(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
વલસાડ, તા.25
કપરાડાના નિલોસી ગામમાં જાયન્ટ્સ ગ્રૂપ ઓફ વલસાડ દ્વારા ગૌદાન કાર્યક્રમ હેઠળ કુલ 31 વાછરડી, વાછરડા અને પાડા પશુપાલન, ખેતી તેમજ પશુસંવર્ધન માટે લોકોને આપ્યા હતા.
શ્રી લાલજી વેલજી શાહ ગૌશાળા તથા વલસાડ પાંજરાપોળના ટ્રસ્ટી અનિશભાઈ શેઠિયાના સહકારથી જાયન્ટ્સ ગ્રૂપ ઓફ વલસાડના પ્રમુખ ડૉ. આશાબેન ગોહિલે કાર્યક્રમના પ્રોજેકટ ચેરપર્સન તરીકે કામગીરી કરી હતી. પહાડી અંતરિયાળ વિસ્તારમાં રહેતા જરૂરિયાતમંદ લોકોને આ 49માં કાર્યક્રમમાં 31 પશુ ખેતી તથા પશુસંવર્ધન માટે આપવામાં આવ્યા હતા. દૂધ ઉત્પાદન થકી તેઓને રોજગારી પણ મળી રહેશે. આ સાથે કુલ આંકડો 1277 પર પહોંચ્યો છે. જેમાં પ્રથમવાર પાડા આપવામાં આવ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવામાં નીલોસી ગામના સરપંચ છગનભાઈ, કલ્પેશભાઈ, અમરતભાઈ, ફૂલજીભાઈનો તથા ગૌશાળાના ગજેન્દ્રભાઈએ સહકાર આપ્યોહતો.
Previous post