(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.05
દાદરા નગર હવેલી સેલવાસથી 18 કિલોમીટર પર આવેલ બોનતા ગામે આવેલ ભગવાન શનિદેવનું મંદિર આવેલ છે. શનિ અમાવસ્યાના દિને મોટી સંખ્યામાં અહીં ભક્તોએ શનિ મહારાજનું વિધિવત્ પૂજન કર્યું હતુ અને યજ્ઞનો પણ લાભ લીધો હતો.
શનિ અમાવસ્યાનું મહત્વ શાષાોમા ઉત્તમ ગણાવ્યું છે આ દિવસે શનિદેવનું વિધિવત્ પૂજન અને દાન કરવાથી શનિ દેવાની કળપા થાય છે એની સાથે પનોતીમાં રાહત મળે છે. બોનતા શનિધામ ખાતે યજ્ઞનું આયોજન કરાયું હતું તેમજ ગત બે વર્ષ બાદ આજે ભક્તો માટે મહાપ્રસાદનું પણ આયોજન મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામા આવ્યું હતું. જેનો મોટી સંખ્યામા લાભ શનિ ભક્તોએ લીધો હતો.