Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદેશસેલવાસ

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ દમણની સરકારી એન્‍જિનિયરીંગ કોલેજમાં મુંબઈ આઈઆઈટીના સહયોગથી પાવર સિસ્‍ટમ, પાવર સપ્‍લાય અને પાવર સિસ્‍ટમ ઘટકોના માળખા ઉપર યોજાયેલ વ્‍યાખ્‍યાન

વ્‍યાખ્‍યાન માળાના આયોજનપાછળ દાદરા નગર હવેલી અને દમણ-દીવને દીવને તબીબી, ટેકનિકલ, ફેશન, ઈન્‍ફોર્મેશન ટેક્‍નોલોજી અને કાનૂની શિક્ષણના ક્ષેત્રમાં વિશ્વસ્‍તરીય શિક્ષણ પ્રદાન કરતા પ્રદેશના અગ્રણી શિક્ષણ કેન્‍દ્ર તરીકે વિકસાવવાની દીર્ઘદ્રષ્ટિનો એક ભાગ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ,તા.06 : કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ અને દીવના પ્રશાસક શ્રી પ્રફુલ પટેલના માર્ગદર્શન હેઠળ, સરકારી એન્‍જિનિયરિંગ કોલેજ, ઉચ્‍ચ અને ટેકનિકલ શિક્ષણ વિભાગ-દમણ દ્વારા આઈઆઈટી, મુંબઈના સહયોગથી અતિથિ વ્‍યાખ્‍યાનોની શ્રેણીનું આયોજન કર્યું હતું. જે દેશ સાથે વૈશ્વિક સ્‍તરે પણ સૌથી પ્રખ્‍યાત તકનીકી સંસ્‍થાઓમાંની એક છે. આ વ્‍યાખ્‍યાન શ્રેણીના ભાગરૂપે, ગત તા.5 અને આજે 6ઠ્ઠી નવેમ્‍બર, 2022ના રોજ સરકારી એન્‍જિનિયરિંગ કોલેજ, દમણના સેમિનાર હોલમાં આઈઆઈટી મુંબઈના ઈલેક્‍ટ્રિકલ એન્‍જિનિયરિંગ વિભાગના પ્રોફેસર ડૉ. અનિલ કુલકર્ણી દ્વારા નિષ્‍ણાત સત્રનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ અવસરે ‘‘પાવર સિસ્‍ટમ્‍સ, પાવર સપ્‍લાય સિસ્‍ટમ અને પાવર સિસ્‍ટમ ઘટકોનું માળખું” વિષય ઉપર લેક્‍ચર આપવામાં આવ્‍યું હતું. ઈલેક્‍ટ્રિકલ એન્‍જિનિયરિંગના વિદ્યાર્થીઓને આ પ્રવચનોથી ઘણો ફાયદો થયો હતો અને તેઓ આઈઆઈટી મુંબઈના પ્રોફેસર સાથે વાર્તાલાપ કરીને પણ ખુશ હતા. સાથેસિવિલ અને મિકેનિકલ એન્‍જિનિયરિંગ વિભાગ માટે ચાલુ સેમેસ્‍ટર દરમિયાન અન્‍ય લેક્‍ચર્સ પણ શેડ્‍યૂલ કરવામાં આવ્‍યા છે. આ પ્રવચન કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ અને દીવને તબીબી, ટેકનિકલ, ફેશન, ઈન્‍ફોર્મેશન ટેક્‍નોલોજી અને કાનૂની શિક્ષણના ક્ષેત્રમાં વિશ્વસ્‍તરીય શિક્ષણ પ્રદાન કરતા પ્રદેશના અગ્રણી શિક્ષણ કેન્‍દ્ર તરીકે વિકસાવવાની દીર્ઘદ્રષ્ટિનો એક ભાગ પણ છે.

Related posts

પારડી પોલીસ સ્‍ટેશનના પી.આઈ. બીજે સરવૈયાના અધ્‍યક્ષ સ્‍થાને શાંતિ સમિતિની બેઠક મળી

vartmanpravah

સ્‍માર્ટ સિટી સેલવાસના નવતર ‘‘Cycle2Work” અભિયાનને રાષ્‍ટ્રીય શહેરી કોન્‍કલેવમાં મળ્‍યો પ્રતિષ્‍ઠિત એવોર્ડ

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના જન્‍મ દિવસ તથા કાર્યકાળના સાત વર્ષ પૂર્ણ થતાં સેલવાસ ન.પા.ના પૂર્વ અધ્‍યક્ષ અને પ્રદેશ ભાજપના કદાવર નેતા રાકેશસિંહ ચૌહાણે ન.પા.માં કાર્યરત કર્મચારીઓને ધાબળા અને શ્રમપ્રસાદનું કરેલું વિતરણ

vartmanpravah

ખુડવેલ મુખ્‍ય માર્ગ ઉપર નડતર વૃક્ષો દૂર કરાતા વાહન ચાલકોને રાહત

vartmanpravah

નિરંકારી સતગુરુની શિક્ષાઓથી પ્રેરણા લઈ 304 નિરંકારી ભક્‍તોએ ભિલાડમાં કર્યું રક્‍તદાન

vartmanpravah

વલસાડ જિલ્લામાં હાથથી તેમજ માથેથી મેલું ઉપાડવાનું કામ કરતા સફાઈ કામદારોનો સર્વે

vartmanpravah

Leave a Comment