(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
ચીખલી (વંકાલ), તા.19: રાનકુવાથી ગુરૂવારની બપોરના સમયે એક મારૂતિ કાર નં. જીજે-21-એએ-2895માં એલ્યુમિનિયમની બારી લઈ વલસાડ તરફ જવા કારમાં ત્રણેક જેટલા લોકો નીકળ્યા હતા. દરમ્યાન ચારેક વાગ્યાના સમય દરમ્યાન ચીખલી વાંસદા રાજ્યધોરી માર્ગ ઉપર અઢારપીર ખાંડસરી પાસે આવતા કારમાં અચાનકધુમાડો નીકળતા કારને રોડની સાઇડે ઉભી રાખતા એકાએક આગ ફાટી નીકળી હતી. બનાવની જાણ ગણદેવી ફાયર ફાઇટરને કરાતા સ્થળ ઉપર આવી આગને કાબુમાં લીધી હતી. જોકે ફાયર ફાઇટર આવે એ પહેલાં જ વાન બળી ને ખાખ થઈ જવા પામી હતી. જોકે કારમાં આગ લાગતા રાનકુવા ચીખલી તરફનો વાહન વ્યવહાર ઠપ્પ થઈ જવા પામ્યો હતો. ઘટનાની જાણ થતાં ચીખલી પોલીસ સ્થળ ઉપર પહોંચી ગઈ હતી.