October 14, 2025
Vartman Pravah
Breaking Newsકપરાડાગુજરાતડિસ્ટ્રીકટવલસાડ

કપરાડામાં ખેતી અને પશુસંવર્ધન માટે 31 પશુધન દાનમાં અપાયા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.25
કપરાડાના નિલોસી ગામમાં જાયન્‍ટ્‍સ ગ્રૂપ ઓફ વલસાડ દ્વારા ગૌદાન કાર્યક્રમ હેઠળ કુલ 31 વાછરડી, વાછરડા અને પાડા પશુપાલન, ખેતી તેમજ પશુસંવર્ધન માટે લોકોને આપ્‍યા હતા.
શ્રી લાલજી વેલજી શાહ ગૌશાળા તથા વલસાડ પાંજરાપોળના ટ્રસ્‍ટી અનિશભાઈ શેઠિયાના સહકારથી જાયન્‍ટ્‍સ ગ્રૂપ ઓફ વલસાડના પ્રમુખ ડૉ. આશાબેન ગોહિલે કાર્યક્રમના પ્રોજેકટ ચેરપર્સન તરીકે કામગીરી કરી હતી. પહાડી અંતરિયાળ વિસ્‍તારમાં રહેતા જરૂરિયાતમંદ લોકોને આ 49માં કાર્યક્રમમાં 31 પશુ ખેતી તથા પશુસંવર્ધન માટે આપવામાં આવ્‍યા હતા. દૂધ ઉત્‍પાદન થકી તેઓને રોજગારી પણ મળી રહેશે. આ સાથે કુલ આંકડો 1277 પર પહોંચ્‍યો છે. જેમાં પ્રથમવાર પાડા આપવામાં આવ્‍યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવામાં નીલોસી ગામના સરપંચ છગનભાઈ, કલ્‍પેશભાઈ, અમરતભાઈ, ફૂલજીભાઈનો તથા ગૌશાળાના ગજેન્‍દ્રભાઈએ સહકાર આપ્‍યોહતો.

Related posts

ધરમપુરના માંકડબનમાં પ્રથમ સમૂહલગ્નોત્‍સવમાં 30 યુગલોએ પ્રભુતામાં પાડેલા પગલાં

vartmanpravah

સ્‍વર્ણ પદક વિજેતા આચાર્ય સંજય પંડિત દ્વારા આયોજીત ગુજરાતના સોમનાથ પાટણના શારદાપીઠ ત્રિવેણી સંગમ ખાતે શિવશક્‍તિ મહાયજ્ઞમાં દમણ જિ.પં.ના પ્રમુખ નવિનભાઈ પટેલે પોતાનીધર્મપત્‍ની સાથે લીધેલો ભાગ

vartmanpravah

કેન્‍દ્રીય રેલવે મંત્રી અને ચૂંટણી પ્રભારી અશ્વિની વૈષ્‍ણવે કરાડ ખાતે કાર્યકર્તાઓ સાથે કરેલી ‘ચાય પે ચર્ચા’

vartmanpravah

વસુંધરા વિદ્યાપીઠ શાળા, પરજાઈના જરૂરિયાતમંદ બાળકોને સહાયક સામગ્રી અને શાળા સબંધિત વસ્‍તુઓ પૂરી પાડવા હવેલી ઇન્‍સ્‍ટિટયૂટ ઑફ લીગલ સ્‍ટડીઝ એન્‍ડ રિસર્ચ દ્વારા ‘દાન-દિપોત્‍સવ-2024’નું થયેલું સફળ આયોજન

vartmanpravah

લ્‍યો કરો વાત…દુધનીના ચોકીપાડા ખાતે સ્‍મશાન સુધી જવાના રસ્‍તાનું કામ છેલ્લા 39 વર્ષથી પડતર : શાસન-પ્રશાસને પણ નહીં સાંભળતા છેલ્લે લોકશક્‍તિએ બનાવેલો કાચો રસ્‍તો

vartmanpravah

ખેરગામની આદિવાસી દિકરીએ ડાંગના વિદ્યાર્થીઓ વિષય ઉપર મહાશોધ નિબંધ રજૂ કર્યો

vartmanpravah

Leave a Comment