March 3, 2026
Vartman Pravah
Breaking Newsદમણદીવ

દમણ જિલ્લા પ્રશાસન દ્વારા આ વર્ષે સાદગીપૂર્ણ રીતે થનારી મુક્‍તિ દિવસની ઉજવણી

  • સ્‍થાનિક સ્‍વરાજ્‍યની સંસ્‍થાઓ-રાજકીય પક્ષો પોત-પોતાના કાર્યાલયમાં મુક્‍તિ દિવસની ઉજવણી કરી શકેછે

  • દાનહ અને દમણ-દીવનું એકીકરણ થવાથી હવે 26મી જાન્‍યુઆરીના દિવસને પ્રજાસત્તાકની સાથે સાથે મર્જર ડે તરીકે ધામધૂમથી ઉજવવાનો લેવાયેલ પ્રશાસનિક નિર્ણય

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.15
દમણ જિલ્લા પ્રશાસન દ્વારા આ વર્ષે 19મી ડિસેમ્‍બરના મુક્‍તિ દિવસનો કાર્યક્રમ કલેક્‍ટરાલયના પટાંગણમાં જ યોજવાના હોવાની માહિતી મળી રહી છે અને સંભવતઃ દમણના ઈતિહાસમાં પહેલી વખત માર્ચપાસ્‍ટ પણ નહી યોજાવાની હોવાની જાણકારી મળી છે.
અત્રે યાદ રહે કે, દાદરા નગર હવેલી અને દમણ-દીવનું વિલીનીકરણ થયા બાદ દાનહનો મુક્‍તિ દિવસ રજી ઓગસ્‍ટ અને દમણ-દીવનો મુક્‍તિ દિવસ 19મી ડિસેમ્‍બર પ્રશાસનિક ઉજવણી માટે અપ્રસ્‍તુત બની ગયો છે.પરંતુ સ્‍થાનિક સ્‍વરાજ્‍યની સંસ્‍થાઓ કે રાજકીય પક્ષો પોતાના કાર્યાલયમાં મુક્‍તિ દિવસના કાર્યક્રમની ઉજવણી કરી શકે છે.
ભારત દેશની સ્‍વતંત્રતા બાદ દાદરા નગર હવેલી 7 વર્ષ અને દમણ-દીવ 14 વર્ષ બાદ પોર્ટુગીઝોની ગુલામીમાંથી આઝાદ થયો હતો. આ વર્ષે ગોવા પોતાની મુક્‍તિના 6 દાયકા પૂર્ણ થતાં 60 વર્ષની ઉજવણી ખુબ જ રોમાંચથી કરી રહ્યું છે.જેમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદી પણ ઉપસ્‍થિત રહેવાના હોવાનું જાણવા મળે છે.
1987ના મે મહિનાની 31મી તારીખે ગોવાને સંપૂર્ણ રાજ્‍યનોદરજ્‍જો મળ્‍યા બાદ દમણ અને દીવે સ્‍વતંત્ર કેન્‍દ્ર શાસિત પ્રદેશ તરીકેનો પોતાનો દરજ્‍જો જાળવી રાખ્‍યો હતો. તે સમયે દમણ અને દીવનું વિલીનીકરણ દાદરા નગર હવેલી સાથે એક કેન્‍દ્ર શાસિત પ્રદેશ તરીકે કરાયું હોત તો આજે આ પ્રદેશ પણ વિધાનસભાના ગઠનની માંગણી જોશપૂર્વક કરી શકવા સક્ષમ બન્‍યો હોત.
હવે, દાદરા નગર હવેલી અને દમણ-દીવનું એકીકરણ થયું હોવાથી સંઘપ્રદેશ પ્રશાસનને બંને જિલ્લા માટે અલગ-અલગ મુક્‍તિ દિવસની ઉજવણી કરવાનું યોગ્‍ય લાગતુ નહી હોવાના કારણે હવે 26મી જાન્‍યુઆરીના વિલીનીકરણ દિવસની ઉજવણી રાજ્‍ય સ્‍તરના પર્વ તરીકે ધૂમધામથી કરવાનો નીતિ-વિષયક નિર્ણય લેવાયેલ હોવાની પણ જાણકારી મળી રહી છે.

Related posts

પ્રગટેશ્વર મહાદેવ મંદિર આછવણીના ૩૮મા નિર્માણ દિન મહોત્‍સવની ઉજવણી કરાઈ

vartmanpravah

કપરાડા દહીખેડ ગામે વાંકી નદીના કોઝવે ઉપરથી પશુ નદીમાં તણાયા : પશુપાલકોએ જીવના જોખમે ઉગાર્યા

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક તરીકે પ્રફુલભાઈ પટેલે પોતાના કાર્યકાળના પ્રથમ દિવસથી માંડી આજપર્યંત જે કહ્યું તે કરી બતાવ્‍યું

vartmanpravah

દમણ ઈન્‍ડસ્‍ટ્રીઝ એસોસિએશને સીડીએસ સ્‍વ. બિપિન રાવતને અર્પેલી શ્રદ્ધાંજલિ

vartmanpravah

વાપી નવા ગરનાળા પાસે રૂા.1.11 લાખનો દારૂનો જથ્‍થો ભરેલો ટેમ્‍પો ઝડપાયો

vartmanpravah

વાપી છીરી ગ્રામ પંચાયતની બેદરકારીને લીધે વરસાદમાં 150 ઉપરાંત પરિવારોનો રાતવાસો રોડ ઉપર

vartmanpravah

Leave a Comment