શહેરમાં જુના જર્જરિત એપાર્ટમેન્ટ મકાનો ઉપર પણ
પાલિકાની તવાઈ આવવાનો અણસાર
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.25: વલસાડમાં રવિવારે રાતે તિથલ રોડ ઉપર આવેલ જર્જરીત વૃંદાવન એપાર્ટમેન્ટનો સ્લેબ તૂટી પડતા દોડધામ મચી હતી. એપાર્ટમેન્ટ નીચે કાર્યરત દુકાનો ચલાવતા બે વેપારી ઉપર કાટમાળ પડયો હતો પરંતુ લોકોએ હેમખેમ ઉગારી લીધા હતા. એપાર્ટમેન્ટ સ્લેબ તૂટી પડયા બાદ નગરપાલિકા એકશનમાં આવી હતી. આજે જર્જરીત વૃંદાવન એપાર્ટમેન્ટને સંપૂર્ણપણે ડિમોલિશન કરાયું હતું.
તિથલ રોડ ઉપર આવેલ વંૃદાવન એપાર્ટમેન્ટને ડિમોલિશન કરવા માટે પાલિકાની ટીમ સાધન સરંજામ સાથે પહોંચી ગઈ હતી. ગઈકાલથી જ વેપારીઓને સામાન હટાવી લેવા તેમજ દુકાનો ખાલી કરવાની ચેતવણી પાલિકાએ આપી દીધી હતી તે મુજબ વેપારીઓએ દુકાનો ખાલી કરી દીધી હતી તેથી પાલિકાએ આજે એક ઝટકેએપાર્ટમેન્ટને ધ્વંશ કરી દીધો હતો. આગામી સમયે શહેરના જુના જર્જરીત એપાર્ટમેન્ટ અને મકાનો ઉપર પાલિકાની તવાઈ આવશે એવો અણસાર મળી રહ્યો છે.