December 1, 2025
Vartman Pravah
Breaking Newsકપરાડાગુજરાતડિસ્ટ્રીકટવલસાડ

કપરાડામાં ખેતી અને પશુસંવર્ધન માટે 31 પશુધન દાનમાં અપાયા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.25
કપરાડાના નિલોસી ગામમાં જાયન્‍ટ્‍સ ગ્રૂપ ઓફ વલસાડ દ્વારા ગૌદાન કાર્યક્રમ હેઠળ કુલ 31 વાછરડી, વાછરડા અને પાડા પશુપાલન, ખેતી તેમજ પશુસંવર્ધન માટે લોકોને આપ્‍યા હતા.
શ્રી લાલજી વેલજી શાહ ગૌશાળા તથા વલસાડ પાંજરાપોળના ટ્રસ્‍ટી અનિશભાઈ શેઠિયાના સહકારથી જાયન્‍ટ્‍સ ગ્રૂપ ઓફ વલસાડના પ્રમુખ ડૉ. આશાબેન ગોહિલે કાર્યક્રમના પ્રોજેકટ ચેરપર્સન તરીકે કામગીરી કરી હતી. પહાડી અંતરિયાળ વિસ્‍તારમાં રહેતા જરૂરિયાતમંદ લોકોને આ 49માં કાર્યક્રમમાં 31 પશુ ખેતી તથા પશુસંવર્ધન માટે આપવામાં આવ્‍યા હતા. દૂધ ઉત્‍પાદન થકી તેઓને રોજગારી પણ મળી રહેશે. આ સાથે કુલ આંકડો 1277 પર પહોંચ્‍યો છે. જેમાં પ્રથમવાર પાડા આપવામાં આવ્‍યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવામાં નીલોસી ગામના સરપંચ છગનભાઈ, કલ્‍પેશભાઈ, અમરતભાઈ, ફૂલજીભાઈનો તથા ગૌશાળાના ગજેન્‍દ્રભાઈએ સહકાર આપ્‍યોહતો.

Related posts

દાનહ પ્રશાસન દ્વારા શ્રમિકોને તેમની સમસ્‍યા અને સમાધાન માટે હેલ્‍પલાઇન સેવાનો આરંભ

vartmanpravah

વાપીની ફાઈનાન્‍સ કંપનીને ગેરમાર્ગે દોરવા કાર માલિક ખોટી નંબર પ્‍લેટ લગાવી કાર ફેરવતો ઝડપાયો

vartmanpravah

ધરમપુરના માલનપાડાની મોડલ સ્‍કૂલમાં ફાયર સેફટી માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો

vartmanpravah

સામરવરણી નજીક કાર દ્વારા સાયકલસવાર સાથે અકસ્‍માત સર્જી ભાગી રહેલા બુટલેગરોને દાનહ પોલીસે મુદ્દામાલ સાથે ઝડપી પાડયા: હુન્‍ડાઈ વેન્‍યુ કાર સહિત રૂા.11લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો

vartmanpravah

સૌરાષ્‍ટ્ર લેઉવા પટેલ સમાજ દ્વારા આયોજીત નવરાત્રી મહોત્‍સવના છઠ્ઠા નોરતે ખેલૈયાઓ ઝુમી ઉઠયા

vartmanpravah

વાપી સલવાવ બ્રીજ પાસે રિક્ષા-કન્‍ટેનર વચ્‍ચે અકસ્‍માત સર્જાયો : કન્‍ટેનરે ડિવાઈડર તોડી દીધું

vartmanpravah

Leave a Comment