્ય આડંબર કે ખોટા ખર્ચાઓ ન કરી ગણેશજીની પ્રતિમાનુંકરાયેલું સ્‍થાપન

vartmanpravah

શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સલવાવમાં “રન ફોર સેવ યુથ એન્ડ સેવ નેશન” માટે ભવ્ય કાર્યક્રમ યોજાયો

vartmanpravah

કપરાડાની સરકારી વિનયન કોલેજમાં વોલીબોલ સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

Leave a Comment