Vartman Pravah
Breaking Newsદમણ

દમણમાં 02 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા, દાનહમાં એકપણ નહી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ/સેલવાસ, તા.16
દમણમાં આજરોજ 02 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર 158 નમૂનાઓ લેવામાં આવ્‍યા હતા. જેમાંથી 02 કેસ કોરોના પોઝિટિવ નોંધાયા છે. હાલમાં દમણમાં 04 કેસો સક્રિય છે. જ્‍યારે અત્‍યાર સુધીમાં 3517લોકો રિકવર થઈ ચૂક્‍યા છે. અને અત્‍યાર સુધીમાં 01નું મૃત્‍યુ થયેલ છે. આજરોજ એકપણ દર્દી કોવિદ સુવિધામાંથી રજા આપવામાં આવી નથી. તેમજ દમણમાં હાલમાં એકપણ કન્‍ટેઈનમેન્‍ટ ઝોન જાહેર કરવામાં આવ્‍યો નથી.
જયારે દાનહમાં નવો એકપણ કોરોના પોઝિટીવ કેસ નોંધાયો નથી. પ્રદેશમાં હાલમા 03 સક્રિય કેસ છે, અત્‍યાર સુધીમા 5916 કેસ રીકવર થઇ ચુકયા છે, ત્રણ વ્‍યક્‍તિના મોત થયેલ છે. પ્રદેશમા આરટીપીસીઆરના 175 નમૂનાઓ લેવામા આવ્‍યા હતા અને રેપિડ એન્‍ટિજન 247 નમૂના લેવામા આવ્‍યા હતા. જેમાંથી એકપણ રિપોર્ટ પોઝિટિવ આવ્‍યો નથી.
દાનહ આરોગ્‍ય વિભાગ દ્વારા પીએચસી-સીએચસી સેન્‍ટર પર અને સબ સેન્‍ટરમાં કોવીશીલ્‍ડ વેક્‍સીનનુ સરીકરણ કરવામા આવ્‍યુ હતુ. જેમા આજે 1865 લોકોને વેક્‍સીન આપવામા આવ્‍યા છે. પ્રદેશમાં પ્રથમ ડોઝ 402122 અને બીજો ડોઝ 254143 વ્‍યક્‍તિઓને આપવામા આવતા કુલ 656265 લોકોને વેક્‍સીન આપવામા આવી છે.

Related posts

સામાજિક વ્યવહાર પરિવર્તન દ્વારા આરોગ્યલક્ષી સેવા લોકો સુધી પહોંચાડવા વલસાડમાં આશા ફેસીલીટેટરોને તાલીમ અપાઈ

vartmanpravah

આજે 20 માર્ચ વિશ્વ ચકલી દિવસ, શહેરોમાંથી લુપ્ત થઈ રહેલી ચકલીની પ્રજાતિને બચાવવા આવો સંકલ્‍પ લઈએ

vartmanpravah

વલસાડ જિલ્લામાં અનંત ચૌદશે ઠેર ઠેર ભવ્‍ય વિસર્જન યાત્રાઓ યોજાઈ : હજારો ભાવિકો જોડાયા

vartmanpravah

વાપીના અશ્વિની રાણેને મહારાષ્‍ટ્ર લિજેંડ વુમન એવોર્ડથી સન્‍માનિત કરાયા

vartmanpravah

વાપી રોફેલબીબીએ-બીસીએ કોલેજના પોફેસર નમ્રતા ખીલોચિયાને પીએચડી પદવી એનાયત

vartmanpravah

સોમવારથી દેશભરમાં માલ અને સેવા કર વિભાગ દ્વારા થનારી આઈકોનિક વીકની ઉજવણીઃ પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીના વક્‍તવ્‍યનું સીધું પ્રસારણ નિહાળવા દમણના સ્‍વામી વિવેકાનંદ ઓડીટોરિમમાં આયોજન

vartmanpravah

Leave a Comment