March 3, 2026
Vartman Pravah
Breaking Newsસેલવાસ

દાનહ શિક્ષણ વિભાગ દ્વારા વિશેષ આવશ્‍યકતાવાળા બાળકો માટે મૂલ્‍યાંકન અને પ્રમાણન શિબિર યોજાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.05
દાદરા નગર હવેલી શિક્ષણ વિભાગના સમગ્ર શિક્ષા અંતર્ગત વિશેષ આવશ્‍યકતા વાળા બાળકો માટે મૂલ્‍યાંકન અને પ્રમાણન શિબિરનું આયોજન જીલ્લા વિકલાંગતા પુનર્વાસ કેન્‍દ્ર અને આરોગ્‍ય વિભાગના સહયોગ દ્વારાઆયોજીત કરવામા આવ્‍યો હતો.આ મૂલ્‍યાંકન અને પ્રમાણન શિબિરનો મુખ્‍ય ઉદેશ્‍ય વિશેષ આવશ્‍યકતાવાળા બાળકોમા દિવ્‍યાંગતા પ્રમાણપત્ર આપવાનો હતો.
આ શિબિરમાં પ્રદેશની વિવિધ શાળાના 118 બાળકો અને વાલીઓ ઉપસ્‍થીત હતા. વિદ્યાર્થીઓનું મૂલ્‍યાંકન વિનોબાભાવે સિવિલ હાસ્‍પિટલના હાડકાના ડોક્‍ટર ડો.ચિન્‍મય દેસાઈ, આંખના ડો.દીપા સોનાવને, ઇએનટી ડો.યશવીન શેટ્ટી, મનોચિકિત્‍સક ડો.પ્રશાંત મહાકાલ દ્વારા કરવામા આવ્‍યું હતું.
શિબિરનું ઉદ્‌ઘાાટન જિલ્લા શિક્ષણાધિકારી શ્રી પરિતોષ શુક્‍લ, શ્રી બળવંત પાટીલ અને શ્રી રાજેન્‍દ્ર મોહિલેના હસ્‍તે દીપ પ્રાગટય કરી કરવામાં આવ્‍યું હતું.

Related posts

જિલ્લા સ્‍પેશ્‍યલ કોર્ટનો ચૂકાદો: દમણમાં પાંચ વર્ષની સગીરા સાથે અશ્‍લીલ હરકત કરનારા આરોપીને પોક્‍સોના કેસમાં પાંચ વર્ષની સખત કેદની સજા

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે પદ્મશ્રી પ્રભાબેન શાહને પાઠવેલી શ્રદ્ધાંજલિ

vartmanpravah

દમણવાડા ગ્રામ પંચાયત દ્વારા ધોરણ ૧૦ અને ૧૨ની બોર્ડ પરીક્ષા આપી રહેલા વિદ્યાર્થીઓને પરીક્ષા કીટનું કરાયેલું વિતરણઃ વિદ્યાર્થીઓને પાઠવેલી શુભકામના

vartmanpravah

કેન્‍દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમનના હસ્‍તે પાયલોટ પ્રોજેક્‍ટ તરીકે વાપીથી રાજ્‍યના 12 જીએસટી સેવા કેન્‍દ્રનું ઈ-લોકાર્પણ કરાયું

vartmanpravah

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીના આગમનને વધાવવા તૈયારીને અપાઈ રહેલો આખરી ઓપ

vartmanpravah

દમણમાં ડો. બાબાસાહેબ આંબેડકરની જન્‍મજયંતિ નિમિત્તે બહુજન સમાજ દ્વારા યોજાયેલી ભવ્‍ય કાર રેલી

vartmanpravah

Leave a Comment