Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદેશ

બાળકોના કુપોષણને નાબૂદ કરવા સંઘપ્રદેશમાંથી પ્રશાસક પ્રફુલભાઈ પટેલના દિશા-નિર્દેશ હેઠળ દમણવાડા ગ્રા.પં.ની તમામ આંગણવાડીમાં નોંધાયેલા કુપોષિત બાળકોની જવાબદારી લેતા નાણાં સચિવ ગૌરવ સિંહ રાજાવત

  • દમણવાડાની ફૂલવાડી ખાતેની આંગણવાડી(નંદઘર)માં કુપોષિત બાળકો અને તેમની માતા, સગર્ભા અને ધાત્રી માતાઓ સાથે નાણાં સચિવ ગૌરવ સિંહ રાજાવત અને સમાજ કલ્‍યાણ સચિવ ભાનુ પ્રભાએ કરેલી ચર્ચા-વિચારણાં

  • કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના મુખ્‍ય કાર્યકારી અધિકારી આશિષ મોહન, બીડીઓ પ્રેમજીભાઈ મકવાણા અને સરપંચ મુકેશ ગોસાવીની રહેલી ઉપસ્‍થિતિ 

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.10
સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે પ્રદેશમાંથી બાળકોના કુપોષણને નેસ્‍તનાબૂદ કરવા અને સગર્ભા તથા ધાત્રી માતાઓને પૌષ્‍ટિક આહાર મળી રહે તેની વ્‍યવસ્‍થા કરવા અને પ્રત્‍યક્ષ રીતે સહભાગી બનવા આપેલા નિર્દેશના પગલે આજે સંઘપ્રદેશના નાણાં સચિવ અને ગ્રામીણ વિકાસ વિભાગના સચિવ શ્રી ગૌરવ સિંહ રાજાવત તથા પ્રદેશના સમાજ કલ્‍યાણ વિભાગના સચિવ શ્રીમતી ભાનુ પ્રભાએ દમણવાડાનીફૂલવાડી ખાતે આવેલ નંદઘરની મુલાકાત લઈ માતાઓ સાથે રૂબરૂ મનન-મંથન કર્યું હતું અને પ્રશાસકશ્રીના અભિયાનમાં સહભાગી બનવા પ્રદેશના નાણાં અને ગ્રામ્‍ય વિકાસ વિભાગના સચિવ શ્રી ગૌરવ સિંહ રાજાવતે દમણવાડા ગ્રામ પંચાયત વિસ્‍તારના તમામ નંદઘર સાથે જોડાયેલા કુપોષિત બાળકોની જવાબદારી લીધી હતી, અને સગર્ભા તથા ધાત્રી માતાઓને પૌષ્‍ટિક આહાર મળે તે બાબતની વ્‍યવસ્‍થા તથા દેખરેખ રાખવાનું પણ બિડું ઝડપ્‍યું હતું.
આજે દમણવાડા ગ્રામ પંચાયત હસ્‍તકના ફૂલવાડી નંદઘર ખાતે કુપોષિત બાળકોની માતાઓ, સગર્ભા અને ધાત્રી માતાઓ સાથે નાણાં અને ગ્રામીણ વિકાસ વિભાગના સચિવ શ્રીમતી ભાનુ પ્રભાએ મનન-મંથન કર્યું હતું અને જરૂરી માર્ગદર્શન પણ આપ્‍યું હતું.
સંઘપ્રદેશ પ્રશાસનના પ્રદેશમાંથી કુપોષણની સમસ્‍યા નાબૂદ કરવા શરૂ કરાયેલા અભિયાનમાં ચૂંટાયેલા લોક પ્રતિનિધિઓને પણ સામેલ થવા હાકલ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં નાણાં અને ગ્રામીણ વિકાસ સચિવ શ્રી ગૌરવ સિંહ રાજાવત પોતાની ધર્મપત્‍ની સાથે ઉપસ્‍થિત રહેતા ગ્રામ્‍ય વિસ્‍તારની મહિલાઓમાં પણ ઉત્‍સાહ અને જાગૃતિ જોવા મળી હતી.
આ પ્રસંગે દમણ જિલ્લા પંચાયતના મુખ્‍ય કાર્યકારી અધિકારી શ્રી આશિષ મોહન, દમણના બીડીઓ શ્રી પ્રેમજીભાઈ મકવાણા, દમણવાડા ગ્રામ પંચાયતનાસરપંચ શ્રી મુકેશ ગોસાવી પણ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

વાપી કેબીએસ કોલેજની વિદ્યાર્થીની ખેલો ઈન્‍ડિયામાં ઝળકી

vartmanpravah

જિલ્લા રોજગાર કચેરી દ્વારા પારડીખાતે તા.30 સપ્‍ટેમબરના રોજ રોજગાર ભરતી મેળો યોજાશે

vartmanpravah

ચીખલીમાં આઈસીડીએસ શાખા દ્વારા સશક્‍ત અને કુપોષિત કિશોરી અભિયાન અંતર્ગત યોજાયેલા કાર્યક્રમમાં કિશોરીઓને પોષણ, શિક્ષણ, સ્‍વરોજગારી અંગે માર્ગદર્શન અપાયું

vartmanpravah

ભાજપ વાપી શહેર સંગઠનના 11 શક્‍તિ કેન્‍દ્ર ઉપર 90 બુથમાં મન કી બાત કાર્યક્રમ નિહાળ્‍યો

vartmanpravah

દમણ-દીવ રાષ્‍ટ્રીય લોક અદાલતમાં 36 કેસોનું સમાધાન : રૂા.1.49 કરોડનું સેટલમેન્‍ટ

vartmanpravah

સંઘપ્રદેશ થ્રીડી તથા લક્ષદ્વીપના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે ભારતના મહામહિમ રાષ્‍ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ, નાણાંમંત્રી નિર્મલા સીતારમણ અને રક્ષામંત્રી રાજનાથ સિંઘની લીધેલી શુભેચ્‍છા મુલાકાત

vartmanpravah

Leave a Comment