March 2, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણ

દમણવાડા ગ્રામ પંચાયત દ્વારા ધોરણ ૧૦ અને ૧૨ની બોર્ડ પરીક્ષા આપી રહેલા વિદ્યાર્થીઓને પરીક્ષા કીટનું કરાયેલું વિતરણઃ વિદ્યાર્થીઓને પાઠવેલી શુભકામના

સરપંચ મુકેશ ગોસાવીઍ વિદ્યાર્થીઓના વાલીઓને મોદી સરકાર દ્વારા દમણ-દીવ અને દાદરા નગર હવેલીમાં ઉચ્ચ અભ્યાસ માટે શરૂ કરેલા વિવિધ અભ્યાસક્રમોની પણ આપેલી જાણકારી

(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.૧૦ : દર વર્ષની માફક આ વર્ષે પણ આવતીકાલ તા. ૧૧મી માર્ચથી શરૂ થઈ રહેલી ગુજરાત બોર્ડની ધોરણ ૧૦ અને ૧૨ની પરીક્ષાના વિવિધ શાળાઓમાં અભ્યાસ કરતા દમણવાડા ગ્રામ પંચાયત વિસ્તારના વિદ્યાર્થીઓને તેમના ઘરે જઈ સરપંચશ્રી મુકેશ ગોસાવી અને પંચાયતની ટીમ દ્વારા વેલકમ કિટ સાથે શુભકામના પાઠવવામાં આવી હતી.
દમણવાડા ગ્રામ પંચાયતના બોર્ડની પરીક્ષા આપી રહેલા ધોરણ ૧૦ અને ૧૨ના વિદ્યાર્થીઓને પરીક્ષા ખંડમાં લઈ જઈ શકાય તેવા ટ્રાન્સપરન્ટ રાઈટિંગ બોર્ડ, ટ્રાન્સપરન્ટ પાઉચ, બોલપેન, પેન્સિલ, સંચો, રબર, નાની સ્કેલ વગેરે આપી બોર્ડની પરીક્ષા કોઈપણ પ્રકારના ડર વગર પરીક્ષા આપવા વિદ્યાર્થીઓને શુભકામના પાઠવવામાં આવી હતી.
દમણવાડા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી મુકેશ ગોસાવીઍ વિદ્યાર્થીઓના વાલીઓને મોદી સરકાર દ્વારા દમણ-દીવ અને દાદરા નગર હવેલીમાં ઉચ્ચ અભ્યાસ માટે શરૂ કરેલા વિવિધ અભ્યાસક્રમોની પણ જાણકારી આપી હતી અને જણાવ્યું હતું કે, આપણા પ્રદેશમાં દેશમાં સૌથી સસ્તું અને ઉત્તમ ગુણવત્તાવાળું શિક્ષણ મોદી સરકારના કારણે શક્ય બન્યું છે.
આ વિતરણ કાર્યક્રમમાં દમણવાડા ગ્રામ પંચાયતનો સ્ટાફ, પંચાયત સભ્ય શ્રી વિષ્ણુ બાબુ, શિક્ષિકા શ્રીમતી પુષ્પા રાઠોડ ગોસાવી, શ્રીમતી રેખા તુષાર, શ્રી રોહિત ગોહિલ, શ્રી ધીરૂભાઈ બારી, શ્રી રાહુલ ધોડી વગેરે પણ જાડાયા હતા.

Related posts

વલસાડ જિલ્લાની બે ખેલાડી હોકીની નેશનલ ચેમ્‍પિયનશીપમાં ભાગ લેશે

vartmanpravah

સંઘપ્રદેશ દાનહ-દમણ-દીવ ઈમરજન્‍સી 108 એમ્‍બ્‍યુલન્‍સના સ્‍ટાફ દ્વારા રંગોળી સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

નવસારી એસ.ટી. બસ સ્‍ટેશન ખાતે તિરંગા યાત્રા અભિયાન કાર્યક્રમની ઉજવણી

vartmanpravah

સંઘપ્રદેશના શિક્ષણ સચિવ અંકિતા આનંદે પરિયારી શાળાના પ્રવેશોત્‍સવમાં આપેલી હાજરીઃ વિદ્યાર્થીઓ અને શિક્ષકોને આપેલું ઉમદા માર્ગદર્શન

vartmanpravah

નવસારી ઘેલખડી સ્‍થિત વિદ્યાધામ વિદ્યાલય ગુજરાતી તેમજ અંગ્રેજી માધ્‍યમ શાળા ખાતે ત્રિ-દિવસીય સ્‍પોર્ટ્‍સ-ડેની ઉજવણી પ્રારંભ

vartmanpravah

પારડીમાં નાણામંત્રીશ્રી કનુભાઈ દેસાઈની અધ્યક્ષતામાં ૧૩માં ગરીબ કલ્યાણ મેળામાં ૩૫૧૬૩ લાભાર્થીને ૮૧ કરોડની સહાય ચૂકવાઈ

vartmanpravah

Leave a Comment