-
‘ભારત માતા કી જય’ ના નારાથી ગુંજી ઉઠેલો પ્રદેશ
-
ખાનવેલ ચાર રસ્તા ખાતે શ્રદ્ધાંજલિ આપવા લોકોની લાગેલી લાંબી કતાર
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.10
આજે ખાનવેલ ચાર રસ્તા ખાતે સ્વ. બિપીન રાવત અને તેમના ધર્મપત્ની તથા 11 આર્મી પર્સનલના થયેલ અસામાયિક મૃત્યુ બદલ બે મિનિટ મૌન પાળી અને મીણબત્તી પ્રગટાવી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.
આ પ્રસંગે દાનહ સિવિલ સોસાયટીના અધ્યક્ષ એડવોકેટ શ્રી સન્ની ભિમરા, ખાનવેલના સરપંચ શ્રી મારિયાભાઈ વિલાત સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.