January 16, 2026
Vartman Pravah
Breaking Newsસેલવાસ

દાનહ શિક્ષણ વિભાગ દ્વારા વિશેષ આવશ્‍યકતાવાળા બાળકો માટે મૂલ્‍યાંકન અને પ્રમાણન શિબિર યોજાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.05
દાદરા નગર હવેલી શિક્ષણ વિભાગના સમગ્ર શિક્ષા અંતર્ગત વિશેષ આવશ્‍યકતા વાળા બાળકો માટે મૂલ્‍યાંકન અને પ્રમાણન શિબિરનું આયોજન જીલ્લા વિકલાંગતા પુનર્વાસ કેન્‍દ્ર અને આરોગ્‍ય વિભાગના સહયોગ દ્વારાઆયોજીત કરવામા આવ્‍યો હતો.આ મૂલ્‍યાંકન અને પ્રમાણન શિબિરનો મુખ્‍ય ઉદેશ્‍ય વિશેષ આવશ્‍યકતાવાળા બાળકોમા દિવ્‍યાંગતા પ્રમાણપત્ર આપવાનો હતો.
આ શિબિરમાં પ્રદેશની વિવિધ શાળાના 118 બાળકો અને વાલીઓ ઉપસ્‍થીત હતા. વિદ્યાર્થીઓનું મૂલ્‍યાંકન વિનોબાભાવે સિવિલ હાસ્‍પિટલના હાડકાના ડોક્‍ટર ડો.ચિન્‍મય દેસાઈ, આંખના ડો.દીપા સોનાવને, ઇએનટી ડો.યશવીન શેટ્ટી, મનોચિકિત્‍સક ડો.પ્રશાંત મહાકાલ દ્વારા કરવામા આવ્‍યું હતું.
શિબિરનું ઉદ્‌ઘાાટન જિલ્લા શિક્ષણાધિકારી શ્રી પરિતોષ શુક્‍લ, શ્રી બળવંત પાટીલ અને શ્રી રાજેન્‍દ્ર મોહિલેના હસ્‍તે દીપ પ્રાગટય કરી કરવામાં આવ્‍યું હતું.

Related posts

વલસાડ હાઈવે ઉપર એક જ દિવસમાં બે ટેમ્‍પા બે જગ્‍યાએ પલટી મારતા હાઈવે ટ્રાફિક જામ

vartmanpravah

ચીખલી અંબિકા સબ ડિવિઝનના તાબામાં આવતી મજીગામ-થાલા-પાટી માઇનોર કેનાલના તકલાદી કામને કારણે સરકારના લાખો રૂપિયા એળે જવાની સર્જાય રહેલી ભીતિ

vartmanpravah

અખિલ ભારતીય ઉપભોક્‍તા ઉત્‍થાન સંગઠન વલસાડ જિલ્લા દ્વારા ખાણીપીણીમાં ભેળસેળ તથા સ્‍વાસ્‍થ્‍યની સાથે થતાં ચેડાં બાબતે મુખ્‍યમંત્રીને આવેદનપત્ર આપી કાર્યવાહીની કરેલી માંગ

vartmanpravah

સેલવાસ સ્‍કૂલમાં ઘૃણાસ્‍પદ ઘટેલી સામુહિક બળાત્‍કારના વિરોધમાં વલસાડ એબીવીપીએ આવેદનપત્ર પાઠવ્‍યું

vartmanpravah

‘‘રામ દ્વાર શ્રી પીઠ” માં હનુમાન જયંતિની ઉજવણી

vartmanpravah

વલસાડમાં નિર્વષા થઈ બાઈક ઉપર નિકળેલા યુવાનનો વિડીયો વાયરલ થતા ચકચાર

vartmanpravah

Leave a Comment