March 3, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલી-વાંસદા રોડ ઉપર મારૂતિ વેનમાં આગ લાગી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી (વંકાલ), તા.19: રાનકુવાથી ગુરૂવારની બપોરના સમયે એક મારૂતિ કાર નં. જીજે-21-એએ-2895માં એલ્‍યુમિનિયમની બારી લઈ વલસાડ તરફ જવા કારમાં ત્રણેક જેટલા લોકો નીકળ્‍યા હતા. દરમ્‍યાન ચારેક વાગ્‍યાના સમય દરમ્‍યાન ચીખલી વાંસદા રાજ્‍યધોરી માર્ગ ઉપર અઢારપીર ખાંડસરી પાસે આવતા કારમાં અચાનકધુમાડો નીકળતા કારને રોડની સાઇડે ઉભી રાખતા એકાએક આગ ફાટી નીકળી હતી. બનાવની જાણ ગણદેવી ફાયર ફાઇટરને કરાતા સ્‍થળ ઉપર આવી આગને કાબુમાં લીધી હતી. જોકે ફાયર ફાઇટર આવે એ પહેલાં જ વાન બળી ને ખાખ થઈ જવા પામી હતી. જોકે કારમાં આગ લાગતા રાનકુવા ચીખલી તરફનો વાહન વ્‍યવહાર ઠપ્‍પ થઈ જવા પામ્‍યો હતો. ઘટનાની જાણ થતાં ચીખલી પોલીસ સ્‍થળ ઉપર પહોંચી ગઈ હતી.

Related posts

ભીલાડની સરકારી વિજ્ઞાન કોલેજમાં મતદાન જાગૃકતા કાર્યક્રમ યોજાયો

vartmanpravah

વલસાડ-ભિલાડ નેશનલ હાઈવે માટે પ્રબળ જનઆક્રોશ બાદ હાઈવે ઓથોરીટીએ ખાડાપુરાણ આરંભ્‍યું

vartmanpravah

ટાઉન પોલીસની જાંબાઝ અભિનંદનીય કામગીરી: વાપીમાં સગીર બાળાનું અપહરણ કરનાર આરોપીને પોલીસે માત્ર ગણતરીના કલાકોમાં દબોચી લીધો

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે કેન્‍દ્રીય આરોગ્‍ય અને પરિવાર કલ્‍યાણ મંત્રી સાથે પ્રદેશના વિવિધ મહત્‍વના મુદ્દાઓની કરેલી ચર્ચા-વિચારણાં

vartmanpravah

સરપંચ શાંતુભાઈ પટેલના અધ્‍યક્ષ સ્‍થાને ભીમપોર ગ્રા.પં. ખાતે યોજાયેલ જીપીડીપીની ગ્રામસભામાં સાંસદ ઉમેશભાઈ પટેલનો આરોપઃ સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા ઈરાદાપૂર્વક પંચાયતી રાજની સત્તાઓ આપવામાં નથી આવતી

vartmanpravah

વલસાડ ભાગડાવાડા પાલીહીલમાં વિજ કરંટ લાગતા 7 ભેંસોનું મોત નિપજતા ચકચાર મચી

vartmanpravah

Leave a Comment