-
80 વર્ષની જૈફ ઉંમર હોવા છતાં 28 વર્ષના યુવાનને પણ શરમાવે એવી સ્ફૂર્તિ અને તરવરાટ ઈશ્વરભાઈ રાઠોડ ધરાવતા હતા
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.09
દમણ જિલ્લા માહ્યાવંશી સમાજના નિવર્તમાન મહામંત્રી અને ભામટી પ્રગતિમંડળના મુખ્ય સંયોજક શ્રી ઈશ્વરભાઈ લક્ષ્મણભાઈ રાઠોડનું ગત તા.7મી નવેમ્બરના રોજ ટૂંકી માંદગી બાદ નિધન થતાં સમગ્ર સમાજમાં ઘેરા શોકની લાગણી છવાઈ જવા પામી છે.
સ્વ. ઈશ્વરભાઈ રાઠોડની 80 વર્ષની જૈફ ઉંમર હોવા છતાં તેમનો તરવરાટ અને સ્ફૂર્તિ 28 વર્ષના યુવાનને પણ શરમાવે તેવી હતી. તેઓ ખેલકૂદથી માંડી સિનેમા સુધીની માહિતી રાખતા હતા. તેમના આકસ્મિક નિધનથી દમણ જિલ્લા માહ્યાવંશી સમાજને નહીં પુરી શકાય એવી ખોટ પડી છે.