Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સમગ્ર શિક્ષણ અંતર્ગત દાનહ અને દમણ-દીવ શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિક કેન્‍દ્ર શાળા આંબોલીમાં પ્રશ્નમંચ સ્‍પર્ધા યોજાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.16: સમગ્ર શિક્ષણ અંતર્ગત દાદરા નગર હવેલી અને દમણ-દીવ શિક્ષણ વિભાગના માર્ગદર્શન હેઠળ શાળાના બાળકો માટે ગુજરાતી કેન્‍દ્ર શાળા આંબોલીમાં પ્રદેશ સ્‍તરીય પ્રશ્નમંચ સ્‍પર્ધાનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં સી.પી.એસ. આંબોલી ગુજરાતી માધ્‍યમ અંતર્ગત આવતી 8 જેટલી શાળાના 16 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ સ્‍પર્ધામાં પ્રદેશના સ્‍વાતંત્ર્ય સેનાની એવા જમનીબા વરઠા, ભીખુભાઈ પંડયા, સનજીભાઈ ડેલકર, જત્રુબેન ધૂમ, જયંતભાઈ દેસાઈ, ગોમાનસિંહ સોલંકી, ડાલી શેઠ, કમલાબેન પંડયા વગેરે પ્રદેશના સ્‍વાતંત્ર્ય સેનાનીઓની ભૂમિકા અંગે વિદ્યાર્થીઓને જાણકારી મળે તે માટે પ્રશ્નોતરી સ્‍પર્ધા યોજવા આવી હતી.
વિદ્યાર્થીઓમાં રમત-ગમતની ભાવનાનો વિકાસ, અનુશાસન, જીજ્ઞાશા, સંયમ, આત્‍મનિર્ભરતા અને સપ્ત ગુણોને પ્રોત્‍સાહન આપવા માટે આ સ્‍પર્ધા કારગર સાબિત થઈ. વિદ્યાર્થીઓના સર્વાંગીણ શૈક્ષણિક વિકાસ અને ઉજ્જવળ ભવિષ્‍ય માટે આ સ્‍પર્ધા મહત્‍વપૂર્ણ છે. આ સ્‍પર્ધામાં પ્રથમ સ્‍થાને પ્રાથમિકગુજરાતી શાળા આંબોલી રહી હતી. બીજા ક્રમે પ્રાથમિક શાળા કોઠારપાડા અને ત્રીજા ક્રમે પ્રાથમિક શાળા પેલાદપાડા રહી હતી. ત્રણેય શાળાના સ્‍પર્ધકોને ક્રમ મુજબ ટ્રોફી અને પ્રમાણપત્ર આપી સન્‍માનિત કરવામાં આવી હતી. સ્‍પર્ધામાં ઉપસ્‍થિત તમામ વિદ્યાર્થીઓને પણ મેડલ અને પ્રમાણપત્ર આપી સન્‍માનિત કરવામાં આવ્‍યા હતા.
આ અવસરે મુખ્‍ય અતિથિ તરીકે બી.આર.સી. ખાનવેલના સમન્‍વયક શ્રી ગણેશ પાટીલ, બાર.પી. શ્રી સંદીપ પાંડે, સી.આર.સી. કો-ઓર્ડિનેટર-આંબોલી શ્રી નેમિશ પટેલ, સી.આર.સી. કો-ઓર્ડિનેટર શ્રી જીતેન્‍દ્ર ચૌધરી, શ્રી પ્રવીણ રોહિત-આચાર્ય સી.પી.એસ. આંબોલી તથા શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

ઉમરગામના દહેરીમાં ટીસ્યુ પેપર બનાવતી ફેક્ટરીમાં ભીષણ આગ

vartmanpravah

ધરમપુર-બામટી સહિત વિવિધ કેરી માર્કેટમાં કેરીની બમ્‍પર આવકથી ભાવો ઘટયા

vartmanpravah

વિદ્યાર્થીનીઓને મોડી રાત્રે અભદ્ર મેસેજ કરવાના મામલે સેલવાસ ખાતેના આકાશ બાયજૂસ ટયૂશન ક્‍લાસનાશિક્ષકની પોલીસે કરેલી ધરપકડ

vartmanpravah

રાજ્‍યના પાણી પુરવઠા મંત્રી જીતુભાઈ ચૌધરીનો પ્રવાસ કાર્યક્રમ (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ તા.05: ગુજરાતના કલ્‍પસર, મત્‍સ્‍યોદ્યોગ (સ્‍વતંત્ર હવાલો), નર્મદા, જળસંપત્તિ, અને પાણી પુરવઠા વિભાગના રાજ્‍યકક્ષાના મંત્રી શ્રી જીતુભાઈ ચૌધરી તા.6/4/2022ના રોજ સવારે 10-00 કલાકે નાનાપોંઢા ખાતે ભાજપના સ્‍થાપના દિનના કાર્યક્રમમાં ઉપસ્‍થિત રહેશે, ત્‍યારબાદ મતવિસ્‍તારના ગામોની મુલાકાત લઈ લોકસંપર્ક કરશે. તા.7/4/2022 અને તા.8/4/2022ના રોજ અનુラકૂળતાએ તેમના મતવિસ્‍તારના ગામોની મુલાકાત લઈ લોકસંપર્ક કરશે. તા.9/4/2022ના રોજ સાંજે 4-00 કલાકે જલારામધામ, ફલધરા ખાતે રામનવમી નિમિત્તે ભવ્‍ય આનંદ મેળામાં હાજરી આપશે, ત્‍યારબાદ મતવિસ્‍તારના ગામોની મુલાકાત લઈ લોકસંપર્ક કરશે. તા.10/4/2022ના રોજ સવારે 9-00 કલાકે નૂતન વિદ્યાલય ધરાસણા ખાતે ગુજરાત પ્રદેશ અધ્‍યક્ષની ઉપસ્‍થિતિમાં યોજાનારા મેગા બ્‍લડ ડોનેશન કેમ્‍પમાં હાજરી આપશે અને ત્‍યારબાદ મતવિસ્‍તારના ગામોની મુલાકાત લઈ લોકસંપર્ક કરશે. સાંજે 4-30 કલાકે મહર્ષિ સદ્‌ગુરુ સદાફલ દેવ દંડકવન આશ્રમ, વાંસીયાતળાવ, તા.વાંસદા, જિ.નવસારી ખાતે વિહંગમ યોગસત્‍સંગ સમારોહ અને ધ્‍યાન શિબિરમાં હાજરી આપી અનુકૂળતાએ ગાંધીનગર જવા રવાના થશે

vartmanpravah

રાષ્‍ટ્રીય સફાઈ કર્મચારી આયોગના ઉપાધ્‍યક્ષ અંજના પવારે જિલ્લાના સફાઈ કર્મચારીઓની પરિસ્‍થિતિની સમીક્ષા કરી

vartmanpravah

દમણ-દીવ રાષ્‍ટ્રીય લોક અદાલતમાં 36 કેસોનું સમાધાન : રૂા.1.49 કરોડનું સેટલમેન્‍ટ

vartmanpravah

Leave a Comment