(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.10
સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં આજે શુક્રવારે વધુ 2 કોરોના પોઝિટિવ કેસો નોંધાયા છે. જિલ્લામાં હાલમાં 03 સક્રિય કેસ છે. અત્યાર સુધીમાં 5916 કેસ રિક્વર થઈ ચુક્યા છે, અને ત્રણ વ્યક્તિના મોત થયેલ છે. આજે પ્રદેશમાં આરટીપીસીઆરના 181 નમૂનાઓ લેવામાં આવ્યા હતા. જેમાંથી 02 વ્યક્તિનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યા હતો અને રેપિડ એન્ટિજનના 226 નમૂના લેવામાં આવ્યા હતા, જેમાં એકપણ રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો નથી. દાદરા નગર હવેલીમાં હાલમાં 1 કન્ટાઈન્મેન્ટ ઝોન નક્કી કરાયો છે.
દાનહ આરોગ્ય વિભાગ દ્વારા પીએચસી, સીએચસી અને અને સબ સેન્ટરો પર કોરોના વેક્સિનનું રસીકરણ કરવામાં આવ્યું હતું. જેમાં આજે 3290 લોકોને વેક્સિન આપવામાં આવ્યા છે. પ્રદેશમાં પ્રથમ ડોઝ 3,99,098 અને બીજો ડોઝ 24,0589 વ્યક્તિઓને આપવામાં આવતા કુલ 6,39,687 લોકોને વેક્સિન આપવામાં આવી છે.