January 16, 2026
Vartman Pravah
Breaking Newsકપરાડાગુજરાતડિસ્ટ્રીકટવલસાડ

કપરાડામાં ખેતી અને પશુસંવર્ધન માટે 31 પશુધન દાનમાં અપાયા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.25
કપરાડાના નિલોસી ગામમાં જાયન્‍ટ્‍સ ગ્રૂપ ઓફ વલસાડ દ્વારા ગૌદાન કાર્યક્રમ હેઠળ કુલ 31 વાછરડી, વાછરડા અને પાડા પશુપાલન, ખેતી તેમજ પશુસંવર્ધન માટે લોકોને આપ્‍યા હતા.
શ્રી લાલજી વેલજી શાહ ગૌશાળા તથા વલસાડ પાંજરાપોળના ટ્રસ્‍ટી અનિશભાઈ શેઠિયાના સહકારથી જાયન્‍ટ્‍સ ગ્રૂપ ઓફ વલસાડના પ્રમુખ ડૉ. આશાબેન ગોહિલે કાર્યક્રમના પ્રોજેકટ ચેરપર્સન તરીકે કામગીરી કરી હતી. પહાડી અંતરિયાળ વિસ્‍તારમાં રહેતા જરૂરિયાતમંદ લોકોને આ 49માં કાર્યક્રમમાં 31 પશુ ખેતી તથા પશુસંવર્ધન માટે આપવામાં આવ્‍યા હતા. દૂધ ઉત્‍પાદન થકી તેઓને રોજગારી પણ મળી રહેશે. આ સાથે કુલ આંકડો 1277 પર પહોંચ્‍યો છે. જેમાં પ્રથમવાર પાડા આપવામાં આવ્‍યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવામાં નીલોસી ગામના સરપંચ છગનભાઈ, કલ્‍પેશભાઈ, અમરતભાઈ, ફૂલજીભાઈનો તથા ગૌશાળાના ગજેન્‍દ્રભાઈએ સહકાર આપ્‍યોહતો.

Related posts

શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુળ સલવાવ ખાતે 658 વિદ્યાર્થીઓને કોરોના વેક્‍સિન આપવામાં આવી

vartmanpravah

લાયન્‍સ ક્‍લબ ઓફ વાપી ઓરા દ્વારા સ્‍વતંત્રતા દિવસની ઉજવણી થઈ

vartmanpravah

લાયન્‍સ ક્‍લબ ઓફ પારડી પર્લ દ્વારા સેવાકીય કાર્યક્રમોની ત્રિવેણી વહેતી કરાઈ

vartmanpravah

દમણ જિલ્લા આદિવાસી સમાજે દમણ જિ.પં. અને ન.પા.ના પ્રમુખ-ઉપ પ્રમુખ પદે અનુ.જનજાતિના ઉમેદવારની પસંદગી કરવા પ્રદેશ ભાજપને કરેલી રજૂઆત

vartmanpravah

વલસાડમાં તન્‍મય ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા ચેસ ટુર્નામેન્‍ટ યોજાઈ

vartmanpravah

ગુજરાત ઓબીસી મોરચા પ્રદેશ પ્રભારી વિશાલભાઈ ટંડેલની અધ્‍યક્ષતામાં ગીર-સોમનાથ જિલ્લા મથક વેરાવળ ટાવર ચોક ખાતે પ્રધાનમંત્રીશ્રી વિરૂદ્ધ કરેલી ટિપ્‍પણી મુદ્દે ‘રાહુલ ગાંધી માફી માંગો’ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

Leave a Comment